________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 397 જહાજ સમુદ્રમાં ગરક થઈ જાય છે રાતની શાંતિમાં ભંગ પડતો નથી મૃત્યુ પછી શું....નો વિચાર પણ ફરકી જાય છે, “દીવાલો બેસવા માંડે છે ત્યારે.” 10 જીવનની ચદરિયાના તંતુએ તંતુ છૂટા પડવા માંડે છે. ઉપટી ગયેલા રંગ કે ઝાંખી થતી ભાતને સોયદોરા ને થાગડથીગડથી જાળવી શકાતાં નથી. દરદીઓના ભાવિનો અનિશ્ચિત માર્ગ ક્યારે કઈ તરફ દિશાપલટો કરશે એની એમને ખબર હોતી નથી. “મૃત્યુનો કોઈ જ વિકલ્પ નથી” “દીવાલો બેસવા માંડે ત્યારે બીજો કોઈ રસ્તોજ નથી રહેતો. અજવાળા અંધારાના પડદા ચીરીને રંગબેરંગી સૂતરના ગૂંચવાયેલા તાંતણાં તોડીને સીમાઓ વળોટીને નીકળી જવા સિવાય” “હવામાં થશે એક આછો રોમાંચ અને પછી, અંતે તો હેમનું હેમ હોયે 101 મૃત્યુ સીમાઓ વળોટવાની ક્રિયા છે. કવયિત્રી કહે છે અનંત દિવસોનો સથવારો લઈને એક ક્ષણ આવે છે, વાવાઝોડું થઈને હવાનાંયે સ્પંદનો ઝીલવા અસમર્થ વસ્ત્ર નિશ્ચન્ટ, તાંતણાનો ભારો આંસુઓથી, અસિત, અલિપ્ત અગ્નિને સમર્પિત, ઝળહળી ઊઠે છે એક એક તાંતણો વસ્ત્રનો” પર યુદ્ધજન્ય વેદના અને વિષાદની વિષમતા તો કૃષ્ણનેય અસહ્ય લાગે છે. ભીખની જેમ કૃષ્ણને કાંઈ ઇચ્છામૃત્યુનું વરદાન મળ્યું ન હતું. એમને તો પ્રતીક્ષા કરવાની હતી પારધીના બાણની, મૃત્યુ આવતાં “પવનનો એક જોરદાર સપાટો એકાએક હચમચી જાય છે સૂતેલી ડાળીઓ ઝબકીને થીજી જાય છે, વૃક્ષ અવાજ વગર” 13 વ્યક્તિનું મૃત્યુ થતાં છવાય છે સ્તબ્ધ શાંતિ. . પન્ના નાયક મૃત્યુ અંગેની અનોખી અભિવ્યક્તિ “મૃત્યુ' કાવ્યમાં સાધે છે. “વાસંતી વાયરાના સ્પર્શ જાણે કેસૂડાની એકાદ કળીનું સહેજે ખડખડાટ વિના હળવેથી ખરી જવું જ બે બિલાડીઓ'ની અંતિમ પંક્તિઓ વેધક વ્યંજનાથી સભર છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust