SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 425 મૃત્યુ સામે તીર બેઠેલ પ્રિયતમના મિલન માટેની તક છે. મંગળ અવસર છે, એવી પરંપરાગત શ્રદ્ધા હરીન્દ્ર ધરાવે છે. મૃત્યુનો ઉતારો મોહક હોવાનું કવિ કહે છે. “પિંજરામાં રહી ગઈ કાયામાં મૃત્યુના કહેણનો નાજુક સંદર્ભ વણાયો છે. “મૃત્યુ એટ : વન', હરીન્દ્ર આમ પણ “વેણુનાદીના કવિ છે. મૃત્યુનેય એ કૃષ્ણની બંસીના નાદ રૂપે ઓળખાવે છે. જનારને કોણ રોકી શકે છે? ધૂપ થઈ ઊડી હું ચાલી " સંભાળો, હવે પિંજરામાં રહી ગઈ કાયા” s8-6 (74 મૌન) કહેતી પેલી ચેતના ચાલી જાય છે કોક અગમના દેશે. વ્યક્ત, અવ્યક્તમાં ભળી જાય છે, ને પછી છાનું હતું એ છતું થઈ ગયું. એના ગમનને જગતે “મૃત્યુનું નામ પણ આપી દીધું, ને જનાર જીવ પ્રિયતમ મૃત્યુના હાલના પારાવારમાં હિલોળા લેતો છલકાતો મલકાતો ચાલી ગયો ને સૌ જોતાજ રહી ગયા. અંતે શોર બધો શમી જાય, પેલા મન-મૃગની માયા બધી છિન્ન થઈ જાય. મૃત્યુ ચૂપચાપ હળવે હળવે આવે, ને એક હળવી ફૂંકે બધું જ ખેરવી જાય. તન મન ચૈતન્ય સઘળું. ઈન્દ્રિયો બધી નિર્જીવ બની જાય, પંચમહાભૂત, પેલા વિશાળ મહાભૂતમાં ભળી જાય. જયા મહેતા ગત અને અનાગતની વચ્ચેની ક્ષણમાં થતા વાવાઝોડામાં પણ એકએક તાંતણી ઝળહળતો અનુભવે છે. અહીં જે પ્રકાશ છે, તે બુઝાવા પહેલાનો નહિ, પણ અગ્નિના રથમાં બેઠા પછીનો. કવયિત્રી કહે છે, “દેહ સંકેલાઈ જતો હોય છે ત્યારે પણ આંખમાં કોઈ ટમટમે છે એ કોણ ? વેદઉપનિષદોએ નેતિ નેતિ કહી વર્ણવ્યો છે એ ? મૃત્યુના આગમનને તેઓ “તાજીલહર' કહે છે. જયા મહેતાએ “હોસ્પિટલ પોએમ્સ” છેલ્લે પાને silence Please' લખ્યું છે. જે ઘણું સૂચવી જાય છે. જીવનના બબડાટ ને ઘોઘાટ પછી મૃત્યુ જ શાંતિ આપી શકે “નીરવ મૌન છે મૃત્યુ તો', માંદગી સમયે આવતા મૃત્યુના વિચારો ક્યારેક દિવ્ય સંસ્પર્શ આપી જાય, બધો ભય ખરી પડે. શરણાગતિની ઉત્કૃષ્ટ સ્થિતિનું નિર્માણ થાય. “મૃત્યુ” ઈશ્વરનો જ પર્યાય બની જાય. ને પછી તો અસીમને બધું સોંપી દેવા જીવ તૈયાર થઈ જાય. “હવે તો હલેસાં હેઠાં મૂકી દીધાં છે સઢ ખોલી નાખ્યા છે શિર ઝુકાવી દીધું છે સુકાન સંભાળી લો હે અસીમ” 149 જયા મહેતા તો માને છે કે મૃત્યુ જીવનમાં બંધનમાંથી મુક્તિ અપાવે. જીવન તો સહરાનો રઝળપાટ છે. મૃત્યુના આગમનની ક્ષણે એ રઝળપાટ પૂરો થાય, ને પરમશાંતિનો અનુભવ થાય. હવાની તાજી લહરે, અન્ય દિવ્યલોકનાં બારણાં ખુલશે, કોઈક આવીને લઈ જશે, ને જીવનયાતનામાંથી મુક્ત કરશે, એવી શ્રદ્ધા કવયિત્રીને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy