SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 441 યોસેફ મેકવાને વાત કરી છે. તેઓ કહે છે છે . “શ્વાસની નાજુક આંગળિયો પસવાર્યા કરે છે સમયને” 25 મહેશ દવે કહે છે (‘બીજો સૂર્ય) મૃત્યુ સમયથી પર શી રીતે હોઈ શકે? પોતાની જેમ જ સમય પણ ટાવરના લોલક પરથી ઝૂલ્યા કરતો એમને દેખાય છે. કવિ મૃત્યુ અને સમય બંનેને “અનંત' કહે છે. કાળનો સર્પ કાળને ઢંઢોળતો હોય એવી કલ્પના તેઓએ ‘શૂન્યવાદ' નામના કાવ્યમાં કરી છે. કવિ મનોજ ખંડેરિયા કોઈક સ્વજનનો મૃત્યુ સંદર્ભે હવાને કાળના ભેજમાં ખવાતી હોવાનું કહ્યું છે. “મારો અભાવ' કાવ્યનો નાયક પોતાને કાળના પંખીની પાંખના પીંછા' તરીકે ઓળખાવે છે. હું તો છું પીંછું કાળના પંખીની પાંખનું” રજ ચારે બાજુ સમયનું વમળ ઘુમરાતું હોવાનું કવિ કહે છે.. “હવે સાંજ થઈ , દૂર ઝાલર બજે ને ક્ષિતિજે ક્ષણોનો ઊડે રંગ ગેર” ર૦૦ તો ક્યાંક કાળ મીણ બની ઓગળતો હોવાનુંય કવિ અનુભવે છે. કવિ ફકીર મહમ્મદ મનસુરી કાળને હંફાવવાની વાત કરે છે. કાળને ધોખો દેવાની ખુમારી એમનામાં છે. આ કવિ પ્રવીણ દરજી જન્મ, જીવન અને મૃત્યુ, દરેકના નિમિત્ત તરીકે ‘સમય’ ઓળખાવે છે. સમયને તેઓ સર્પ, છબ, ભ્રમ ને તરફડતી માછલી તરીકે પણ ગણાવે સમય” એટલે ઇવ અને આદમને ખાતાં “અવશિષ્ટ રહેલું ફળ' પણ તેઓ કહે કેલેન્ડરના જીર્ણ પાનાં પર બાઝેલા સમયનો છેલ્લો કોળિયો “ઉધઈના (મૃત્યુના) મ | જવાની વાત, કવિજીવનને સમયનો પર્યાય' કહે છે. સમયને અમળાતો ને કણસતો પ. અનુભવાયો છે. પ્રવીણ દરજી કાળની ગતિને સતત અર્થ આપ્યા કરતા માનવની વાત (ઉત્સવ') કરે છે. તો બીજી તરફ કાળ પણ માણસની સામે સતત એક આહ્વાન બનીને વિશેષ નવાં વિચિત્ર અણધાર્યા પરિણામો દાખવતો હોવાનું કવિ કહે છે. કાળની ક્રૂરતા, સત્ત્વ, સૌંદર્ય, માધુર્ય, પ્રણયનાં પરિપોષક તત્ત્વોની વિનષ્ટિ કરે છે. વિલક્ષણ પળની કરાડ પર એકાએક આપણી યાત્રા થંભી જાય છે. આપણાં ચૈતન્યો છિદ્રિત થઈ જતાં આપણે ઢગલો થઈ જઈએ છીએ. કાળ ફરીથી એની ડાકલી વગાડવી શરૂ કરે છે, ને પેલાં અશ્મિઓનાં પોલાણોની બંશીમાંથી મૃત્યુની સિસોટીઓ વાગવી શરૂ થાય છે. પ્રવીણ દરજી કહે છે “સમય બધું શીખવી દેશે'. ૧૯૭૪માં “સંભવ' સંગ્રહ પ્રગટ કરનારા કવિ ભગવતીકુમાર શર્મા “ક્ષણોમાં વિલાતી ક્ષણો ને ટૂંકી થતી જિંદગીની વાત કરે છે. “મળાતું નથી'માં સમયની સાથે ઘસડાતા માનવની લાચારીનું કવિ વર્ણન કરે છે. કાળ કદી મરતો ન હોવાની વાત અનેક કવિઓ તથા સંતોએ કરી છે. ભગવતીકુમાર પણ “સંદર્ભશૂન્યતાનું રણ'માં આ બે વાત દોહરાવતાં લખે છે, “હું સમય છું, એટલે મરતો નથી”. આપણે ઘડિયાળ વડે કાળને માપીએ છીએ, પણ કાળ કદી ઘડિયાળમાં ક્યાં પુરાય છે ? જળને કવિ જન્માન્તરોના ભરડા તરીકે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy