________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 449 પડ્યો હતો. પદ્મા કે મેઘનાને ધીરે વહેવાનું કવિ હવે કહી શકતા નથી. રઘુવીરને શ્રદ્ધા છે કે મુક્તિવીરોએ વાવેલી એમની કાયાઓ એ ઉર્વરભૂમિમાં ક્યારેક તો એ ઊગશે જ, ને ત્યારે સ્મૃતિમાંથી સરી આવીને ઉપસી આવશે પ્રાચીના ભાલમાં એક રક્તતિલક. ને એના ઉજાસમાં પછી કવિ ગાઈ ઊઠશે “મરિતે ચાઈના આમિ સુંદર ભુવને” 22 કવિ હરિકૃષ્ણ પાઠક રાવજીને પારિજાતની ગંધ સાથે સરખાવે છે. (‘રાવજીને') “ઓતરાદા ઓશીકાં કરી ગયો આખરે પોઢી' (પૃ. 96 “સૂરજ કદાચ ઊગે') ભડભડતી ચેહ સામે, ભીની આંખે બધા એ અલગારીને વળાવ્યાની ક્ષણને યાદ કરી લે છે. રાવજીનું શરીર ભલે ન હોય, પણ એ લયના ખાતરમાંથી ખીલેલાં સાચા શબ્દલોકનાં ફૂલ હવે ફોર્યા કરવાના, એ શ્રદ્ધા જરૂર છે. કવિ ચંદ્રકાંત શેઠ “રાવજી' નામનું અંજલિકાવ્ય આપે છે. (‘પવન રૂપેરી”) કવિ પ્રશ્ન કરે છે. મનનું રૂપ વાવીને કોળી ઊઠેલો એ કવિ માટીમાંય ઠરશે ખરો ? રાવજી નીંદરમાંય ઉજળું મરકી રહ્યો દેખાય છે, ને એની લુખ્ખી આંખોમાં કવિને ખેતરના લીલામોલ દેખાયા. “આટ આટલા કાષ્ઠ વચાળે, કાષ્ઠ બનીને સૂતો વાળામાં જવાળા થે હડહડ પૂગ્યો” 23 બધાં કાષ્ઠ પર કોક અજપે ફરી વળીને ફિક્કા હાથે કશાકને આલિંગન દેવા મથતો હારી, થાકી, હાંફી પાછો, શાંત ભસ્મમાં શાંત પડીને સતો ૨૨૪મી છે એ ચંદ્રકાંતે “આમ થાય કે ?કાવ્ય સદૂગત ચિત્રકાર શ્રી શિવભાઈ પંડ્યાની સ્મૃતિમાં લખ્યું. કેનવાસના અવકાશે શ્વેત અવકાશ બની પોતે ક્યાં ભળ્યા ? ક્યાં છૂટયા ?' જરાક રંગભર્યો પ્રતિસાદ, જરાક હોંકારો સાંભળવા તેઓ ઉત્સુક છે. (‘પડઘાની પેલે પાર') : કવિ મણિલાલ દેસાઈએ કેનેડીની હત્યા સંદર્ભે “તો પછી ચાલો' નામનું અંજલિકાવ્ય રચ્યું. જેમાં “કબરથી જીવતા થઈ બહાર નીકળવાનો એટલે કે, કેનેડી જીવતા હોવાનો, મરી ન ગયાનો, અનુભવ કરતા કવિ કહી ઊઠે છે. “ફૂલો કોઈ શાને મૂકી જાય છે” ? ૨૨૪-બ લાલબહાદુર શાસ્ત્રીના અવસાન સમયે કબૂતરે સ્થિર મૃતવત્ બની ભોમ પર નળિયાં જેમ બેસી રહ્યાનું મણિલાલ વર્ણવે છે. જે શાંતિદૂત પણ ઠરી ગયાનું પ્રતીક છે. રાવજી પટેલ મણિલાલને અંજલિ આપતાં “કવિતા” બનીને દિલ ખોલવા સદ્ગતને વિનવે છે. બાવળનાં પીળાં, ફૂલ થઈને રાવજીના શૈશવને જાણે એ ગાતો, રાવજી કહે છે. “તું મારી માટીનો જાયો માટીના સ્તનમાં ક્યાં સંતાયો”? 225 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust