SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 41 નથી. આમ જોઈએ તો જીવતાં જ નથી. અહીં મરણ પણ વંધ્યતાનો જ પર્યાય બની રહે છે.” 19 - Death by water' “જળથી ઘાત' માં એલિયટે આગળ ફ્રેંચમાં લખેલી કાવ્યરચનાનો ભાવ ફરી વર્ણવ્યો છે. ફિનિશ્યન ખલાસી જે ડૂબીને મૃત્યુ પામ્યો છે. તે આપણને દેવોની, જળમાં વિસર્જન કરવાની વિધિનું સ્મરણ કરાવે છે. સાથે સાથે Furtility "Cult' ના વિધિની પણ યાદ કરાવે છે. “ધરતીની ફળદ્રુપતાને સમયના ચક્ર સાથે ટકાવી રાખવાનો આ વિધિનો આજે શો અર્થ ? અંતે તો બધું મરણ જ છે. ફિનિશિયાના કલીબાસની કથા આ રીતે મૃત્યુની નજીક ઊભેલી સંસ્કૃતિની કથા છે. અંતે તો આ અસ્તિત્વ જળને શરણે જ જવાનું છે. કશું ટકવાનું નથી. ઋતુઓ, ઇચ્છાઓ, કશું નહિ. આ મિથમાં નિરૂપાયેલો સમય વર્તુળાકાર છે. આ મિથદ્વારા મનુષ્ય પોતાનાં મૂળિયાં શોધવા પ્રવૃત્ત થવાનો નથી. કારણ કે તેના મૂળિયાં મૂળથી જ સડેલાં છે.” આ વાર્ષિક દેવને પાણીમાં ડુબાડવાનો વિધિ માત્ર 'Death of summer' જ નહિ, પણ Death by drowing of christian baptist પણ છે.” 19 તો “ધ હોલોમન'ની પ્રથમ ખંડની અંતિમ પંક્તિઓમાં કવિ પ્રત્યક્ષ દૃષ્ટિ' (Direct eyes) ના એક નોંધપાત્ર કલ્પન પાસે આપણને લાવી મૂકે છે. 11 (પ્રવીણ દરજી). જે લોકો એવી “પ્રત્યક્ષ દષ્ટિ' ને પામીને મૃત્યુના અવર સામ્રાજ્યમાં પહોંચી ગયા છે એવાઓ, આ ખોખલા. બોદા કે અર્થહીન માણસને યાદ કરે તો પણ આ અભરખો તો અસમર્થ જનીની એકોક્તિરૂપ છે. બીજા ખંડમાં લકવાગ્રસ્ત માનવીના પેલા Death's other Kingdom' સુધી પહોંચી નહીં શકવાના અસામર્થ્યનું એક વધુ આસ્વાદચિત્ર કવિએ ઉપસાવ્યું છે. 13 "This is the dead land. This is Cactus land." જેવી સ્મરણીય પંક્તિઓથી આરંભાતા તૃતીય ખંડમાં “કાંટાળીભૂમિ' માં Death's dream kingdom' ના ભયની લાગણી પણ ઉમેરાય છે. ને એમ રિક્તતાનું, અર્થહીનતાનું, નિષ્ફળતાનું વિશ્વ વિસ્તરે છે. ચોથા ખંડમાંના આરંભે પેલી “આંખ eyes' ની ઇમેજ ફરી દેખા દે છે. પણ અહીં પેલા મૃત્યુ પામી રહેલા તારકોની ખીણ સામે એનું કોઈ મહત્ત્વ નથી. હવે જુઓ, શારી નાખે તેવું અટૂલાપણાનું, અંધકારનું, મૃત્યુનું, ખાલીખમપણાનું ચિત્ર ઘટ્ટ થતું જાય છે.” 113 “આંખ' eyes' નું કલ્પન અહીં વધુ સૂક્ષ્મ બન્યું છે. એલિયટ અહીં દાન્તમાંથી પેલો multifoliate rose' નો સંદર્ભ લઈ આવે છે. આ બહુપાંખડીય ગુલાબ' દાન્તની જેમ રિક્ત માનવીની પણ એકમાત્ર બચેલી આશા છે. “ફોર ક્વાર્ટસ” માં ગતિમાં થતા સમયના વિસ્તારની વાત કરતાં એલિયટ અગાઉ પ્રયોજેલું એક કલ્પન યોજે છે. "at the still point of turning world." દાત્તે unmoved mover' દ્વારા જે વાત કહી ગયા હતા તે જ વાત એલિયટ આપણા સંદર્ભમાં કહે છે. “બસ્ટ નોર્ટન આ કાવ્યનો સૌથી વધુ ચિંતનાત્મક ભાગ છે. ઇસ્ટ કોકર'ના આરંભમાં ....In my beginning is my end' કહી એલિયટ સમય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy