SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 416 વાત અહીં ફરીથી કરે છે. માણસ મૃત્યુ પામે ત્યાં સુધી પોતાથી કે બીજાથી ઓળખાતો નથી. માનવ મૃત્યુ પામે છે, ત્યારે જ એની સાચી ઓળખ સૌને થાય છે. “છઘનામે રહે સૌનું મૃત્યુ સૌની નજીકમાં શ્વાસની આવન જાવનને “ઝેરીલી ફાંસ' તરીકે તેઓ ઓળખાવે છે. શહેરને કવિ કૃત્તાંતની મુઠ્ઠી' કહે છે. જેમાં સૌ ભયબધ્ધ હોય છે. મરણ સૌનાં દ્વાર ખખડાવે છે ને પોતાનું આગમન સૌને માટે ખુશાલી નીકળશે કદાચ, એવી એ ખાતરી આપે છે. મરણનો મૂદુ હાથ ઝાલીને આ ભીડમાંથી (સંસાર) નીકળવાની કવિ વાત કરે છે. “ઇચ્છા' માં જન્મમૃત્યુચક્રને વાચા આપવામાં આવી છે. “આવ આવ, તાજો નકકોર જીવ હેર' માં ‘વાસાંસિ જીર્ણનિ' નો ધ્વનિ સંભળાય છે. હરીન્દ્ર દવે, એમની મુલાકાત મૃત્યુ સાથે પહેલા થઈ હોવાનું કહે છે. જીવન તો પછી આવ્યું, એ પહેલાં મૃત્યુ જ હતું. ને જીવનાંતે પણ મૃત્યુ; કવિ કયારેક આત્મખોજ કરે છે. “મૃત્યુ એ નિદ્રા છે એ સમજું તો કદાચ સૂઈ શકું ”૧૪૭(૬૪મૌન) પણ એ નહિ સમજી શકવાનું કારણ અજ્ઞાન છે. અજંપો છે. ભીતિ છે. તો બીજી બાજુ જ્યાં સમજણ અને જ્ઞાન છે ત્યાં મૃત્યુને નિઃસંગપણે જોવાની સ્વસ્થતા પણ છે. “તો' નો કાવ્યનાયક સંપૂર્ણ સાક્ષીભાવે પોતાના અસંખ્ય મૃતદેહોને નિહાળે છે. મૃત્યુનું રહસ્ય જેણે પચાવ્યું હોય એ જ આવી નિઃસંગતાનો અનુભવ કરી શકે. મરણ, જિંદગીની હદને એવી રીતે બાંધે છે કે, પછી જિંદગીની કોઇ વિસાત રહેતી નથી. આ કોલાહલના પારાવારમાં માનવને મૃત્યુનો અવાજ સંભળાતો નથી એ વાત “મૃત્યુનો અવાજ માં વ્યકત થઈ છે. (સૂર્યોપનિષદ) પણ શાંતચિત્તે કોઇ વિચાર કરે તો પોતના જ સ્ટયધબકાર સાથે મૃત્યુનો અવાજ પણ સતત એકધારો સંભળાતો હોય છે. આ મોત માનવની સાથે સતત છે છતાં નથી. એનો અણસાર વિચાર રૂપે સતત એની સાથે જ રહે છે. મૃત્યુ એ પૂર્ણવિરામ નથી એવી કવિની પરંપરાગત કે પ્રતીતિગત માન્યતા છે તેથી તો તેઓ કહે છે. શ્વાસની લીલા સમેટાય. તો મૃત્યુ ન કહો “આવજો' કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો દ્રષ્ટિ છે આંખથી છલકાય તો મૃત્યુ ન કહો ...કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો ”૧૪૭-ક(@ાતી‘૨૮). અંતિમયાત્રા જીવે સાથીસંગી વિના એકલા જ કરવાની. ઈહલોકની યાત્રા સમાપ્ત થતાં શ્વાસનો કાફલો બધું સંકેલી રવાના થઈ જતા એકલરામની વાત “એ મુસાફર હશે એકલો' માં વ્યક્ત થઈ છે. મૃત્યુ પામ્યાની કલ્પના કરતા કાવ્યનાયકને સ્વજનોના રુદનનો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy