________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 40 અંગ્રેજ કવિ એલિયટ (1888-1965) એમના “ધ લવ સોંગ ઑફ જે. આફ્રેડ પ્રફોક”માં સ્વયં કાળભગવાનનાં અનંત સ્વરૂપોને સ્પર્શતું ચિતંન આપે છે. જે સતત છેક ફોર ક્વાસ સુધી એક સ્તરે અખંડ વહેણરૂપે જોવા મળે છે. જોરોન્સનનો કાવ્યવિષય પણ મૃત્યચિંતન છે. દરિયાને કવિ એલિયટ એક સાથે જીવન અને મૃત્યુના પ્રતીક તરીકે ઓળખાવે છે. સમયના પરિમાણને સિદ્ધ કરવાની એલિયટની પ્રતિજ્ઞા છે. “ઇસ્ટોકર'ની આરંભની પંક્તિ છે, "In my end is my beginnig, In my beginning is my કાળની અખંડિતતા તેઓ આ રીતે વર્ણવે છે. "Time present and time past are both perhaps present in time future and time future contained in time past." 106 - નગરલંડન બ્રિજ પર વહી આવેલા એક શૂન્યતાના પ્રતીક સમા માનવટોળાને જોઈ કવિ બોલી ઊઠે છે, “મેં ધાર્યું નહોતું, મૃત્યુએ આટલા બધાને મહાત કરી દીધા હશે.” મરણના નૃત્ય મહીં છાયાતણા છંદન તથા કોઈ ખિન્ન પિશાચનું કલ્પાંત સંભળાય છે. કવિ મૃત્યુના જ બહુપાંખડિયા ગુલાબને એક આશાચિન ગણાવે છે. “માણસની આ ખાલીખમ, ને અતિદીર્ઘ જિંદગીમાં સાંધ્ય પ્રકાશિત લોકમહીં. મૃત્યુના બહુપાંખડિયા ગુલાબમાંજ એક આશા રહી છે.” યૂનિકોન નામના દિવ્ય પ્રાણીને કવિએ સોને મઢ્યા રત્નખચિત મૃત્યુથને ખેંચતું કપ્યું છે. “મર્ડર ઇન ધી કેથીડ્રીલ માં બેકેટનો મૃત્યુ પામીનેય વિજય થાય છે. મૃત્યુ હારશે, બેકેટ જીતશે” એ સાચું નીવડે છે. હવે કવિ ભારપૂર્વક કહે છે, "We shall not cease from exploration." 103 જ આ લિરિકના પહેલા ખંડમાં વિનાશ અને વિનાશ જ.... પણ નીચે ઊતરતું અવતારકૃત્યની જાહેરાત કરતું કબૂતર તથા ભવિષ્યકથન કરતી જિદ્દાઓ આપણી સંભવિત મુક્તિની શરતો જાહેર કરે છે. એલિયટનું “ધ ઈસ્ટ લંડ’ વેરાન થયેલા ઉજ્જડ થયેલા માનવીના આદર્શો, પ્રેમ, ભૂતકાળ, મૂલ્યો, સમયસભર શૂન્યતા અને એકલતાને અનેક સાહિત્યિક અધ્યાસોથી આલેખે છે. 'Mythical method' દ્વારા અનેક સમયનાં પાત્રોની સહપસ્થિતિ, તથા આંતરવિરોધો કાવ્યમાં ઊભા કર્યા છે.” 07 . "April is the cruellest month" વ્યક્તિગત અને સંસ્કૃતિગત મૂંઝવણો આ રીત પ્રથમ પંક્તિમાં ધ્વનિત થાય છે. એપ્રિલ માસની ક્રૂરતા અહીં વિનાશ વંધ્યત્વ અને વેરાનીનું પ્રતીક છે. સમય પોતે હવે માત્ર ભયંકર વિનાશકતાનો પર્યાય બની રહે છે. “આ એક એવી મભૂમિ છે, જેમાં ઘણા માણસો જીવતા નથી. કવિતાનું મુખ્ય વસ્તુ સિબિલના I wish to die' માં જોઈ શકાય. પણ પેલા વરદાનમાં આપેલો જીવવાનો શાપ જ જાણે માનવીનું સત્ય બની રહે છે. પ્રથમ ખંડમાં મરણને જીવતા માનવીઓની વાત આવે છે” % - લાલ ટેકરીના પડછાયા નીચે શું છે? ત્યાં સુખચેન નથી. તે તો મૃત્યુનો પડછાયો છે. બીજો ખંડ છે A Game of chess' અહીં બે પ્રકારની જિન્દગી અને બે જાતનાં મૃત્યુની વાત ગૂંથી લેવામાં આવી છે. આ મભૂમિમાં પાત્રો કશું જોતાં નથી, કશું જાણતાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust