SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ સભર અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 410 “શ્વાસોની પેલે પાર કોઈ ધૂંધળું ધૂંધળું મારી વાટ જુએ છે. તે મૃત્યુ તો નહીં હોય ?" 135 દક્ષા દેસાઈને હવે કમળનો “ક નહિ પરંતુ કેન્સરનો “ક” દેખાય છે. " “ક” એટલે સમગ્ર અક્ષર, જીવનથી મૃત્યુ સુધીનો અર્થસભર અડીખમ અક્ષર” 13 મૃત્યુગીત-૧'માં ખરતા આયુષ્યની વાત લોકગીતના ઢાળમાં કરી છે. અસ્તિત્વના થડને લૂણો લાગ્યો છે. ને લીલાં પાન પણ ખરી ગયાં છે. કાવ્યનાયિકાને મૃત્યુનો ડર નથી. એમને સત્કારવા તેઓ તૈયાર છે. મૃત્યુને પેલે પાર તો સાજ સજીને જવાનું છે. મૃત્યુગીત-૨'માં મૃત્યુનો સરસ પરિચય તેઓ આપે છે. “મૃત્યુને આપણાં નામ-સરનામાની ખબર છે. જ્યારથી આપણે ઊગ્યા ત્યારથી મૃત્યુ ઉંબરે સાથિયા પૂરી ગયું ધીમે પગલે દિવાનખાનામાં આવી તારિખિયાની તારીખોને ફાડવા લાગ્યું” 130 જળની આંખે' (૧૯૮૫)ના કવિ યજ્ઞેશ દવે કહે છે. “ને મૃત્યુનો હણહણતો ઘોડો મારપછાડ સવાર થઈ જાય છે આ અંગારને વીંધતો” 138 યજ્ઞેશ દવે મૃત્યુનાય કાયાકલ્પની વાત લઈને આવે છે. “ને શ્વાસે શ્વાસે થતો જાય છે આપણા Iકલ્પ' 139 યજ્ઞેશ દવેનો કાવ્યનાયક કહે છે. મારા શ્વાસમાં બેઠેલું મૃત્યુ શોધે છે મને, ને હું શોધું છું મૃત્યુ” 140 માનવ તથા મૃત્યુની પરસ્પર સંતાકૂકડી સદા ચાલતી જ રહે છે. “સમુદ્રમાં પ્રતીકાત્મક મૃત્યુસંદર્ભ વણાયો છે. રેતીના ઢુવાની પેલે પાર ચાલ્યા જતા છેલ્લા યુગલની વાત મૃત્યુનો સંત આપી જાય છે. “ખંડિત આકાશનાં કવયિત્રી પ્રીતિ સેનગુપ્તા અવિરત ઝરતા બરફનું વર્ણન કરતી વખતે “કાળોતરી'નો વિચાર કરે છે. આખાય જગતને ધરબી દેતી મહાજાળ જેવો એ બરફ કવયિત્રીને મહાકાળે અદશ્ય અક્ષરે લખેલી “કાળોતરી' જેવો લાગે છે. દિનકર શાહનો કાવ્યનાયક (“અજનવી વસ્તીમાં) હજુ ગઈકાલ સુધી મૃત્યુથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy