________________ તને ! અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 432 એવો વેધક પ્રશ્ન પૂછતી ગઈ. પ્રેમના ઝુરાપાની રઝળપાટને ગતિનું નામ આપી શકાય તેમ નથી, ને એટલે તો એ મૃત્યુ ઝંખે છે અવાજની દીવાલમાં જયારે અંતકાળ આવશે ત્યારે ધીમે ધીમે આકાશ ખરી પડશે. વૃક્ષો ખરી પડશે, મકાન ખરી પડશે, સૂરજ ખરી પડશે, નક્ષત્રો ખરી પડશે. એની બા ખરી પડશે, ને એ પોતે પણ. દુનિયાને વિદાય આપવી દોહ્યલી હોવાનું એ કહે છે. “ઓ મારી વ્હાલસોઈ દુનિયા તને વિદાય આપતાં આપતાં તો મારી આંખ જળાશય બની ગઈ છે” 88 “અનારકલીનું ડાઇંગ ડેકલેરેશન”માં (‘બરફનાં પંખી')ની અનારકલી જહાંપનાહને પોતાના પ્રેમની ખુમારીનો પરિચય આપતાં કહે છે, પોતે નથી ચણાતી, એક એક ઈંટ મૂકતો કડિયો ચણાય છે. શરીરને ચણવાથી શું?) “મને ચણીને શું કરશો? એવો, બેફિકરાઈભર્યો પ્રશ્ન અનારકલી કરે છે. શરીરને તો એ પ્રીતિનું ખાતર કહે છે. શરીર મરવાથી પ્રેમ મરવાનો નથી, એ વધુ બળવત્તર બનશે એવી શ્રદ્ધા એની છે. જયા મહેતા પણ પ્રેમની તાજગી તથા અતૂટતાની વાત “એક માત્ર તને જ'માં કરે છે. (“એક દિવસ) મૃત્યુ પણ પ્રેમને ખાળી ન શકે. યમરાજ પ્રેમના મૂલ્યની સાક્ષી પુરાવે. તેથી જ કાવ્યનાયિકા પ્રેમભાષાનો મહિમા વર્ણવે છે. “આંખ મીંચાય તે પહેલા'ની નાયિકા (‘આકાશમાં ચારા ચૂપ છે') હંમેશ માટે આંખ મીંચાય એ પહેલાં સ્વજન પ્રિયતમનો ઊંડો ઘેરો આÁ અવાજે આંખમાં ભરી લેવા માગે છે. પ્રિયજનને નખશિખ પોતાની આંખમાં એ ભરી લેવા ઈચ્છે છે. કારણ પોતાના મૃત્યુ બાદ આ બધું પામી નહિ શકાય. કવિ વિપીન પરીખના I hope' કાવ્યમાં (‘આશંકા') મૃત્યુ પછી ધરબી રાખેલી સંવેદનાઓનો ચિત્કાર રજૂ થયો છે. પ્રિયજનના મૃત્યુ પછી એના દેહને વળગીને બેસી રહેવાતું નથી એ સાચું. પણ કવિ કહે છે, “મૃતિ કોહિતી નથી'I hope you have recovered પૂછાતું ત્યારે નાહક વિષાદના વર્તુળને લંબાવવું ગમતું નહોતું છતાં I hope' એટલું કહેતામાં તો એ પાછી એકવાર ફસડાઈ પડે છે. મૃત પ્રિયજનની યાદ પાછી હલાવી જાય છે. શ્રદ્ધામાં કવિ (‘તલાશ') સદ્ગતનાં સ્મરણો વિશિષ્ટ આભાસરૂપે આવિષ્કાર પામતાં હોવાની વાત કરે છે. જેની મુલાયમતાથી એ પરિચિત છે. એવા એક દેહની (સદ્ગતના) સુગંધનો એ એકાંતવાસમાં અનુભવ કરે છે. સદ્દગતની સાથે સંવાદ રચાય છે ને પ્રશ્ન ઉદ્ભવે છે. “એ તું છે ? તું જે હજી ગઈ કાલે જ મારા કપાળેથી ચાંલ્લો ભૂસીને ચાલી ગયો હતો ને” ? 89 કવિ માધવ રામાનુજ “કોક કોકવાર' (‘તમે')માં સદ્ગત પ્રિયજનની યાદને ગૂંથે છે. વેલ્ય થઈ જવાની કાવ્યનાયકની ઇચ્છા, લગ્નસમયની વગડામાંથી પસાર થયેલી વેલ્યના સ્મરણ વાગોળે છે, કે જ્યાંથી પેલી પ્રિયા લજવાતી પસાર થઈ હતી. - કવિ શશિશિવમ્ “એકાંત પમરે' (‘રૂપરોમાંચ)માં પ્રિયજનની અનુપસ્થિતિમાં પણ એમને જોયાના વિભ્રમનો ચમત્કાર વર્ણવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust