SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 393 થવાની વાત કરતાં કવિ કહે છે. “મારું પૂર્ણશમન થશે એની વાયવ્યકતલ વીથિઓમાં” 0 ને પછી પોતેજ વિશ્વપ્રિયાના ગર્ભનું સ્વરૂપ ધારણ કરી નવશિષ્ણુરૂપે પુનર્જન્મ ધારણ કરશે એવી શ્રદ્ધા વ્યક્ત થઈ છે. મરનાર માટે પછી સમયનું પણ પૂર્ણવિરામ આવી જતું હોય છે. દિવાસ્વપ્નમાં કવિ કહે છે. “કાલના ગોટેગોટા ખરી પડ્યા” 81 “આ ખરી પડ્યું, તે ખરી પડ્યું ને જાણું લોચન ખરી પડ્યાં તું ખરી રડી, હું ખરી પડ્યો ને પણે જૂઈના છોડ તળે, એક ખોબો ચપટી જીવ ગંધની કાળી જોજન લય ઘૂમરીમાં ડૂળ્યો” (2) રમેશ પારેખ જન્મ તથા મૃત્યુ બંનેને જાહેર ઘટના કહે છે. સડક વચ્ચે મરી ગયેલા કાગડાની વાત આ તો માનવમાત્રની મૃત્યુ-ઘટના છે. . “લ્યો કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો હવે આ રાષ્ટ્રગીત ગાવ કાગડો મરી ગયો n83 માણસ હોવાના પૂર્ણવિરામને કવિ મૃત્યુ કહે છે. મૃત્યુ એટલે જીવન જીવવાનો પૂરો થયેલો કાર્યક્રમ. રમેશ પારેખ મૃત્યુ નામના રાજાધિરાજને પોતાના અસ્તિત્વની સોગાદ ધરવાની વાત કરે છે. “જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને પેસેન્જ૨, રમેશની સોગાદ કરી જોઉં 84 છદ્મવેશે સૌની નજીકમાં જ સતત રહેતા મૃત્યુની વાત કવિ રમેશ પારેખ પાંચવૃત્ત ગઝલ'માં સરસ રીતે રજૂ કરે છે. છ“નામે રહે સૌનું મૃત્યુ સૌથી નજીકમાં શ્વાસનું ચાલવું એ જ ઝેરીલી ફાંસ હોય છે "85 આખું શહેર કૃતાંતની મુઠ્ઠી, ને એમાં સૌ ભયત્રસ્ત, એમાંથી જે લહેરથી નીકળી શકે એ લાશો બિંદાસ હોવાનું કવિ કહે છે. મૃત્યુબાદ શરીરની તેમજ માનવની પણ થતી અવદશાની વાત “દસમણ અગ્નિમાં કરાઈ છે. દસમણ અગ્નિમાં હાથ પછી સળગી ઊઠે છે. બધું જોતજોતામાં હળફળ બની જાય છે. પંડય ધુમાડો થૈ ગયું ને તણખો થઈ ગઈ વાત "8 મૃત્યુ માનવને એક પળમાં છે' માંથી હતો' બનાવી દે છે. 1981 માં “સનનન, નામનો કાવ્યસંગ્રહ રમેશ પારેખ પ્રગટ કરે છે. “નીકળીએ’માં મૃત્યુ સમયના પ્રયાણની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy