SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 390 હું સંચરતો કે શ્વાસ પહેરીને - નિદ્રા પગલાં વીણે” 27 કાવ્યનાયક અને કવિ બને અહીં એક જ છે. જે ક્ષણે ક્ષણે બટકાતા હોવાનો અનુભવ કરે છે. “મને વાવલિયા ઢોળે હાથ દૂરના નજીક આવી રહેલા મૃત્યુની ચિંતા નથી. તેથી તો ઊંઘની રજવાડીઓ' શબ્દપ્રયોગ થયો છે. મૃત્યુ વ્યક્તિરૂપે નજીક આવી રહ્યાનો અનુભવ અહી સુપેરે વ્યક્ત થયો છે. “આ મારી આંખ કને ઊભો તો, રાતદિવસ મારા જીવવા પર કલાકે અડધે કલાકે ડંકાની છડી પુકારે મારી સામે લાંબો લાંબો માણસ જાણે લાંબો ઊભો” 8 જીવનની મુઠ્ઠીમાં ગંધાતા મૃત્યુની, અનાગતની કવિ આ રીતે વાત કરે છે. “દરેકની મુઠ્ઠીમાં પડ્યો પડ્યો ગંધાય અનાગત દરેકની મુઠ્ઠીમાં ઉકલે અમરતજૂની વાવ દરેકની મુઠ્ઠીમાં સળગે મસાણ જૂના” 9 જીવનના અમિયલ કૂપાની તૂટન રાવજી આ રીતે વ્યક્ત કરે છે. “મારો લહેરાતો લય બટકે મને મડદામાંથી પાછો ખેંચી પૂછે ....મારા મડદા પર મૂકીને મારું નામ મને પડકારે” 70 પોતાનો જ શ્વાસ હવે અદીઠો અજાણ્યો લાગે છે. શ્વાસ સુંવાળા શરીર બનીને પાસે બેસે છે. “મૃત્યુ જેવા અદીઠ સરતા શ્વાસની પરખ રાવજીને છે. ખરતા તારા વચ્ચે કરેણનાં ફૂલની ઝાલર રણકતી સંભળાય છે. કવિ કહે છે. એવું લાગે, કે ભઈ ઘણીવાર તો જીવવાનું આ લફરું પણ બીજાને માથે નાખું” 1 તો ક્યારેક દેહમાં આત્માનો ભાર ન હોવાનુંય અનુભવાય છે. પ્રેમને એઠું બોર કહેતા રાવજી એને જ, અધૂરી વાસનાને જ માનવનાં કષ્ટોનું કારણ ગણાવે છે. એમાંથી કદાચ છૂટવું છે રાવજીને, તેથી તો કહે છે - “હું આવ્યો છું હવે અંતહીન નિદ્રા ઘડવા” 72 રઘુવીર ચૌધરી કહે છે, “હું આવ્યો છું, હવે અંતહીન નિદ્રા ઘડવા, આ દાવો શબ્દાન્તરે મૃત્યુનો સ્વીકાર કરે છે. કવિ મુક્તિ નથી માગતો, શાશ્વત નિદ્રા ઝંખે છે.” 3 તો સુરેશ જોષી કહે છે “રાવજીમાં મરણ સાથે સંકળાયેલી રુદિષા નથી, મરણવિષયક કાવ્યોમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy