SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 396 બાજુ, નીર, હતાં તે હવે નેત્ર પર તરે જે જોવું તે જોવું એની આરપાર, આખરે” 99 કવિ મત્ય માનવોને મનુની સાથે તેમજ યમની સાથે ચાલવા કહે છે. દા. ત. “મુંબઈ હયાતીની તપાસનો એક સરરિયલ અહેવાલમાં મુંબઈ શહેર, મરણોની ડાળ પર ઊભેલું હોવાનું કવિ કહે છે. (‘કાળું પંખી') જેના પંજા તથા ઝાપટની વાત પણ કવિએ કરી છે. નાડીઓ પર ધબકતાં ઘડિયાળ મેળવી શકાય ન યે મેળવી શકાય ફેર ન પડે ત્યાં કશાથી યે જાણે કે 90 ૧૯૮૬માં “જટાયુ' સંગ્રહ લઈને આવતા સિતાંશુ “પ્રલય' કાવ્યમાં પાણીના ઘૂઘવતા વિનાશકારી પૂરને “ડાધુઓનું ટોળું' કહે છે. | ઊર્મિ અને બુદ્ધિના સમન્વયની કવિતા આપનાર જયા મહેતા ચાસનાલાના મૃત્યુકાંડ સંદર્ભે, માનવોની છતી થયેલી સંવેદનશૂન્યતા તરફ ઈશારો કરે છે. તો ‘દ્રશ્યો'માં જીવનવૃત પરની શ્રદ્ધાનો પરિચય અપાયો છે. બીજા દશ્યમાં કૂંડામાં ઊગાડેલા છોડ પર એક જાસૂદ ખીલી ખરી જવા છતાં, લીલાછમ છોડમાં રહેલા સનાતન જીવનત્વની એંધાણી કવિએ આપી છે. વ્યક્તિ મરે છે, જીવનધારા તો અનંત અવિરત ચાલ્યા કરે છે. માણસ મરી જાય છે પછી'માં માણસના મૃત્યુ બાદની ઔપચારિકતા પ્રત્યે કરુણ કટાક્ષ કરાયો છે. થોડા દિવસ ઠાલા આશ્વાસનોની અવરજવર રહે છે. ગીતા અને ગરુડપુરાણની હવા રહે છે થોડા દિવસ, ત્યારબાદ બેન્ક બેલેન્સ અંગેની પૂછપરછ, રેશનકાર્ડમાંથી મરનારના નામની બાદબાકી, વગેરેનો નિર્દેશ માનવોની સંવેદનશૂન્યતાની પ્રતીતિ કરાવે છે. ૧૯૮૨માં ‘એક દિવસ’ નામનો કાવ્યસંગ્રહ જયા મહેતા પ્રકટ કરે છે. “મૃત્યુ' કાવ્યમાં આવી રહેલા મૃત્યુની વાત પ્રતીકાત્મક રીતે કરાઈ છે. “ખંડ સ્તબ્ધ દીવાલો ફિક્કી ફિક્કી ફફડાટ શમી ગયો છે” 98 જીવન વિરમી ગયાની વાત અહીં સાંકેતિક રીતે કહેવાઈ છે. “અંતિમ વિરામ'માં અચાનક આકાશ બિડાઈ જવાની વાત, જીવન બીડાવાનો સંકેત આપે છે. ૧૯૮૫માં જયા મહેતા “આકાશમાં તારા ચૂપ છે' સંગ્રહ લઈને આવે છે. મૃત્યુદૂતને તેઓ દુશ્મનના લશ્કર સાથે સરખાવે છે. ૧૯૮૭માં પ્રગટ થયેલ હોસ્પિટલ પોએમ્સ'માં દરેક જીવ પીડાના કોચલામાં બંદીવાન હોવાની વાત કરાઈ છે. “શ્વેત વસ્ત્રો છે, નિસ્પૃહ, નિર્મમ અનાસક્ત ફરે છે, બુઝાતા દર્દીઓ છે અજાણ અનાગતના પડછાયામાં થરથરે છે” 99 અજાણ અનાગત એટલે “મૃત્યુ. વણઝંખું કોઈક (મૃત્યુ) ક્યાંકથી આવી ન જાય, એનો ભય સેવતા બુઝાતા દર્દીઓની વાત, “મૃત્યુના ભયને શબ્દબદ્ધ કરે છે, મૃત્યુ કેટલી હદે રોજિંદી ઘટના લાગે છે. એ વાતને નાનકડા કાવ્યમાં કવયિત્રીએ આ રીતે મૂકી છે. એકાએક પવન પડી જાય છે. રાખોડી સપનાંઓનો ભંગાર લઈને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy