________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 444 “ચરણો તો ચાલી જતાં પડી રહે છે ભાતુ 50 માણસ ચાલ્યો જાય છે. સ્મરણો રહી જાય છે. કાળ અડીખમ બધું જુએ.. આ કવિ વિનોદ જોશી ‘કાળના ચલકચલાણાને ક્રૂર ગણાવે છે. (“તુણ્ડિલ તુણ્ડિકા) રાજા અને કિન્નરીની પ્રશ્નોત્તરીમાં કાળના આ સતત ચાલતા ચગડોળની કવિએ વાત કરી 1 કવયિત્રી દક્ષા દેસાઈ કાળરૂપી ઊંટડાની વાત કરે છે. (“શબ્દાંચલ' “વણજારું') મહાભિનિષ્ક્રમણમાં સમયના શાંત મહાસાગરમાં ડૂબકી મારવાની વાત કરતાં કવયિત્રી અસ્તિત્વના વિલયની જ વાત કરે છે. માણસ ઓગળીને મીણ બને છે, પણ કાળ સદા અડીખમ રહે છે. એ વાત ધીમેધીમે'માં (નિર્જળા નદી) કવિએ કરી છે. કાળ કદી કરમાતો નથી. સમેટાય છે તે તો જીવનની બાજી. સમયનો એકતારો સતત વાગ્યા કરતો હોવાની વાત “મૃત્યુગીત-૨માં કરાઈ છે. કવિ ઈન્દુકુમાર ત્રિવેદી “કાળવંદના' નામના કાવ્યમાં (“સંનિવાસ') કૃષ્ણનિધનનો સુંદર સંદર્ભ રચી આપે છે. તેઓ કહે છે, કાળદેવતાને પણ પ્રભુચરણે નમવાનું મન થયું. ખૂબ ઘૂમીને થાકેલાં ચરણોમાં તીર ખૂંપે છે, ને કવિ કલ્પના કરે છે, જાતે આવીને કાળભગવાને જાણે કૃષ્ણને પ્રણામ કર્યા ને કર્મમુક્તિ આપી. A કવિ યજ્ઞેશ દવે કહે છે ‘ત્રિકાળજ્ઞાનીને પણ મૃત્યુ તો ન જ છોડે.” (“જળની આંખે') ત્રિકાળ જ્ઞાનીઓ હવે માટીમાં માટી છે. ને અગ્નિમાં અગ્નિ. (કેસેન્દ્રા, સહદેવ, ટાયરેશિયસ) રોજ સાંજે સમય મૃત્યુને આંજે છે. સમય માં છે મૃત્યુને. ને છતાં અશ્વત્થામા'માં કવિએ કાળનેય મરતો કથ્થો છે. : “....જ્યાં મરે છે કાળા કે કામ ધીમે ધીમે, કોહવાતાં જતાં પાંદડાની જેમ..... બધો ભાગ હવે મરણના મુખમાં 11 બધે મીંઢા મૌનનું મરણવર્તી સામ્રાજય કાળ જેવું વિકરાળ સ્વરૂપ છે” ૧૧-બ સમુદ્ર' નામના પ્રતીકાત્મક કાવ્યમાં પવન, રેતી, ને જળ કાળનાં જ પ્રતીકો છે. “હજી હમણાં જ ચાલ્યાં ગયેલાં ચાર પગલાંની લિપિને | કોઈ નાદાન બાળકની જેમ જ ભૂંસી નાખે છે પવન, રેતી, ને જળ ને ફરી આલેખે છે કોઈ નવી જ લિપિ” પર પ્રીતિ સેનગુપ્તા, પશ્ચિમના આકાશમાં સંધ્યાની રક્તરેખા રાતની કાલિમા નથી બની, ત્યાં સુધી ગીતના સૂરોને શાંત નદીના પ્રવાહ સાથે કાળના મહાસાગરમાં અંગભૂત થઈ જવા કહે છે. જીવનની અગ્નિજ્વાળા ઊધ્વપથગામી જ્યોતિ થવાને હજી અલ્પ સમયનું દાન બાકી હોવાનું કહે છે. અવિરત ઝરતો બરફ મહાકાળે અદશ્ય અક્ષરે લખેલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust