SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 398 ને ખાટલા પાસે બિલાડીઓ જીવન મૃત્યુના, બે મોટા પ્રશ્નાર્થ ચિહન . જેવી ઊભી તી.” 105 મૃત્યુના નિશ્ચિત વાસ્તવની વાત કરતાં કવયિત્રી કહે છે. “આપણે નિશ્ચિત કલાકે જ પહોંચીએ છીએ યમરાજને દ્વારે” હe આ કવયિત્રી મૃત્યુદૂત સાથે સીધીજ વાત કરી લે છે. “ટેબલ પર પડેલી મારી કવિતાની અધૂરી પંક્તિઓ જોઈ મૃત્યુદૂત પાછો તો નહીં ફરી જાય ને ?" 100 મૃત્યુના પ્રતીકસમી બિલ્લી’ પોતે ભયાનક ન હોવાનું કહે છે. પોતાને ગળે, મોંએ હાથ મૂકી નરમાશનો પુરાવો જોઈ જવા કહે છે. ૧૯૮૪માં “નિસ્બત' લઈને પન્નાનાયક આવે છે. કવયિત્રીએ મૃત્યુને આંગણું વાળતાં જોયું છે. (‘ક્યારેક.) “જ્યાં મૃત્યુનાં ચરણ રજકણરહિત ચાલી શકે'માં જીવન તેમજ મૃત્યુ બંનેની સ્વચ્છતા પ્રમાણાઈ છે. તેઓ કહે છે કહેવાય છે કે મૃત્યુ સમયે મનુષ્યની પસાર થયેલી આખી જિંદગી નજર સમક્ષ Flash Back ની જેમ ખડી થાય છે” 108 અહીં પણ એક કાવ્યમાં બિલ્લી મૃત્યુના પ્રતીકરૂપે આવે છે. એ પોતાના જન્મની સાથેજ જન્મેલી, ને સદા પોતાની પાસે જ રહેતી હોવાનું કવયિત્રી કહે છે. “એની પાસે ધારદાર અસ્ત્ર છે-નજર', “એને સતત તાક્યા કરવાની ટેવ છે' એની તાકતી નજરથી એ અકળાઈ જાય છે. એને ખબર નથી કે કઈ ઘડીએ એ એની આંખો ફોડી નાખશે. ૧૯૮૯માં પન્ના નાયક “અરસપરસ' સંગ્રહ લઈને આવે છે. કવયિત્રી મરણનું સામે ચાલીને સ્વાગત કરવા ઉત્સુક છે. ને ત્યારે એમના ચહેરા પર કોઈ રંગ ઊઘડશે ખરો? કેવો હશે એ રંગ? આ બધાથી તેઓ અત્યારે સાવ અજાણ છે. તેઓ કહે છે. એક વાત તમને કાનમાં કહું ? મને અજાણ્યા રંગની માયા લાગી છે” 19. ૧૯૭૫માં “આશંકા' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરનાર કવિ વિપીન પરીખ મૃત્યુ પછી શું નહિ મળે? ની સરસ વાત “મૃત્યુ' નામના કાવ્યમાં કરે છે. બીજું તો ઠીક, પણ “ફૂલોની પાંદડીમાં ઈન્દ્રધનું દેખાતું બંધ થઈ જશે’-એની ચિંતા કવિને જરૂર છે. પ્રથમ વર્ષના શીતલ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy