________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 412 કચડીને. સવારે આવે, સાંજે આવે. પણ એક વાત છે મોતથી ન ડરનાર એને ભાગી જવાનું કહે તો એ ભાગી જાય. “મોત મોતને પણ આવે’ કહી મૃત્યુ મરી ગયું” ની વાત જરા જુદી રીતે તેઓ કહે છે. ચૈતન્યબ્રેન જ. દિવેટિયા 1987 માં “પુષ્પાંજલિ” નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. પિતાની પ્રથમ પુણ્યતિથિએ કવયિત્રીએ રચેલી આ કાવ્યરચના છે. “સત-ચિત-આનંદ માં તેઓ મૃત્યુને ઉદ્દેશી કહે છે. મૃત્યુ નથી ભિષણ રૂપ તારું ભીતર છુપાઈ કરણા ચાર.”૧૪૧ મૃત્યું માત્ર દેહનું જ થાય છે એમ માનતાં આ કવયિત્રી મૃત્યુ ને પ્રભુ તારે જવાની મંગલકારી પ્રકાશબારી તરીકે ઓળખાવે છે. તો બીજી બાજુ “માગવા જેવું તો એક મૃત્યુ જ છે. એવુંય તેઓ માને છે. મૃત્યુને તેઓ ઈશ્વર મિલનની ક્ષણ કહે છે. કવિ નટવરલાલ મૃત્યુને ઈશ્વરના દૂત તરીકે ઓળખાવે છે. ને મૃત્યુદેવનું સ્વાગત કરવા ઉત્સુક છે. મૃત્યુદેવ એમને માટે અગ્નિનું વાહન, વાયુની ગંત અને આકાશની પગથી બનાવીને લાવ્યા હોય એવી અનુભૂતિ એમને થાય છે. 1988 માં “મનોગતા' લઈને આવતા કવિ જયાનંદ દવે મૃત્યુની પરવા કરતા નથી, કે મૃત્યુના શાસનનો પણ સ્વીકાર નથી કરતા. “મૃત્યુંજય મંત્રમંગલ' માં મુંબઈના મધ્યબિંદુ સમા સોનાપુર સ્મશાનનો મહિમા કવિએ ગાયો છે. જો કે કવિ જિંદગી પરના મોતના સામ્રાજયની ફિલસૂફી નથી સ્વીકારતા. જીવનસંગીતના આ સાધક મૃત્યુના વિજય' નો વિચાર માન્ય કરતા નથી. “તમે રહ્યા રાત-દિ છેડી જેને તે મૃત્યુ કેરા જ્ય-ગાન સૂરનું સંધ્ધ મારી સ્વર-સૃષ્ટિ માહીં કશુંય ના સ્થાન કદીય શકય "42 સ્મશાનના સ્થાઈ વસવાટની કશી નોંધ કે પરવા કર્યા વિના જીવન તો સતત મોર્યા કરતું હોવાની શ્રધ્ધા ધરાવતા આ કવિ, માનવજિંદગીને મળેલા મહામૃત્યુંજય મંત્રનું ગૌરવ કરે છે. “મને જીવન પ્યારું માં પણ જીવનનો મહિમા ગવાયો છે. જીવનને ઈશ્વરનો અનેરો ઉપહાર માનતા કવિ મૃત્યુના ઘેરા નિરંકુશ પડછાયાની નિરંકુશ લીલાથી ગભરાતા નથી. અકળ સૃષ્ટિના શત્રુ એવા મૃત્યુને જયાનંદ દવે પડકારે છે. તેઓ મૃત્યુને ગર્વ ન કરવા કહે છે. મૃત્યુનું અણુ જેટલું પણ મહત્ત્વ તેઓ સ્વીકારતા નથી. જો કે 1979 ની મોરબીની હોનારતથી કવિ પ્રૂજી ઊઠયા હતા. એ સમયે આસું, ઉદ્ગાર, ને મૃત્યુ વેશભૂષા બન્યાં હતાં (“રે મયૂરી મોરબી) 1988 માં ઈન્દુ ગોસ્વામી “જેમ તેમ' સંગ્રહ પ્રગટ કરે છે. પરથમ પહેલું માં પ્રતીકાત્મક રીતે મૃત્યુની વાત કવિએ કરી છે. કવિ કહે છે “મૃત્યુ બાંય ચડાવી બોલવા યત્ન કરે, પણ એને એની નથી કોઈ ભાષા, કે નથી કોઈ ભૂમિ. (લયની માનો મેળો મૂઠી ઊંચેરા મરણ પર આમ તો આ કવિ મુસ્તાક છે, ને છતાં માનવના જીવની આંખને સતત તાક્યા કરતી મૃત્યરૂપી બિલાડીને તેઓ ઓળખે છે. (‘ચોકડી ચોકડી ચોકડી') કવિ P.P.AC. Gunratnasuri M.S. - ળ) Jun Gun Aaradhak Trust