SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 395 ઊભાં ઊભાં આ સવાલ પૂછીશું - આ લાશને દાટવી છે બોલો, સ્કેવરફીટનો શું ભાવ છે?” 92 કવિ સિતાંશુ યશશ્ચંદ્ર “ઓડિયૂસનું હલેસું' કાવ્યસંગ્રહ ૧૯૭૪માં પ્રગટ કરે છે. યમદૂત'માં નિરર્થકતાનો ભાવ સૂચવવા બાલસહજ ભાષાનો કવિએ પ્રયોગ કર્યો છે. “કંઈ નહીં, નાં બી લીધાં છે. ટોપરિયાળો, શેલડિયાળો, ગોળિયાળો તૂટી જશે રે કોટ રેશમના પડદાની પાછળ તગે વાઘની આંખો 93 જીવન એટલે રેશમનો પડદો અને એની પાછળ તગતી વાઘની આંખો' એટલે યમદૂતમૃત્યુ. તરત જ કવિ યમદૂતને “વરુ' તરીકે વર્ણવે છે. “તોય એમ લાગે છે ક્યારનું આ કોક વરુ ઘેટાને શોધે ....અટકે, ટકે ન ક્યાંય ને ભટકે, એકજ સરખાં પાંચ ભોટિલાં ભટકે” 94 મૃત્યુ-એક સરરિયલ અનુભવમાં સિતાંશુએ પવનવેગી મૃત્યુદૂતના આગમનની વાત આવનારના વેગીલા આગમનની જેમ જ વેગપૂર્ણ ભાષામાં કરી છે. બારણાં વાસીએ તોય ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડતા એ કાળા ડમ્મર ઘોડા બારણાં તોડીને અંદર ધસી આવે એવું એમનું જોમ. અંદરથી ત્યાં ક્યાં ક્યાં ક્યાં ક્યાં ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા | ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા” 95 “જ્યોતીન્દ્ર જૈનીનાં ચિત્રો યાદ આવતાં' કાવ્યમાં કવિ સિતાંશુએ મયોની જન્મભૂમિ મસ્યોને જ અજાણી' હોવાનું કહ્યું છે. મૃત્યુના રંગમહેલમાં, ભૂરાં ઠંડા પાણીમાં સળકતા ડિંભની વાત, જન્મતાં પહેલાં જ મૃત્યુના થતા સ્પર્શના સત્યને પ્રકટ કરે છે. તો “મનુ યમ અને જળ એક સરરિયલ પુરાણકથા'માં કવિ ગરમ મરણના ગરમ પ્રવાહીની વાત કરે છે. “સાંધું બર્ફીલા આયુષ્યોને આ ગરમ મરણના ગરમ પ્રવાહી સાથેએના દંત મૂળના ચસકાઓના ઊંડા ટાંકા લઈને સાચી મને જરા તો સાંધુ ....જનમની મોર ડિંભની ચારે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy