________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 433 પથારીના દીસે સળ સુતનું કાયા હજી સૂતી” 10 મૃત્યુપળે પ્રિયજન નિકટ ન હોવાની વ્યથા કવયિત્રી કમલ વૈદ્ય વ્યક્ત કરે છે. કાવ્યનાયિકા દૂર દૂરને અંધાર ખેંચાઈ રહી હોવાનો અનુભવ કરે છે. મૃત્યુને પેલે પાર માત્ર અગનનો આધાર, પોતાને એ અવકાશદેહા લખે છે. જાણે કોઈ ભાર સરી જતો ન હોય. યોસેફ મેકવાન પણ ‘સ્મિત' (‘સ્વગત) કાવ્યમાં સદ્ગત પ્રિયાની સ્મૃતિના પંખીની જેમ ઉડાઉડ કરતાં સ્મરણોની વાત કરે છે. કોઈ સરકતા ધ્વનિની જેમ પ્રિયા સરકી ગઈ હોવાની વેદનાનો અનુભવ કાવ્યનાયકને થાય છે. જે પાછું નથી આવવાનું, એનીયે પ્રતીક્ષા કરી દેવાય છે. પ્રિયા ગયા પછી સ્મરણોનો સ્વાદ પણ ભૂરો થઈ ગયાનું અનુભવાય છે. પ્રિયાનો અનુભવ એટલે બંધ મુઠ્ઠીમાંનો સૂનકાર. કાવ્યનાયકની હરિયાળી કાવ્યપંક્તિઓ હશે પ્રિયાનું સ્મરણ માત્ર. શ્વાસે શ્વાસે સ્મરણ, તેથી પોતાના શ્વાસમાં પ્રિયા હોવાનો . અનુભવ કરે છે. કવિ મનોજ ખંડેરિયાએ (“અચાનક) “ને આજે અષાઢ હવે તો'માં ચિર-શાશ્વત વિરહિણીના હૈયાના સૂનકારને શબ્દબદ્ધ કર્યો છે. ઘરની ભીંતે, સિંદૂરિયા થાપામાં ને, રંગઢોલિયે સમયનો અવકાશ તરે છે. વરસાદ મન મૂકીને વરસે, કે ઘરમાં નેવા છલ છલ છલકે, માટીનું લીંપેલું હળ મહેંકી ઊઠે, પણ કાવ્યનાયિકા માટે તો બધું જ વેરી બની યશવંત ત્રિવેદી કહે છે. (‘પરિપ્રશ્ન) “મૃત્યુ એટલે તને અને મીતાને મળવા ધસમસાટ ફેલાઈ જવું. પ્રેમની ભરતી આવે છે ત્યારેજ બને કાંઠાને પૂર્ણતાથી મળાય છે અને પમાય પણ છે. પ્રિયમિલન મૃત્યુમાં પરિણમે તોય શું? કવિ પ્રવીણ દરજી પણ મૃત્યુ પર પ્રેમના વિજયની વાત કરે છે. (‘ઉત્સુઘી) પોતાની ભીતરમાં તુલસીના છોડની જેમ ઉછરેલી પ્રિય સખીને ભીની ભીની વિદાય અપાય છે. (“છેક બાળપણથી') આગિયાની પાંખ પર બેસી અંધકારમાં નિપ્પલક આંખે કાવ્યનાયક જોઈ રહેલા, ને છતાં પ્રિયજન સરકી જાય છે. (ખબરેય ન પડે તેમ મૃત્યુ લઈ જાય છે આપણાં સ્વજનોને). પોતાની હથેળી ને પોતે બંને શાપિત પુરવાર થાય છે. છે - “અને, તમે અચાનક સરકી ગયાં ને અટકી ગયો મારો રથ - મારી હથેળી, હું શાપિત પુરવાર થયાં. આ વિદાય * હાજરી માં 1 તમને જ સખી, : નાના અમથું અમથું ઘર ઘર ને અમથા અમથા વરવહુની રમતમાં તમાં તો ટટળેલા ત્રણ દાયકાની ભીની ભીની વિદાય” 191 સદ્ગત સખીને કાગળમાં શું લખવું એની વિમાસણને પણ કવિએ વાચા આપી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust