SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 42 અને ઇતિહાસ વિશે ચર્ચા કરે છે. w - “ધ ડ્રાય સાલ્વેજિઝ' માં સમય અને અપરિવર્તનશીલતા જ રહેલી છે. time the destroyer is time the presever' ના સંદર્ભે શ્રી કૃષ્ણના નિષ્કામ કર્મયોગની ભૂમિકાનો એલિયટ જે નિર્દેશ કરે છે, તે સમજી શકાય. The end is where we start from થી શરૂ થયેલા બધા જ વિષયવસ્તુઓ ફરીવાર સ્થાન પામે છે. દરેક વાક્ય અંત છે અને આરંભ છે, દરેક કાર્ય મૃત્યુ પ્રત્યેનું ડગ છે અને સાથે સાથે મોક્ષ પ્રત્યેનું પણ.” * | “ઈસ્ટ કોકર'માંની પંક્તિ "We must be still and still moving." ધ્યાનમાં રાખવા જેવી છે. " ( આ પ્રમાણે સૌંદર્ય ઉપાસકો અને ગાયકો જેવા કવિઓએ (યુરોપ તથા એશિયાના) જીવન અને મૃત્યુના સૌંદર્યત્વ અને સત્વના વિવિધ સંદર્ભો અને સંસ્પર્શી માનવજગતને આપ્યા છે. ને સૌના હૃદયપ્રદેશમાં મૃત્યુના સૌદર્યની આભા પ્રસરાવી શાંત, સ્નિગ્ધ તથા સૌમ્ય એવા “મૃત્યુ તત્ત્વની મહત્તા ગાઈ છે. આમ પશ્ચિમની વિચારધારામાં જુદા જુદા ચિંતકોએ વિશદ મૃત્યચિંતન આપ્યું છે. સૌએ પોતાની આગવી રીતે વિશ્વના તથા જીવનના આ ગહન રહસ્યમય વિષય પર સતત ચિંતન કર્યું છે. ને છતાં કોઈ સંપૂર્ણ ઉત્તર પ્રાપ્ત થયો નથી. તો ક્યાંક વિરોધાભાસી મંતવ્યો પણ આપણને મળે છે. પૂર્વ અને પશ્ચિમ બંને વિચારધારામાં ઘણા ચિંતકોના વિચારો સામ્ય ધરાવે છે. આત્માની અમરતા, મૃત્યુ પછીનો પુનર્જન્મ, સૂક્ષ્મજીવ, શરીરની ભટકન જેવા ખ્યાલો બંને વિચારધારામાં જોવા મળે છે. તો મૃત્યુની ભીતિ તથા મૃત્યુના અગમ્ય રહસ્યની વાત પણ બંનેમાં વિચારાઈ છે. “માત્ર શરીર એ જ જીવન” “શરીર અને આત્મા જુદા નથી” “શરીર સાથે આત્માનો નાશ' જેવાં વિધાનો પણ બંને વિચારસરણીમાં જોવા મળે છે. મૃત્યુને “મુક્તિ', આનંદની પરિસીમા, બધી યાતનાનો અંત તથા “મંગલ અવસર' તરીકે પણ પૂર્વ તથા પશ્ચિમ બંને તત્ત્વચિંતનમાં વર્ણવાયું છે. પ્રકૃતિમાં તેમજ માનવજાતમાં થતો દરેક અંત આપણને જાણે કે મોટેથી કહે છે. “તમારો પણ એક દિવસ અંત આવવાનો” તો સમયની શાશ્વત ભૂમિમાંથી આવ્યાની ને તેમાં પાછા જવાની વાત કેટલાક સ્વીકારે છે, કેટલાક નહિ. મહાભારતના વસ્તુ પર આધારિત “સાવિત્રી મહાકાવ્યમાં શ્રી અરવિંદ, પ્રેમનો મૃત્યુ પરનો વિજય, તેમજ માનવની મસ્યતામાં પણ રહેલી એની અમરતાને ગાય છે. પાદટીપ અ.નં. વિગત પાનાનંબર 1. “ઋગ્વદ પરિચય આચાર્ય વિષ્ણુદેવ સાંકળેશ્વર પંડિત 118 શાંતિપર્વ અનુ. શાસ્ત્રી ગિરજાશંકર મયાશંકર 3. “શાંતિપર્વ અનુ. શાસ્ત્રી ગિરજાશંકર મયાશંકર 390 “ઋગ્વદ પરિચય આચાર્ય વિષ્ણુદેવ સાંકળેશ્વર પંડિત 315 5. “ઋગ્વદ પરિચય આચાર્ય વિષ્ણુદેવ સાંકળેશ્વર પંડિત 317 6. “ઋગ્વદ પરિચય આચાર્ય વિષ્ણુદેવ સાંકળેશ્વર પંડિત 325 7. “ઢોપનિષદ્' श्रीमद शंकराचार्य कृत उपनिषद 70, 72, भाष्य खड - 1 72, 81, 230, 236, 262, 66, 67 5 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy