________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 456 આપતાં ઉપેન્દ્ર પંડ્યા ચંદ્રને જોઈ દ્રવતા ચંદ્રકાંત મણિ જેવી રસામૃત ઝરતી શેલિની કવિતાને બિરદાવે છે. શેલિ ભરયૌવને ગયા, બાકી રહેનારનું તો ઘણું જ ગયું. કવિ કહે છે, પણ જનારનેય ઓછું ગુમાવવાનું ન હતું. ભીખુ કપોડિયા રાવજી પટેલની પુણ્યતિથિએ અંજલિ આપતાં (‘અને ભૌમિતિકા') ઝૂલતા કૂંડાના અધપાક્યા દૂધભરેલા દાણે કૂંણા શબ્દો થઈ રાવજી ફૂટયો હોવાનું કવિ કહે છે. સદ્ગતનો પ્રેમ અને કવિતાને સાચવીને એનું જતન કરવાની રાવજીની રીતને કવિ પ્રશંસે છે. - કવિ દ્વારકેશ “યાદના નખ છે વીસે વીસમાં (‘લીટી લગ લંબાયાં) વિજુબ્રેન ગણાત્રાના અવસાન સંદર્ભે, વિજુવ્હેન સાથેના સ્નેહસંબંધનાં દઝાડતાં સ્મરણોને વાચા આપે છે. યાદોના વસવીસ નખ એમને પીંખી નાખે છે. વિજુબહેનના પાણી પોચા હૈયાને તેઓ ભૂલી શકતા નથી. “વિજુવ્હેન રિક્ત નદી હતાં’ વિધિની ભીંસ વધી, વિજુબહેનના શબ્દ શબ્દ સંવેદનની ભ્રમણા દાઝતી. - કવિ ચિત્રકાર રાજુ પારેખ (‘કદાચ કવિતા') “બેન્જામિન મોલાઈસને અપાયેલી ફાંસીથી ત્રસ્ત થઈ એમને અંજલિ આપે છે. કર્ણકટાક્ષ કરતાં કવિ કહે છે હા, સૌ એમ તો, દેશવિદેશી લોકશાહી, સામ્યવાદી, નાની મોટી, કાળી, ધોળી શાસક સરકાર, યુનો, યુનેસ્કો, કોમનવેલ્થની અગણ્ય પરિષદો દોમદમામદાર બે મિનિટ શોક-મૌન ઊજવશે. (“ઊજવશે' શબ્દ કવિ સહેતુક વાપરે છે, મૃત્યુ એક જોણું બની જાય છે ક્યારેક) શોકસભાને બીજે જ દિવસે પછી એ જ કાળાધોળાની શાશ્વત સૂગ શરૂ થવાની, એની કવિને ખબર ડૉ. ધીરુભાઈ પરીખ (‘ઉઘાડ) પ્રિયકાંતને અંજલિ આપતાં, સદ્ગત કવિની ધોધવાણી જેવા બોલને યાદ કરે છે. હવે એ બોલ તો ઉજડીબખોલ બની ગયા. કવિ ધીરભાઈ કહે છે “માનવીને માનવીનો આટલો જ સંગ, કવિ કેમ ક્રૂર થયા? એવો પ્રશ્ન જાગે છે. પણ પછી તરત સમજાય છે પ્રિયકાંત તો ગયા જ ક્યાં છે ? ફૂલમાં રહેલી સુવાસની જેમ તેઓ તો પાસે જ છે. - કવિ મહેશ જોશી (યતિભંગ') ડૉ. જયંત ખત્રીને જુદીજ રીતે અંજલિ આપે છે. આરસનાં ઉદાસફૂલ, સદ્ગતના ઓરડાની બહાર બેઠેલા મૃત્યુએ ઉપાડી લીધેલું લંગર, ને દૂર દૂર, ફરતા શ્વેત સઢ પર જનાજો ઊઠાવી લઈ જનારની આંખોની બેઠેલી ઉદાસીનું વર્ણન વેધક છે. ઓરડાની વિસ્તરતી દીવાલો, સુગંધ ગુમાવી ચૂકેલાં પુષ્પો, એક પણ સળ વિનાનું સદ્ગતનું બિછાનું, ડાઘુઓની કાંધ પર ઊઠાવી જવાતું એ શબ, . સદ્ગતની ગેરહાજરીને બોલકી કરી દે છે. કવિ કહે છે. “તમારા ઘરની બહારી દીવાલ સાથે શરીર ઘસતો મહિષ પ્રતિકૂળ હવા સુંઘવા લાગે ને, ફરીથી શ્વેત શઢવાળું મંથરગતિવહાણ માંડવીના બારામાં લાંગરે... લાંગર્યું જ હશે. પણ હવે આજે તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust