________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 399 સ્પર્શ પછી ત્વચા પરથી કોઈ ગીત નહિ ફૂટે, એનો વસવસો કવિને છે જ. પછી કોઈ કાવ્ય નહિ જન્મે એની વેદનાય ઓછી નથી. આમ તો માનવીને જીવનમાં કંઈ કેટલાય શ્વાસ લેવાના હોય છે. પણ ક્યારેક એક એક શ્વાસ માટે કેટલો બધો પરિશ્રમ પડતો હોય છે. આવા મૃત્યુની ચેતવણી જાહેરરસ્તા પર હાર્ટ એટેક'માં અપાઈ છે. મૃત્યુને એક ઘટના કે કેવળ વાસ્તવ તરીકે વિચારતા કવિ કહે છે પ્રિયજનના મૃત્યુ પછી એના દેહને વળગીને બેસી રહેવાતું નથી. “તમને એકલા કશે નહીં જવા દઉં' એમ કહેનાર પણ જનારને રોકી શકતું નથી. વિપીન પરીખ મૃત્યુના વિચારને અણગમતો કહે છે. (ક્વીન્સરોડ') કવિમૃત્યુના વિચારને નપુંસક અને “કાળો' કહે છે. પણ કવિ એ તો જાણે જ છે કે, મૃત્યુના વિચાર કરવા ન ગમે તોય કરવા પડે. “સ્મશાનની ઊંચી દીવાલો કૂદીને પણ એનો ધુમાડો રસ્તા પર છવાઈ જાય છે, ને મૃત્યુ જાણે પોતાના અસ્તિત્વની જોરજોરથી છડી પોકારે છે.” 110 એક ટૂંકો પરિચય' નામના કાવ્યમાં મૃત્યુનો ટૂંકો પરિચય કવિ વિપીન પરીખ આપણને કરાવે છે. “મૃત્યુ સફેદ હોય છે ચાદર જેવું, મૃત્યુ ઠંડુ હોય છે બરફ જેવું, મૃત્યુ હુકમનું પાનું છે, મૃત્યુ શંકરના હાથનું ડમરું છે, | મૃત્યુ બિલાડીના પગ છે, મૃત્યુ કાલીની જીભથી ટપકે છે લાલ લાલ.” 111 “મૃત્યુ'નો એક ઘટના તરીકે સ્વીકાર કરતાં આ કવિને સારી રીતે હવે ફાવી ગયું છે. કવિ કહે છે. “પહેલીવાર સ્મશાને ગયો તે પછી કેટલીયે રાત જેપીને સૂઈ નતો શકયો પણ હવે તો મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે” 112 મરનાર વ્યક્તિ અધૂરાં સ્વપ્ન સાથે લઈ જાય છે. માત્ર આપી જાય છે પોતાની આંખ. જો કે જનાર વ્યક્તિને “ચક્ષુદાન' કર્યાનો સંતોષ જરૂર છે. દાનમાં અપાયેલાં એ ચક્ષુને સંબોધી કાવ્યનાયક કહે છે. “દુનિયા તો તમારી સામે હશે, એની એ જ હું નહીં હોઉં 113 પછી ફૂલોને જોઈ એ ચક્ષુ ઘેલાં થાય, કે કમળના પાન પર ઝાકળનું બિંદુ પાણીનું એક નિરર્થક ટીપું લાગે, એમને શું? દાનમાં આપેલા એ ચક્ષુને કવિ પૂછે છે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust