SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 451 ગટગટાવી જનારનેય અંતે ફૂલોથી ઢબૂરવાનું કેવું વરવું લાગતું ? ગાંધીજીને અંજલિ આપતાં કરણકટાક્ષ કરતાં કવિ ચંદ્રશંકર ભટ્ટ ગાંધીને નામે સૌએ રાજ લઈને, બદલામાં એમને કેવળ એક ઘાટ, આપ્યાની વ્યથાને વ્યક્ત કરે છે. - કવિ મનોજ ખંડેરિયા (“અટકળ') રાવજીને અંજલિ અર્પતાં (‘રાવજીસ્મૃતિ') લાલ ચણોઠીથી ટેકરીઓ શણગારવાની વાત કરે છે. કવિ કહે છે દૂર ક્ષિતિજે કવિ રાવજી લાલ કશું નીરખશે, ને એની આંખે લાલ ચણોઠીના સૂરજ ઊગશે. કવિ ફકીરમહમ્મદ મનસુરી (“ઇજન”) “પૂ. ભાઈકાકાને અંજલિ આપતાં એમને ચારુતર ભૂમિના “જિગર' કહે છે. સ્વપ્નશિલ્પી ભાઈકાકાના પૌરુષે ચારુતરની ધરા સિંચાઈ હોવાનું તેઓ કહે છે. “વલ્લભવિદ્યાનગરીમાં પણ નગરીની વાત કરતાં, પરોક્ષ રીતે ભાઈકાકાને જ અંજલિ અપાઈ છે. કવિ યશવંત ત્રિવેદી સ્વ. મણિલાલ દેસાઈને અંજલિ આપતાં “અહીંથી અકાળે ખરી પડેલું એ ફૂલ એકાએક આકાશમાં ઊગી ગયાનું કહે છે. હ રાને રીજી” પણ મણિલાલને અપાયેલી અંજલિ છે. જેમાં મણિલાલને એક ગીત ગૂંથી આપવાની વિનંતિ કરાઈ છે. એમનાં છાનાં ગીતોનો લય દાડમડીનાં ફૂલનું કેસર થઈને કૂદે છે દેશવટાનું ગીત ગૂંથી આપવા અંતે વિનંતિ કરાઈ છે. શેલિને અંજલિ આપતાં કવિ યશવંત ત્રિવેદીએ શેલિની જલશયા તળે સમયની દેવી કલ્પાંત કરતી હોય એવી કલ્પના કરી છે. “સીડનહામ કૉલેજ' આયોજિત “કલાપી શતાબ્દી મહોત્સવમાં કલાપીને અંજલિ આપતાં કાવ્યો યશવંતે વાંચ્યાં હતાં. જેમાં કલાપીને તેઓએ “જોગી ઠાકુર' તરીકે બિરદાવેલા. રમા અને શોભનાને કલાપીની અને વિશ્વ કવિતાની “પ્રેમલિપિ' તરીકે તેઓ ઓળખાવે છે. કલાપીના મૃત્યુને યાદ કરતાં કવિ લખે છે. દસમી જૂન ઓગણીસોની લથડતી રાત છવ્વીસ વરસની છાતીમાં લીલા કાચ અગ્નિનો ડાઘ” 27 દુનિયાની તમામ સ્ત્રીઓના એક નામ તરીકે “મીનાકુમારી'ના નામને ઓળખાવતા કવિ યશવંત ત્રિવેદી મીનાકુમારીને અંજલિ આપતાં લખે છે. “તમે ખૂબ થાકી ગયા હશો એટલેજ ચાલીસમે વર્ષે જિંદગીને માઈલસ્ટોનમાં ઊભી રાખી ખુદ ચાલી નીકળ્યાં” 228 મીનાકુમારી હવે એક Myth' બની ગયાનું તેઓ કહે છે. કવિ કહે છે. “પાલી હિલ પરથી હજારો આશિકો તમારો જનાજો લઈ હમણાં નીચે, ઊતરશે મીના, પણ હવે તમે નહીં હો” 229 રિલ્કની પ્રિયતમાને ઉદ્દેશીને વાત કરતાં કવિ અંતે તો રિલ્કને જ અંજલિ આપે છે. કવિ કહે છે. કાવ્યનાયક સાધ્વીઓનાં વસ્ત્રો પહેરી શોકાંતિકાઓ ગાતાં હશે, ત્યારે તેઓ ફરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy