________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 448 અદ્યતન યુગ - અંજલિકાવ્યો સુશીલા ઝવેરી કવિલોકમાં પાઠક સાહેબના “છેલ્લું દર્શન' કાવ્ય વાંચીને હરાવ્યેન પાઠક કલ્પના કરતાં હોય તેમ “પરકાયા પ્રવેશ' નામનું એક અંજલિકાવ્ય રચે છે. (“અનાહત') દઈ અગનઅંક મંગળ, બધુંજ સૌભાગ્યનું બન્યું જીવન માત્ર ના, - પણ સુધન્ય મૃત્યુ થયું” 18 પ્રિયકાંત મણિયારને અંજલિ આપતાં સુશીલા ઝવેરી કહે છે ઉપટેલા રંગની ઓછપમાં કણસી રહ્યાં મઘમઘતાં ચાંદલો ને ચૂડી ... ફૂલોની ફોરમ અહીં ઓછી પડી કે તમે - ઝાકળની જેમ ગયા ઊડી” 19 - ચંદ્રા જાડેજા ગાંધીને અંજલિ આપતાં (‘અમૃતની હેલી') જડતાના કણકણને એક સ્પર્શે જીવતું કરનારને યાદ કરે છે. હિંસાની હારમાં પણ ગાંધીજી દુનિયાની દીવી જેવું જીવન જીવ્યાનો અહોભાવ વ્યક્ત થયો છે. કવિ મકરંદ દવે રિલ્કની સંગિની બેનનુટાને અંજલિ આપતાં (‘સંગતિ') પ્રિયતમાએ પ્રેમીને આપેલી કસકભરી વિદાયને યાદ કરે છે. પૃથ્વીલોકમાં કવિની જીવનસંગિનીએ હૈયે આગ ધરી, સ્થૂળ મૃત્યુની સામે પ્રેમનો વિજય ગાયો. ને પ્રેમસ્મરણો દ્વારા જીવનનું સંગીત રચ્યું. કવિ જગદીશ જોશી Freedom at Midnight' વાંચ્યા પછી ગાંધીજીની અંતિમ વેદનાના ચિત્કારરૂપે બાને અંજલિ આપતું કાવ્ય રચે છે. સદ્ગત બાને જાણે બાપુ પૂછે છે બા, મારાં જીવનસંગિની બા તમે ? પણ આરસ બોલ્યો નહીં” 220 ગાંધી ઇરવીન કરારથી ગુરચરનસિંઘને સૌ પ્રથમ લાભ મળ્યો, ને ફાંસીને માંચડેથી એ પાછો વળ્યો, ને ત્યારથી એ ગાંધીજીની પાછળ પાછળ ફર્યો. ગાંધીજીએ છેલ્લા શ્વાસ લીધા તે આ ગુરુચરનસિંઘના ખોળામાં. “ખોળામાં લેનાર ભાઈ તું છે કોણ ? એ પ્રશ્નના જવાબમાં ગુરુચરનસિંધ કહે છે. “હું તો પેલો ઇસુ જ છું બાપુ જેને તમે ક્રૂસ ઉપર જડાઈ જતાં છેલ્લી ઘડીએ બચાવ્યો હું ઇસુ છું, મારા તથાગતની શોધમાં, બાપુ પાણી પાઉં” ? રસ કવિ નાટ્યકાર શેક્સપિયરને ચારસો વર્ષ પૂરાં થતાં, એ નિમિત્તે રઘુવીર ચૌધરી અંજલિ આપે છે. (“શેક્સપિયર-ચાર વેદના') જેમાં શેક્સપિયરે વૃદ્ધ થયા વિના અનુભવેલી ચાર ચાર મૃત્યુની વેદનાને શબ્દબદ્ધ કરાઈ છે. કવિવર રવીન્દ્રનાથની પુણ્યતિથિ નિમિત્તે રઘુવીર “ઇચ્છામતીને તીરે' કાવ્ય રચે છે. નવજાત શિશુને ખોતી માતાનો સાદ કવિને કાને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust