________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 450 “સમાયો' નહીં “સંતાયો’ કહેતા કવિને એ મિત્ર ફરી જડશે ની આશા છે. મણિલાલનું મૃત્યુ તેમજ કવિતા બંને રાવજીને ડસી ગયા છે. કવિ રમેશ પારેખે રાવજીની અસરને ભાવવિભોર બની ભરપૂર ઝીલી છે. “રાવજીનો કાવ્યસંગ્રહ વાંચતાં (‘ખડિંગ') નામનું અંજલિકાવ્ય રમેશ પારેખ આપે છે. એક બાજુ ઔષધ પીતો કવિ પોલો પોલો લાગે. એક તાળીએ, જૂઠું બુઠું રાવજીનું મયણું ઝીલે છે, ને બીજી બાજુ રાવજીને.... કઈ બાજુથી ઝીલવા ? રાવજીની લિપિની બળી ગયેલી સુંદરીઓ હજુય વળ નથી મેલતી. “હું ય રાવજી, બળીને ભડથું થયેલ મૂઈ ચકલી માટે નગર નગર રઝળીને જોને, ચપટીક રાઈ માગું” 2 (8/9/71) અહી સ્વજનમૃત્યુને ખાળવાનો પ્રયાસ વ્યર્થ પુરવાર થયાનું સૂચવાય છે. સદ્ગત ઉમાશંકરને અંજલિ આપતાં રમેશ પારેખ (‘ગિરા નદીને તીર' “મળીશું” પૂર્તિ 9) બધી વ્યંજનાઓ શૂન્ય નજરે જોતી કવિની પથારી પાસે નત મસ્તકે ઊભા રહ્યાનું કવિ કહ્યું છે. કવિ અનિલ જોશી (“કદાચ') મણિલાલને અંજલિ આપતાં, સદૂગત મિત્રને વાલમનો હરિયાળો કોલ આવ્યાનું કહે છે. મૃત્યુને કવિ “હરિયાળો કોલ' કહે છે. રાવજીને અંજલિ આપતાં કવિ અનિલ જોશી, માનવના શરીરને, ઉંબરે પડેલ સંજવારી સાથે સરખાવે છે. જેને મેલી સૌ ચાલ્યું જતું હોય છે. રાવજીની આ પૃથ્વી પરની યાત્રા અધૂરી હોવાનું કહે છે. પન્ના નાયક “પ્રિયકાન્તને' (‘ફિલાડેલ્ફિઆ') અંજલિ આપતાં કહે છે. મેળાને વિસ્મયથી પૂર્ણપણે ભોગવતા કોઈ બાળકને હાથ ખેંચી મેળાની બહાર ઘસડી જનાર મૃત્યુને આવું કેમ સૂઝતું હશે? એ સમજાતું નથી. પ્રસિદ્ધ રંગકર્મી “પ્રવીણ જોશીને અંજલિ આપતાં પન્ના નાયક (‘ફિલાડેલ્ફિઆ') એવી કલ્પના કરે છે કે સઘળો સામાન સ્ટેશન પર છોડી, સાથે કશુંય લીધા વિના, કોઈનેય લીધા વિના એકલોજ (આખી ટ્રેનમાં) સૂતો સૂતો આંખ મીંચી બંધ હોઠે જીવનના એક અવનવા નાટકની સ્ક્રીપ્ટને મમળાવતો જાણે ચાલ્યો જાય છે. પાબ્લો નેરુદા' વિપીન પરીખનું કરણકટાક્ષ સભર અંજલિકાવ્ય છે. સત્તાધીશોની વાહવાહ ન કરનાર પાબ્લોને વિશિષ્ટ શૈલીમાં અહીં અંજલિ અપાઈ છે. વર્ષો પછી કદાચ એક બીજી સરકાર આવી પાબ્લોને કબરમાંથી ઊભા કરી લશ્કરી સલામી સાથે શાહી દબદબાથી પાબ્લોને રાષ્ટ્રના મહાન કવિ તરીકે જાહેર કરશે... ....પણ ત્યાં સુધી તો પાબ્લોને શાંતિથી સૂઈ રહેવાનું છે. લોકો ગાંધીજીને સહેજમાં ભૂલી ગયાની વેદના માધવ રામાનુજે "30 જાન્યુઆરી ૧૯૭૦માં રજૂ કરી છે. (‘તમે') ગાંધીજીની હત્યા એક ક્ષણમાં થઈ, કવિ પ્રશ્ન કરે છે એ વખતે ગાંધીજીના શ્વાસની છેલ્લી ગતિ કંપી હશે? કવિ શશિશિવમ્ “રાવજીને અંજલિ આપતાં (“રૂપરોમાંચ) ચોમેર ફેલાયેલી જીવનની વેરાનીની વાત કરે છે. લીલા ક્ય મધુરવા એ છોડવાની આગળ પાછળ કેવળ મૃગજળ * જ મૃગજળ હોવાનું કવિ કહે છે. “પ્રિયકાન્તને અંજલિ આપતાં શશિશિવમ્ એક શટર અર્થે બંધ કરતાં, બીજું આખું જીવનનું) અચાનક બંધ થઈ જવાનો વલોપાત કરે છે. ફૂલને P.P. Ag. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust