SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 422 જન્મે છે, ને મરે છે. તે ક્ષણેક્ષણે પરમાણુઓની જેમ ખરે છે. કવિ ઈન્દુકુમાર ત્રિવેદી જિંદગી અને મૃત્યુની પરસ્પરની પ્રીતને અર્ધનારીનટેશ્વર, શિવપાર્વતી જેવા અનન્ય' કહે છે. બંનેની પ્રીત ખૂબ સૂક્ષ્મ હોવાનું કવિ કહે છે. કવિ યજ્ઞેશ દવે મૃત્યુને કોઈ એકાકી ધનિક પ્રૌઢાની જેમ, પોતાનો અસબાબ સાચવતું હોવાનું કલ્પ છે. દીપક જગતાપ, હજુ મૃત્યુ જન્યું જ ન હોવાથી, એનો ડર ન રાખવા જણાવે છે. કવયિત્રી ચૈતન્યવ્હેન દિવેટિયા પિતાની પ્રથમ પુણ્યતિથિએ “પુષ્પાંજલિ” નામનો સંગ્રહ આપે છે. જેમાં જન્મ તથા મૃત્યુ બંને સમયે જીવ એકાકી હોવાની વાત કરાઈ છે. શિવમાં ભળી જતાં બાહ્ય દીપક ભલે બુઝાય, પણ અંતે તેજ પરમ તેજમાં સમાઈ જાય છે. છપ્પનમે પાને ૮૩માં હાઈકુમાં ખરી જતા પાંદડાને સ્થાને નવી ફૂટતી કૂંપળનો નિર્દેશ જન્મ, મરણ-જન્મની જ વાત કરી જાય છે. “ખરે પાંદડાં, ફૂટે કૂંપળ વૃક્ષ | નવયૌવન” 140 દેવકુમાર પિનાકિન ત્રિવેદી જિંદગીના કાચા કોચલાને મોતની ચાંચ ખોતરી નાખતી હોવાનું કહે છે. જયારે ગર્ભવાસ ખૂટી જાય છે, ત્યારે કોચલું (અંધકાર, તૃષ્ણા) ફૂટી જાય છે ને પરમનો સૂરજ જોઈ શકાય છે, ને જ્ઞાન લાધે છે. - કવિ દ્વારકેશજી પ્રશ્ન કરે છે “કૃષ્ણ માયાવીનેય ક્યાં મરવું હતું?' પણ માનવશરીરધારીને તો મરવું જ રહ્યું. (‘પાંચ પાણીના દેશના') જગત એટલે જ કુરુક્ષેત્ર, જયાં રથિ, મહારથી, સારથિ સૌને મરવાનું જ. કૃષ્ણ જેવાનું પૂર્ણ વિરામ પારધીના બાણ વડે થયું. કવિ દ્વારકેશજી “બધું જ અટકી જવાનું છે એ સત્યથી સભાન છે. મંજરીની મહેકસમી જિંદગી પવનની પેઠે હાથથી જોતજોતામાં છટકી જવાની. કાચની પૂતળી જેવી જિંદગી સહેજમાં બટકી જવાની, ને પેલા શ્વાસ સાત ડગલાં ચાલી અટકી જવાનાં (‘લેબલ') મરણમાં જિંદગી, ને જિંદગીમાં મરણ હોવાની વાત કરતાં કવિ જયેન્દ્ર મહેતા (“વસંત અને પાનખર') “આશ્ચર્ય' નામના કાવ્યમાં મોતને “બહેતર' ગણાવે છે. કવિ યજ્ઞેશ દવે માને છે (“જળની આંખે') કે શ્વાસે શ્વાસે આપણા મૃત્યુનો કાયાકલ્પ થતો જાય છે. “અશ્વત્થામા' પ્રત્યેક માનવનું પ્રતીક બનીને આવે છે. “આ એક. જન્મની ઓરમાં જ વીંટળાઈ વીંટળાઈને મળ્યા છે અનેક જન્મો 1 અશ્વત્થામા નામના હાથીને અશ્વત્થામા સદ્દભાગી માને છે, કારણ એને મૃત્યુ મળ્યું. પૃથ્વીપટે અહરહ નિરુદ્દેશ ભટક્યા કરતો પીડિત અશ્વત્થામાં જીવનને અભિશાપ માને છે. ને મૃત્યુને નિરર્થક. - ૧૯૮૮માં “લ્હરો જળ' નામનો કાવ્યસંગ્રહ લઈને આવતા કવિ કનુ સુથાર કહે છે. ખર્યું ગુલાબ - વેરીએથી મારગ હવે ન મહેકે દર પ્રાણ પ્રયાણ કરી ગયા પછી શરીરરૂપી મારગ મહેકતો નથી તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy