SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 455 રહેલી શાંત નદી, ને બીજી બાજુ હંમેશ માટે સૂઈ ગયેલા કવિ “ફૂલપાંખડીની સોડમાં પતંગિયું જાણે પોઢી ગયું છે. કવિ સૂઈ ગયા છે પણ કાવ્ય તો જાગે છે. કવયિત્રી પ્રીતિ સેનગુપ્તાએ ‘અનવર સદાતના મૃત્યુ પર' નાજુક સંવેદનભર્યું કાવ્ય રચ્યું છે. કવયિત્રી કહે છે અરેરાટીના અવાજની ભાષા શીખવાની નથી હોતી જેના હાથથી એ ઠોકાય છે, તે જુડાસ દેશવિદેશમાં જન્મતો અરે ! કેમ અટકતો નથી” ? 234 કવિ મહેન્દ્ર જોશી એમના મિત્ર આનંદ મહેતાને અંજલિ આપતાં “અંધારા ઘોર' તંદ્રા') માનવ માત્રને ભૂલાં પડેલાં પંખી તરીકે ઓળખાવે છે. સમયે એના તીક્ષ્ણ હોર વડે મિત્ર આનંદને ઉઝરડી નાખ્યાની વેદના કવિ અનુભવે છે. સ્વ. વડાપ્રધાન શ્રીમતી ઇંદિરાબહેન ગાંધીની અંતિમ ક્રિયા જોઈ કવિ દિનકર શાહ “અસ્તિત્વનો પ્રકાશ' નામનું કાવ્ય રચે છે. ઇંદિરાજીના અવસાન સાથે ક્ષિતિજ પર અસ્તિત્વનો પ્રકાશ સમુદ્રની ગહન ઊંડાઈમાં એમને જાણે ડૂબતો લાગ્યો. કવયિત્રી સુશીલાબ્લેન પાઠક ચારુન્હન યોદ્ધાને અંજલિ આપતાં “મન મારું પંખીનું) કહે છે. “ચારવ્હેન ગયાં છે જ ક્યાં' ? (‘અમારાં ચારુન્હન') ચારુન્હનની યાત્રા અનંત, ને કાર્યો જીવંત હોવાની તેઓ શ્રદ્ધા ધરાવે છે. કવયિત્રીને હજુય એમના હૈયાના ધબકાર સંભળાય છે. કવિ નિરંજન ભટ્ટ “સ્વ. કવિ શ્રી રાષ્ટ્રીય શાયર મેઘાણીને અંજલિ આપતાં (“સૂરજના શહેરમાં') શાયર સાથે બંધાયેલી ઉરપ્રીતનો સંદર્ભ યાદ કરે છે. મેઘાણી જતાં રંગ આંસુ થઈને ઢોળાતા લાગ્યા. ને સંગીત બનીને જાણે ઓગળ્યા. પેલાં વિહંગોય એમના મૃત્યુના આઘાતે વલવલ્યા. કવિ જયાનંદ દવેએ “તો કવિતા લજવે'માં (“મનોગતા') સ્વ. મહાત્મા ગાંધીજી, તથા સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલને અંજલિ આપતાં બંને વિભૂતિના ગુણગાન ગાયા છે. “પળ્યો અહિથી ત્યહીંમાં જયાનંદ દવેએ ગાંધીજીની પ્રથમ સંવત્સરી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે. એ પ્રસન્ન સ્મિતોજ્જવલ મુખ કવિની નજરમાંથી ખસતું નથી. - કવિ ઉપેન્દ્ર પંડ્યાએ “ગાંધીજીની છબી પાસે કાવ્યમાં (‘ઝરમર') ગાંધીજીને અંજલિ આપવાને બહાને, પોતાની જ કીર્તિલાલસા સંતોષનારાઓ પર કટાક્ષ કર્યો છે. શ્રી અરવિંદને શ્રદ્ધાંજલિ આપતાં બે કાવ્યોમાંના પહેલામાં શ્રી અરવિંદને કવિ ઉપેન્દ્ર પંડ્યા પ્રસન્ન માનસરોવર તરીકે બિરદાવે છે. શ્રી અરવિંદ જતાં ચારેબાજુ નરી રિક્તતા છવાયાની સ્થિતિનું કવિ વર્ણન કરે છે. બીજા કાવ્યમાં વળી પાછું કવિ વિચારે છે કે શ્રી અરવિંદે કરેલું કશું ફોગટ જવાનું નથી. તેથી ધરા રંક નહિ બને. “સ્વ. મણિલાલ ન. દ્વિવેદીની જન્મશતાબ્દીએ” પણ અંજલિકાવ્ય છે. મણિલાલને કવિ “મેઘ' સમા કહે છે. એમની જન્મશતાબ્દીને ટાણે એ બ્રહ્મમેઘનું મંગલવર્ષણ ગુર્જરી કુંજમાં થાય એવું તેઓ પ્રાર્થે છે. કવિ મેઘાણીને' કાવ્યમાં ઉપેન્દ્ર પંડ્યા, મેઘાણી સવાઈ રીતે જીવી ગયાના ગૌરવને યાદ કરે છે. તપ્ત રંક ધરતીના ઉરને ઠારવા કદીક આવવા નિમંત્રણ આપે છે. “શેલિને અંજલિ P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy