SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 442 ઓળખાવે છે. ને પોતાને નદી કિનારાની ભેખડ, સમય કેવળ કાંચળી છીનવતો નથી, આકારનેય ત્વચાથી ઉખેડીને ભૂંસી નાખતો હોવાનું વાસ્તવ કવિ “મરણની વાત છે'માં વ્યક્ત કરે છે. સમય અંતે માનવના અસ્તિત્વને ભૂંસી નાખે છે. સમય જ મૃત્યુને લઈ આવે છે. ને પછી અસ્તિત્વ સંપૂર્ણતઃ છિનવાઈ જાય છે. પારિજાત-૧-૨'નાં સ્મૃતિ આંદોલનોમાં સમયની નિર્દય થપાટ'ની વાત કરાઈ છે. “કાળશબ'માં ઓસરતા કાળનો ઉલ્લેખ થયી છે. અવ્યક્ત પળની મીઠી ખુબુ સમેટાઈ ગયેલી હોવાનું કહેતા કવિ “કાળનેય મરેલો’ ગણાવે છે. કાળી કીડી સમી ક્ષણો, કાળના શબને ઢસડતી' હોવાની કલ્પના કવિએ કરી છે. કવિ સુધીર દેસાઈએ ઘડિયાળમાં (સમયમાં) રહેવાનું શરૂ કર્યું ત્યારથી કોલાહલ તેમના રક્તમાં ભળીને વહેતો હોવાનું અનુભવે છે. કવિ હસમુખ મઢીવાળા સમયને આભના ઊંડાણમાં રહેતો ને રેતની રજકણમાં વહેતો કલ્પ છે. (“સમયને” “યરલવ') આમ્રકુંજોની ઘટામાં અણદીઠ કોયલના કંઠમાં સમય જ ગાતો હોવાનું તેઓ કહે છે. તો બીજે છેડે આ જ સમય માનવીના દેહના પોલાણમાં જિંદગીને ઉચ્છવાસરૂપે ફોલી ખાતોય એમણે અનુભવ્યો છે. દુષ્કાળ તથા રોગના ઓળા પર શબ બની નિત્ય લહેરાતો સમય પણ કવિએ જોયો છે. જન્મટાણે શ્વાસમાં બંધાયેલો મૃત્યુટાણે મુક્ત થઈ જાતો સમય” 208 માનવના મરણ સમયે, મરનારનો સમય પણ મુક્ત બની જાય છે. કાળની અફર માગણીને શિ થઈ, અણમૂલ સંપત્તિ સમા પિતાને કાળને હવાલે કરી દેવા પડ્યાનું દુઃખ કવિને છે. | કવિ નીતિન મહેતા પણ મરનાર માણસ માટે, ઘડિયાળ-સમય બધું જ વિરમી જતું હોવાની વાત કરે છે. શ્વાસ વિરમી જતાં કાચની જેમ માણસ તૂટી જાય છે. ને ત્યારે મરનાર માણસ માટે કાળ થીજી જતો હોય છે. કવિ શિવ પંડ્યાએ ૧૯૭૫માં એમને થયેલા હૃદયરોગના ભારે હુમલા વખતે જાણે મૃત્યુનો સાક્ષાત અનુભવ કર્યો, ને “સમય નથી'નું ભાન એમને થયું. બારે માસ હરણફાળ ભરતા કાળને કવિ ક્યારેય ભૂલ્યા નથી. કવિ કહે છે “રેતીના અક્કેક કણ પર સમય ઊડયા કરે છે. ને વામણો દેહ પણ પીગળ્યા કરે છે, ને છતાં સમયથી કવિ બીવા માગતા નથી. કવિ કહે છે “ક્યાં સુધી આ જીવને પાળ્યા કરીશું' ? 9 પોતાને જ્ઞાનદીપ તરીકે ઓળખાવતા કવિ “અક્ષયકાળ' પણ પોતેજ હોવાનું જણાવે છે. પણ આમ કહેનાર અંતે અચાનક “દેહવિલય” પણ પામે છે. ખચકો પડે છે અચાનક. કોઈ પોતાની જાતને અક્ષયકાળ' તરીકે ઓળખાવી શકે નહિ. “કાળ' અક્ષય હશે, પણ માનવશરીર “અક્ષય” નથી. ' સતીશ ડણાક માનવને સમયનું પંખી' કહે છે. (‘એકાન્ત વાસ') સમયની રેત પર તેઓ પત્નીની સાથે ચાલ્યા હતા. પણ પત્નીનું અવસાન થતાં સમયનો પહાડ જાણે એમને માટે થીજી ગયો. ને પછી ભીના સમયના વાયરા કણસ્યા કરે છે. કવિ અજિત ઠાકોર “મૃત્યુ-૨'માં કાળો સમય ઉંબરાને ખોદી રહ્યાનું કહે છે. “ઘરમાં સમયની પાછા પગે થતી કોઈકની અવરજવર, તથા કોઈક પડછાયાની વાત મૃત્યુનું સૂચન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy