________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 439 પાઠક “અડખેપડખે'માં કાળને બુદા મદારી સાથે સરખાવે છે. (“સૂરજ કદાચ ઊગે'). “ક્યાંક અગોચર રહીને બુદ્દો કાળ-મદારી, એવાં મહુવર છેડે રે” 201 - ચિનુ મોદીએ કાળને વાગોળોની પેઠે ઊંધે માથે લટકતો કસ્યો છે. શ્વાસની ઘડિયાળ, અંતે અટકી જતી હોય છે. (‘પછીથી” “ક્ષણોના મહેલમાં) ઉલૂકનો ભીનો પડછાયો કાળના અંધકારઘેર્યા વર્ચસ્વનું પ્રતીક બનીને આવે છે. “ક્ષણક્ષણનું મૃત્યુ નીપજાવી જાણે સરતો કાળ' ‘કાળનું ફળ રોજ વિકસતું હોવાની પ્રતીતિ કવિને થાય છે. (“શાપિતવનમાં પૃ.૩૧) | ચંદ્રકાન્ત શેઠ પોતાનો સમય ધીમેથી અતલ ઊંડાણે ડૂબતો અનુભવે છે. શ્વાસ થંભી જતા હોય એમ લાગે છે. ભીતરના અંગારે વળતી રાખ, જવાના સમયનો સંકેત આપે છે. (“સમય થયો છે' “પવન રૂપેરી') કવિ સૃષ્ટિ ને કાળના કાનન તરીકે, ઓળખાવે છે. તો ક્યાંક “સમયસર હોલવાઈ જવાની, મૃત્યુ પામવાની વાતેય કવિ કરે છે. (‘પડઘાની પેલેપાર) સવાર, સાંજ અને રાતનો સંદર્ભ ગૂંથતાં કવિ મણિલાલ દેસાઈ સમય મરી જવાની વાત કરે છે, ને જીવનને “કાળના વન સમું' કહે છે ને સૂર્યને ‘કાળમુખો'. રાવજી પટેલ “નવજન્મ-મૃત્યુ કાવ્યો'માં “મશ્કરી સમયની થઈ જાય મુજથી જરી' (‘અંગત' પૃ. 58) એમ કહે છે. મૃત્યુસમયની શાંતિનો નિર્દેશ કરતાં કવિ કહે છે. આંખને ખબર ન પડે એમ સમય પણ શાંત થઈ જાય છે. મરનાર સમયની યે પાર પહોંચી જાય છે. (જનાર માટે તો સમય શાંત જ થઈ જાય છે) રાવજી પટેલ સમયને વ્યાપક પરિમાણમાં આલેખે છે. (“સમય”) આયુષ્ય હજી વિલાયું નથી, એ સૂચવવા આયુષ્યના સમયને રતાશછાયો કહી તેઓ ઓળખાવે છે. કાવ્યનાયક કહે છે “મારા અશક્ત પગથી અવ કાળ ખેડુ” ર૦ર હરીન્દ્રને કાળના વહેણની પરવા નથી. પણ અવિરત કાર્યશીલ એવા મૃત્યુની એમને જરૂર ચિંતા છે. સમયના ઘંટનો બજાવનાર થાકી જતાં બીજો હાથ બદલશે, એ વચ્ચેની પળમાં મૃત્યુ પળક વિરામ કરશે ખરું? - કવિ રમેશ પારેખ મરનાર માટે આવી જતા સમયના પૂર્ણવિરામની વાત આ રીતે કરે છે. “દીવા તડાક, આલે, ખડિંગ છાતી ફાટ ખર્યું બંધાણી કાલના ગોટેગોટા ખરી પડ્યા” 23 - પ્રત્યેક માનવ અને એની નજર સમયની કેદમાં બદ્ધ હોવાનું કવિ કહે છે. પોતે એકલા હોત તો ક્યારનોય ભાગી છૂટ્યો હોત. જો એકલો જ હોત, તો થઈ જાત હું ફરાર ર છીએ સમયની કેદમાં, મારી નજર ને હું ર૦૪ કવિ અનિલ જોશી (‘એક પ્રશ્ન) સમય ક્યારેય પસાર થતો ન હોવાની વાત કરે છે. વ્યક્તિ જ પસાર થઈ જતી હોય છે. કવિ સિતાશુ યશશ્ચંદ્ર ધબકતી નાડીને ઘડિયાળ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust