________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ *438 કાળપરક' કહે છે. ડૉ. સુમન શાહ “કાલગ્રંથિને લાભશંકરની કાવ્યસૃષ્ટિના મોંઘા “સ્થિત્યન્તર' તરીકે ઓળખાવે છે. કાળ જીવનરૂપે, મૃત્યરૂપે અરણરૂપે અનુભવાય છે. અખંડ, પરિપૂર્ણ અનવદ્ય, નિર%, સોલિડ સમયનો આવો પૂર્ણ સાક્ષાત્કાર કદી નથી થયો. સમયને કવિ લાભશંકરે નિતાંત વેદનારૂપે અખંડ અમિશ્રરૂપે કલ્લાકો કલ્લાકો સુધી સજીવ દેહમાંથી ચેતનામાંથી સ-ર-ક-તો, સ-ર-ક-તો અનુભવ્યો. સમયને કવિ મેટાફોરિકલ ટપકાંઓ તરીકે ઓળખાવે છે. વિચ્છિન્ન સાવ અલગ, ‘ટયૂમર’ નામના કાવ્યમાં મનુષ્ય માત્રને મળેલી જન્મજાત ઇનેટ ટયૂમરની વાત કરતાં “ધ ટયૂમર ઓફ ટાઈમ'ની વાત કરે છે કાલોહિ નામગ્રંથિ સ્વયંભૂ “હ્યુમન સ્પિસિસ'ના આરંભ સાથે એનો આરંભ સ સૂક્ષ્મામ્ અપિ કલામ ન લીયતે ઈતિ કાલ” 198 એ સતત ધબકે છે કાલગ્રંથિ. મનુષ્યના મૃત્યુ સાથે મરનાર વ્યક્તિ માટે અટકી જાય છે “કાલગ્રંથિ' “બધું સંકળાય છે અને સર્જાય છે મનુષ્યની કાલગ્રંથિના નિમિષોન્મેષથી. કાલઃ સંકલયતિ મને તમને બચુભાઈઓને એ વિભક્ત કરે છે, અને સંકલિત કરે છે 199 આ કાલગ્રંથિ મહાસમર્થ હોવાનું કવિ કહે છે. એ આદિ, મધ્ય અને અંતથી રહિત છે. કવિના (કદાચ બધાના) જીવનમરણનું કારણ છે કાલગ્રંથિ. નનામાને નામ આપી એ ભાષાના રસ્તે ઢસડી ચૂસી જાય છે. કાલગ્રંથિને ઉદેશી કવિ કહે છે “તું જ ચાંપ દબાવે છે, ને બધું ઉઘાડબંધ થાય છે. તારા જ (કાલગ્રંથિના) રસબસ તંતુઓમાં લથબથ સરકું છું. આમ ખખડ ખખડ સ્ટ્રેચરમાં ખખડ ખખડ બ્રાન્ત સ્ટ્રેચરમાં. “તું ગ્રસી લે નિશેષ' , તે પહેલા તને તાકતો અનિમેષ” 20 સૂક્ષ્મ છતાં સર્વવ્યાપ્ત ટયૂમર સર્વત્ર સમયનું જ ચેતન રસાયન બનીને આવે છે. - ૧૯૯૦માં પ્રકટ થયેલા “ટોળાં, અવાજ ઘોંઘાટ સંગ્રહમાં કવિ લાભશંકરે જીવનની નિરર્થકતાના સંદર્ભમાં “કાળને નિરૂપ્યો છે. “આવ્યા” ક્રિયાપદને કવિ ખોટું ગણાવે છે. કારણ કાળ નિરવધિ, સમગ્ર છે. એના ખંડ ન હોય. ભૂત, વર્તમાન, ભવિષ્ય, એ વળી શું? ક્યારેક સમયનો ભાર ગૂંગળાવે છે. “શિશ પર કાળ રહ્યો દંત કરડે, ગૂંગળામણ દમના દરદી જેવી પીડાનો અનુભવ કરાવે છે. સમયનું વજન તોતિંગ અને કાળમીંઢ છે, એનું વજનદાર ગાત્ર કદી તૂટતું નથી. “વિભાગ-૫માં કવિ કહે છે “અવિરત તો છે કેવળ સમય સમયને ઉલેચવાની વાત કરતો માણસ પોતે જ ઉલેચાઈ જતો હોય છે. સમયને ઉલેચવાની પ્રક્રિયામાંથી મળે છે મોત સુધીનું મૂળ. આ રઘુવીર ચૌધરી “મૃત્યુ' નામની ગઝલમાં સમયના મૃત્યુની વાત કરે છે. હરિકૃષ્ણ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust