________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 389 નવસારબિંદુમાં ખતમ થયેલા ખેલની વાત કરાઈ છે. જો કે નવો ઘાટ ઊતારવાનો નીંભાડો તૈયાર હોવાની વાતમાં નવું રૂપ, નવો આકાર, પુનર્જન્મ પ્રત્યે આંગળી કરે છે. ફસલા શરીરના પોટલામાં ચીંથરા વિના કંઈ નથી. તેથી જ સમયસર હોલવાઈ જવાની વાત કવિ કરે છે. “ગોરંભોમાં જીવનની ચાલતી ચક્કીની વાત મૃત્યુની અનિવાર્યતાનું પ્રતીક છે. “ચક્કી તો ચાલે જ છે. બે પડ વચ્ચે જે આવ્યું તે દળાયું મારા એક એક અશ્વ છોડી દઉં” છે કબીરજી કહે છે તેમ “દો પાટન, બીચ બાકી બચા ન કોય' આજનો માનવ જીવનની અધૂરપ એવી તો અનુભવે છે કે મૃત્યુનેય જાણે પોતાનો ખપ નથી. એવું એ માને છે. “સ્વયં મૃત્યુનેય ભલે થાય કે, આને અહીં જ પડ્યો રહેવા દો” 4 મૂળગામ કે અસલી નામ કદી કોઈનેય હોતાં નથી. એ વાત “ગાળી જો શકાય'માં વ્યક્ત થઈ છે. “પંખી તો આ ડાળ છોડી ક્યારનોય વિદાય થયાં” , માનવજીવનની નશ્વરતાને વાચા આપતાં ચંદ્રકાંત શેઠ કહે છે “સુચંચળ બિંદુને સિંધુ માની માનવ મહેલ રચે છે, પછી ભલે તે સૌ ઢળી જાય” ચેતનાનાં બધાં રાજ આથમી જાય એની કાવ્યનાયકને પરવા નથી. કારણ તેઓ હદનીયે પાર જવા માગે છે. “ભલે હવે ક્ષણક્ષણ બુદ્ધની જેમ ફૂટી ફાટી જાય ઊંટ જેના નાકામાંથી સેંકડો જ પસાર થયા એ જ સોય કેવી ઊઠે ધ્રુજી એક મારી ચેતનાનો દૂરથી નિહાળે દોર” * અનેક જન્માન્તરોનો સંદર્ભ અહીં વણાયો છે. મણિલાલ દેસાઈ ૧૯૬૮માં “રાનેરી” પ્રગટ કરે છે. “રણ....૨માં દૂર દૂર વાગતી ઘૂઘરીનો રણકાર મૃત્યુના આગમનનો સૂચક છે. કવિ રાવજી પટેલનો મરણોત્તર સંગ્રહ “અંગત' પ્રથમ ૧૯૭૧માં ને ૧૯૮૨માં બીજી વખત પ્રગટ થાય છે. “સંબંધ” નામનું 450 પંક્તિનું કાવ્ય “અંગત’ અને ‘બિનંગત'ના સમન્વયનું છે. જાણે કવિની પોતાની જ કરુણ-પ્રશસ્તિ. રાવજીનું સત્ય એટલે એનો નિજી અનુભવ. જે મૃત્યુની સાક્ષીએ થયો હોવાથી માતબર છે. આ કાવ્યનું બીજું સૂચક શીર્ષક છે. “ક્ષયમાં આત્મદર્શન' નજીક આવી રહેલા મૃત્યુનું પારદર્શક દર્શન અહીં વાચાબદ્ધ બન્યું છે. આવી રહેલી શાશ્વત નિદ્રા માટે રાવજી “નિદ્રાના કેશલ ટોળાં' શબ્દ વાપરે છે. મારી ઊંઘ ભેદીને પીગળી મહુડલ ટેકરીઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust