SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 401 છે. જેમાં એમની અંદરની સભરતાનો પરિચય આપણને મળે છે. આમોદ' કાવ્યસંગ્રહના કવિ શ્રીકાંત માહુલીકર મોતને બિહામણું નથી ગણતા, જીવન અને મૃત્યુની ફિલસૂફીમાં કવિને પેલા પરમ ગ્રષ્ટાના સનાતન ગીતનું પૂરક, કુંભક ને રેચકની લીલાનું દર્શન થાય છે. જીવનની પ્રેયસીના પ્યારમાં ગળાબૂડ હોવા છતાં તેઓ મૃત્યુનો અનાદર નથી કરતા. મૃત્યુતરી પહેલી મિલન રાત્રિમાં આયુષ્યની અણતૃપ્તિમાં હું તૃપ્ત છું, મુક્ત છું” 15 ૧૯૬૯માં “સ્વગત' કાવ્યસંગ્રહ પ્રકાશિત કરનાર યોસેફ મેકવાનને દૂરથી ધીરે ધીરે ચાલ્યા આવતા મૃત્યુના પડઘા સંભળાય છે. જેનું સરસ ચાક્ષુષરૂપે તેમણે શબ્દાંક્તિ કર્યું અરવ કુટિરે જોતો બેઠો ફરે ઘડિયાળમાં કર્મઠ ગતિએ, બેઉ કાંટા અને લયપૂર્ણ ત્યાં ટક.... ટક....મહીં, મૃત્યુ કેરી ક્ષણો પગલાં ભરી સમયપથમાં ચાલી આવે સુદૂર, સુણી રહું ધક.... ધક....થતા મારે હૈયે પડે પડઘાય તે” 114 કવિનું મૃત્યુ' કાવ્યમાં એક રમણીય પરિવેશમાં કોઈ કવિના થતા મૃત્યુનો પ્રસંગ આલેખાયો છે. આંગણામાં સોનચંપાની ઝૂકેલી ડાળ પર બુલબુલ પોતાનો સ્વર રેલાવતું હોય, વાતાવરણમાં પ્રસરતા ધૂપની જેમ કવિ એ ગાનમાં લીન થતાં થાય કવિનું મૃત્યુ. “સ્વિચ ઑફ થતાં પ્રતીકાત્મક કાવ્ય છે. બારીમાંથી ધસી આવતા પેલા અંધકાર રીંછના રક્તડાહ્યા સ્વરૂપથી (મૃત્યુથી) શી રીતે બચવું એ વિમાસણ છે. કવિ મહેશ દવે ૧૯૬૯માં બીજો સૂર્ય' નામનો સંગ્રહ પ્રગટ કરે છે. મૃત્યુને કેવળ “ઘટના” તરીકે જોનાર કવિ, તથા આજના માનવે પણ જીવન અને મૃત્યુ બંનેમાંથી શ્રદ્ધા ગુમાવી દીધી છે. ને “હું'ને કેન્દ્રમાં રાખી જીવતો આજનો માનવ તેથી જ આ અડાબીડ જંગલના “કેસરી' (મૃત્યુ)ની ત્રાડથી ફફડે છે. કદાચ એમનામાં જ એ પશુ ત્રાડતું હોય તોય શી ખબર? મૃત્યુનું વર્ચસ્વ કબૂલવા છતાં મહેશ દવે “મૃત્યુને “ઇતિમાનતા નથી. ક્યારેક તેઓ મૃત્યુને પરિણામશૂન્ય વંધ્ય પ્રક્રિયા ગણાવે છે. ને છતાં માનવના સમગ્ર અસ્તિત્વને એ ઓગાળી નાખે છે. “મૃત્યુકાવ્યમાં પ્રતીકાત્મક રીતે મૃત્યુની વાત કહેવાઈ છે. જીવનની જ નહિ, મૃત્યુની પણ ક્ષણભંગુરતાનો ઉલ્લેખ કવિએ અહીં કર્યો છે. - ૧૯૭૯માં ખંડેરિયા અટકળ' નામનો કાવ્યસંગ્રહ પ્રકટ કરે છે. મૃત્યુના ઝગમગાટની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy