________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 421 “પદ્મ ખીલ્યું હસી પાંખડી બેઘડી ને થયું બંધ સંધ્યા જ નિહાળી મૃત્યુ એને કહ્યું અજ્ઞ કોઈ જ મૃત્યુને સ્થાન જીવન મહીં ક્યાં ? એ જીવનથકી અન્ય જીવનમહીં ...પૂર્ણપ્રજ્ઞા સજીને પ્રવેશ્યા 158 (તર્પણ) કશું સ્થાઈ ન હોવા છતાં ચૈતન્યનો તો કદી નાશ નથી થતો. આ મૃત્યુ થાયે તનનું ભલે છતાં દીસે મને માનવમાત્ર કેરો એમાં થનારો ઉપહાસ શાશ્વત કોઈક આવો, તન મૃત્યુ મારો સંદેશ છે. ' અંતિમ એ જ ન્યારો” 59 કવિ જયેન્દ્ર શેખડીવાળા, જીવ જ્યાંથી આવ્યો, ત્યાં પાછો જતો હોવાનું માને છે. અનંતથી સાન્તમાં આવેલો જીવ પાછો અનંતમાં ભળી જતો હોય છે. પવન ઉચ્છવાસમાં ભળી જાય એ રીતે. “ગર્ભસ્થ' કાવ્યમાં શેખડીવાળા (‘કિંવદન્તી') અસ્મલિત જીવનપ્રવાહમાંની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. વ્યક્તિ મરે છે, પણ જીવનપ્રવાહ અટકતો નથી. માનવમન પૂર્વજોને પહેરીને ઊભું હોય છે. સમય દંતકથાની જેમ ભૃણશય્યાએ સૂતો અનુભવાય છે. ને અંતરિયાળે કોઈ જીવને એ ખંખેરી નાખે છે. શ્વાસની સરહદ પછી, અર્થાત, મૃત્યુ બાદ માનવ “કિંવદન્તી' બની જતો હોવાની વાત “છોતરું'માં કવિએ વ્યક્ત કરી છે. કવિ રાધેશ્યામ શર્મા એમ માને છે કે દરેક સૂર્યોદય આવી રહેલા મૃત્યુની એંધાણી આપે છે. (“શબ') એના ઊગવા સાથે દરરોજ સવારે માણસનું શબ ધીમેધીમે ચળકતી સપાટી ઉપર નીકળે છે. માણસ રોજ થોડું થોડું મરતો રહે છે. સૂર્યનો પણ રોજ જન્મ થતો હોય છે. ને રોજ મૃત્યુ. (“સૂર્ય'). કવિ વિનોદ જોશી ‘તુમ્હલ તુણ્ડિકા'માંની પ્રશ્નોત્તરીમાં જીવનમરણનું ચિંતન અપાયું છે. “કોણ ચલાવતું આયખું? નો જવાબ “શ્વાસ અપાય છે. કૌન મોતસે દૂર? નો જવાબ છે ‘સમય’ ‘તિમિર’માં શાશ્વતી સમાયાનું ને દુઃખનું કારણ “જન્મ' હોવાનું કવિ કહે છે. મોતને પરમ લક્ષ્ય કહેવામાં આવ્યું છે. આયુષ્ય કેવળ ભટ્સ, ને ‘હોવું' કેવળ વંચના. આ કવિ વીરુ પુરોહિત “મૃત્યુ' નામનું પ્રતીકાત્મક કાવ્ય લઈ આવે છે. તેઓ કહે છે, માનવીના પગમાં સતત તૃષ્ણાનો સર્પ અટવાતો રહે છે. ને એજ તો છે પુનરપિ જનન, પુનરપિ મરણનું કારણ. કવિ પુરોહિત ૧૯૮૩માં “વાંસ થકી વહાવેલી' સંગ્રહ પ્રગટ કરે છે. જીવવાની ક્રિયાને તેઓ જન્મટીપ કહે છે, ને એની આસપાસ મૃત્યુની એંધાણીના પહેરાઓ હોવાનું કવિ કહે છે. હાલકડોલક શ્વાસની વળી નિશ્ચિતતા શી? કવયિત્રી દક્ષા દેસાઈ ‘વિસ્ફોટ” (“શબ્દાંચલ')માં જન્મ અને મૃત્યુની પ્રક્રિયા વિશે વાત કરે છે. વીર્ય વિસ્ફોટની ક્ષણે પ્રગટેલી કોક અજાણી આકાશગંગાની ઉલ્કાથી શરીરનો ઘાટ લઈ જીવ અહીં તહીં અથડાય છે. જન્મોજન્મથી એ આમ જ ઊગે છે, ને આથમે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust