SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ - અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 402 વાત અહીં કવિ કરે છે. મૃત્યુ જાણે જીવને સમજાવે છે. મરવું એ તો ઝાકળ જેવું, ને જીવતર કાગળ જેવું એક લક્કડખોદ ઘસતો ચાંચ સૂની સાંજ પર ડાળ છોલાતી રહી કે હું....ખબર પડતી નથી ....એ ઘટનાને કોઈ “મૃત્યુ' કહી દે ને કાયા “હું'થી અલગ થતી જાય શ્વાસ હિસાબો કાઢ્યા કરે રોજ દેણું ચૂકવવાનું” 117 મીણ જેવા શ્વાસના સંબંધો અંતે ઓગળી જાય છે. કાવ્યનાયકના ઉંબર પર એક જાસાચિઠ્ઠી પડી હોવાનું તેઓ કહે છે. મરણનો ભાર સૌએ સતત ઉપાડીને જીવવાનું છે. હાથમાં આયુરેખા તૂટેલી હું કરું છું મરણ ઉપાડીને” 118 છેલ્લા શ્વાસ અડગ થઈ અટકી જાય છે. મૃત્યુ સમયે બધા કિલ્લા જીર્ણ થઈ જાય છે. શ્વાસમાં પછી લીલાં પર્ણ ફરકતાં નથી. “હવે સાંજ થઈ, દૂર ઝાલર બજે ને ક્ષિતિજે ક્ષણોનો ઊડે રંગ ગેરુ” 119 શ્વાસ અંતે પથ્થરધાર તોડી શરીરની બહાર નીકળી જવાના “સ્પર્શ કહે છે માટીનો કે ક્યાં વાર હવે તો ?" 120 ૧૯૬૭માં “ઇજન' લઈને આવતા ફકીર મહમ્મદ મનસુરીને મૃત્યુનું સ્મરણ વાયરાની શીળી લહર જેવું લાગે છે. કવિ યશવંત ત્રિવેદી ૧૯૭૧માં ‘ક્ષિતિજને વાંસવન” સંગ્રહ પ્રગટ કરે છે. પોતાને “ભૂરી ઝાંયનો પરપોટો' કહેતા કાવ્યનાયક અનેક પૂર્વજન્મોનાં સરકતાં ઈન્દ્રધનુષ્યની લસરણીનો અનુભવ કરે છે. “બુબુદ્દનું આયું વળી કેટલું ? કહી કવિ જીવનની નશ્વરતાને વર્ણવે છે. ૧૯૭૫માં કવિ યશવંત ત્રિવેદી “પરિપ્રશ્ન” કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. કવિ કહે છે. “સમુદ્રને અને મૃત્યુને' (પૃ. 36) અનુભવાતાં હોય છે. કાવ્યનાયકને જીવન અને મૃત્યુ વચ્ચેના એક અભ્યસ્ત અનુણુપ છંદનો અનુભવ થાય છે. પરિદેવના' આખો કાવ્યસંગ્રહ આમ તો પ્રિયકાંત મણિયારને અપાયેલી શ્રદ્ધાંજલિ છે. પ્રિયકાંતનું “જલાશય' વાંચતાં તેમની આંખ ભીની થઈ જાય છે. “નવમા કાવ્ય'માં કવિ મૃત્યુની વ્યાખ્યા આપતાં કહે છે “મૃત્યુ એક શંકુ-આકાર અંધકાર છે.” પ્રિયકાંત આ નક્ષત્ર પર ઊતરી ગયા હશે એવી કલ્પના કવિ કરે છે. એમ કહેવાય છે કે “મૃત્યુ પછી માણસ ભાષા ભૂલી જાય છે” (એટલે?) “રીતા' કાવ્યમાં મૃત્યુને યશવંત ત્રિવેદી વેદનાના * પૂર્ણજ્ઞાન તરીકે ઓળખાવે છે. પ્રવીણ દરજી “ચીસ”ના નવમા કાવ્યમાં પંચમહાભૂતોનો વિસામો ઇચ્છતા કાવ્યનાયકની વાત કરે છે. “અગિયારમા' કાવ્યમાં અસ્તિત્વના હરણને મૃત્યુની હમેશ ભીતિ’ હોવાનું કવિ કહે છે. “ઓગણીસમા' કાવ્યમાં કાવ્યનાયક પોતાને મૃત્યુનો કેફ ચઢ્યો (“એટલે?) હોવાનું કહે છે. મૃત્યુના ગૂઢાતિગૂઢ રહસ્યો ઉકેલવાનું કાર્ય નચિકેતરું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy