________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 454 મુ. સુરેશ હ. જોશીને અંજલિ આપતાં કવિ મેઘનાદ ભટ્ટ (‘મલાજો') ગઈ કાલે ઊગેલો સૂર્ય આજે આથમી ગયાનો, ને સમુદ્રમાં વિશાળ એક વર્તુળાકાર શમી ગયાનો અનુભવ કરે છે. “હમીરને અંજલિ આપતાં કવિ મેઘનાદ ભટ્ટ હમીરે સ્વીકારેલી મૃત્યુની હૂંડી માટે વલોપાત કરે છે. લૌકિક દૃષ્ટિએ હમીર સ્વર્ગસ્થ છતાં, એનાં સ્મરણો શાશ્વત રહેવાનાં, એવી શ્રદ્ધા છે. જિતેન્દ્ર વ્યાસ કવિ મણિયારની જ કાવ્યપંક્તિ વડે ‘સ્વ. પ્રિયકાન્તભાઈને' અંજલિ આપે છે. “પર્ણ' એ જ પક્વ, “જે વસંતમાં ખર્યામાં ગૂઢ સંકેત પમાય છે. વસંતમાં ખરતું પાન જ “પરિપક્વ પૂર્ણત્વથી સભર' એ જાણે તેઓએ પોતાના પ્રયાણ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું. જિતેન્દ્ર વ્યાસ “કવિ ન્હાનાલાલને “રાજહંસ' તરીકે ઓળખાવે છે. જેમની કવિતા રચા સમાન હોવાથી ગુર્જર ગિરા ધન્ય બન્યાનું ગૌરવ કવિને મળ્યું છે. કવિ રાધેશ્યામ શર્માએ “ઘરઅનિરુદ્ધનું બિલિમોરે'માં અનિરુદ્ધના વ્યક્તિચિત્રને એમના અવસાનની વિષાદપળ સાથે ગૂંથી આપ્યું છે. (“સંચેતના') “કવિ પ્રિયકાન્તને અપાયેલી અંજલિમાં કવિ પ્રિયકાન્તની ગોરા વાનને ટોડલે ઘનીભૂત કાળી ભમ્મરો પોતાના હૈયામાં સોંસરી ઊતરી ગયાનું રાધેશ્યામ કહે છે. “ગાય, ને રાતીમાતી ચૂડીને ફાડી રહ્યો, આવી રહ્યો સિંહ” 234 સિંહ અહીં યમદૂતનું પ્રતીક બની રહે છે. - કવિ દલપત ચૌહાણ બાબાસાહેબ આંબેડકરને અંજલિ આપતાં (“તો પછી સંગ્રહ) આંબેડકરની વજ સમી પોલાદી પાંખો, પોતે મેળવે એવી વાંછના વ્યક્ત કરે છે. (‘શિખર પર જ મોત શોભે', આંબેડકરને તેઓ “અછૂત સૂરજ' કહે છે. રામપ્રસાદ દવે (‘તન્મય’ સંગ્રહ) મિત્ર જનાર્દન વૈદ્ય અને સ્વ. બહાદુરશાહ પંડિતની મૃતિને અંજલિ અર્પે છે. એ બંને “સારસ્વતો' સતત ઊધ્વયાત્રામાં જોડાયેલા હોવાનું કવિ કહે છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ('કિમપિ') રાવજીને એની જ તળપદી ભાષામાં અંજલિ અર્પી છે. જીવન અને મૃત્યુ બંને સામે રાવજી સતત ઝઝૂમ્યાનો ઉલ્લેખ કવિએ કર્યો છે. “રાવજી કાયા માટી કાચી' કહેતા કવિ માનવમાત્રના શરીરની નશ્વરતા પ્રત્યે આપણું ધ્યાન દોરે કવિ ઇન્દુકુમાર ત્રિવેદીએ “કવિ ટી. એસ. એલિયટને અંજલિ અર્પી છે. કવિ વ્યથિત હૈયે લખે છે. ધરણી હજી એની એ જ “મભૂમિ–” પ્રિયકાંત અચાનક “પ્રતીક મળે તેમ પોતાને મળ્યા હોવાનું કહેતા કવિ, અન્યોન્યનાં કવિહૃદયને પરસ્પરે ઓળખ્યાં હોવાની પ્રતીતિ કરે છે, “ગાંધી' નામના નાના કાવ્યમાં ગાંધીજીની શહાદતને અંજલિ અપાઈ છે. જેમાં સત્યમય સૂરજના કિરણને પામવા પલેપલ તપનાર તેઓ આખરે “હે રામ' કહી “કિરણ હૈ કિરણમાં ભળી ગયાનું કવિ કહે છે. “કવિ ઓડેનની સ્મૃતિમાં લખાયેલા કાવ્યમાં ધસમસતા પ્રવૃત્તિમય જગત અને બીજી બાજુ હંમેશ માટે પોઢી ગયેલા કવિનો વિરોધાભાસ કવિએ રચી આપ્યો છે. પુલ નીચેથી ધીમે વહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust