________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 429 રહ્યાં. મૃણાલની નિપ્પલક પ્રતીક્ષા નિરર્થક છે, કેમકે મહેલને કિનારે એક પંખી પણ બેઠું છે. જે એને લઈને એક દિવસ તો ઊડી જશે. આ પ્રતીક્ષા મરણની દિશાને જ ખોલી આપે છે, પંખીના સશક્ત ચિત્ર વડે કવિએ મૃણાલના મરણને સુંદર રીતે વ્યંજિત કર્યું છે. પાંચમા એકમમાં આ દુઃસ્વપ્નનો અંત લાવવાનો જાણે કે ઈલાજ ફરમાવ્યો છે. “ઘરડું મરણ'તો પછી ભરખી જ જશે. એકમના ઉત્તરભાગમાં મરણ અને નાયક વચ્ચેની જાણે કે સંતાકૂકડી આલેખાઈ છે. કાવ્ય-નં-૭માં દેખીતું પ્રિયાવર્ણન અંતે મૃત્યુવર્ણન જ છે. અમાસના અંધકાર શી તસતસતી એની કાયા, એના સ્પર્શમાં ઝાકળની સુખદ શીતળ ભંગુરતા, પ્રેમની તેમજ જીવનની ભંગુરતાનો નિર્દેશ કરે છે. કાવ્ય ૧૧માં (ઇ. રા' પૃ. 16) પ્રેમની વિદાયના મૂહૂર્તની વાત કરતો કાવ્યનાયક વિરહ અને મૃત્યુને પરસ્પરના પર્યાય તરીકે આલેખે છે. પણ અંતે પ્રેમશ્રદ્ધા જ વ્યક્ત થાય જ છે. પ્રેમ તો પ્રેમીના મરણ પછી પણ આગળ દૂર દૂર જશે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. “આંધળી સ્મૃતિઓને રઝળાવશો નહિ' કહેતો કાવ્યનાયક જીવના પ્રયાણનું પગેરું શોધવાની ના પાડે છે. સાત સાગર ને સાત પર્વત પાર ઊડી ગયેલા મારા મરણના પાંખાળા ઘોડાના ભણકારા તું કાન માંડીને તારી નાડીમાં હજી સાંભળી રહી છે” 180 મૃત્યુ પામેલો નાયક, પ્રિયતમાને, બંનેએ સાથે મળી રચેલા પ્રેમના માયાવી જૂઠાણાને નાયિકાની ભડકે બળતી દૃષ્ટિની આંચથી એને સળગાવી દેવા સૂચવે છે. એ કહે છે. “છલનાના પાત્રમાંનું તારું એકાદ ચાંગળું સ્મિત મારા મરણ-વૃક્ષની ડાળે ટહૂકી ઊઠે તો તારા મૌનનો પથ્થર ફેંકીને એને ઉડાડી મૂકજે.... કટાઈ ગયેલા સિકકાની જેમ મેં ફગાવી દીધેલો સમય હવે તું આંસુથી ધોવા બેઠી છે ? ૮૧-ચ પોતે તો હવે શૂન્ય બની ગયો છે. પ્રિયતમ પોતાના અવસાન પછી આંસુ સારતી પ્રેમિકાને ઠપકો આપે છે. “મારા મરણના પરિપક્વ ફળનેય તું તારા દત્ત દંશથી કોરી નાખવાની ' . હામ ભીડશે ? ૧૮બ પોતાનું અવસાન થયા પછી પોતે પ્રિયતમાના સ્વપ્નના મહાલયમાં ઠાઠથી રહેતો હોવાનું કહે છે. પ્રિયાના શ્વાસની વીથિકાઓમાંથી એ લટાર મારવા નીકળે છે. પ્રિયતમ પોતાના મરણના આગ્નવસ્ત્રથી પ્રિયતમાની લજ્જાને ઢાંકે છે. “મારા મરણના અગ્નિવસ્ત્રથી તારી લજ્જા ઢાંકતો રહું છું” 82 ... P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak.Trust