________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 388 મોત પયગમ્બરનેય ન છોડે. “મૃત્યુ” નામના સિક્કાને તેઓ માત્ર ઈશ્વરની નબળાઈ તરીકે જ સ્વીકારશે. બાકી એમના અસ્તિત્વના આરસ મહેલમાં મૃત્યુની ચાખડી ખખડે એની એમને કોઈ જ પરવા નથી. એક પલાયા અશ્વ ઉપર બેસીને ભાગેડુ દીકરાની જેમ ઘર મોઝાર પહોંચવાની વાત કરતા કવિ ચિનુ મોદી પણ એટલું તો સ્વીકારે છે કે મૃત્યુ જ એમને લઈ જશે પોતાને ઘેર. “અશ્વ' અહીં મૃત્યુદૂતનું પ્રતીક છે. ૧૯૭૪માં “ઊર્ણનાભ' લઈને આવતા ચિનુ મોદી યમદેવના શસ્ત્રનો દુરુપયોગ થતો અટકાવવા “મોતની સામે મનાઈ હુકમ' પણ ફરમાવે છે. “મૃત્યુ' કાવ્યમાં ઝીણા કૂણા ઘાસ જેવા જીવનને પેલા યમરાજના મહિષની છાયા પડતાં ચગદાઈ જવું પડતું હોવાની વાત કરાઈ છે. ૧૯૭૮માં “દેશવટો' લઈને આવતા ચિનુ મોદી જન્મમૃત્યુની અફરતાનો નિર્દેશ કરતાં કહે છે માત્ર કાગળના ફૂલને જ જન્મ પણ ન હોય, મૃત્યય ન હોય. બાકી તો જે જન્મે એ મરે જ મરે. બે શ્વાસની વચ્ચે આટાપાટા રમતા દેવને (મૃત્યુદેવ) રીઝવ્યા વગર તો છૂટકો જ નથી. અન્યદેવને જળસમાધિ લેવડાવી શકાય. મૃત્યુદેવને ઘરના ટાંકામાં પધરાવી દઈ શકાતા નથી. એમની તો આજ્ઞા શિરે ધરવી પડે. * કવિ ચંદ્રકાન્ત શેઠ માનવની અંતિમ અવસ્થાનું પ્રતીકાત્મક વર્ણન “નકામો શોર કરે (‘પવન રૂપેરી)માં કરે છે. “શઢ સંકેલી જીવ પડ્યો આ ઘાટે કહેતા કવિ જીવન વિરમી ગયાની જ વાત કરે છે. જીર્ણ થયેલ જીવ, જીવનમૃત્યુને ઘાટ પછી ડૂબી જાય છે. ૧૯૭૪માં ઊઘડતી દીવાલો' લઈને આવતા “ચંદ્રકાંત શેઠ” “ક્યાં છે મારું મોત’ ? કહી પોતાના મોતને શોધે છે. “મોત તો જિગરજાન મિત્ર છે એમને માટે. પોતાના મૃત્યુની કાળોતરી કઢાવવી છે એમને. એ કામ તેઓ મૃત્યુનેજ સોંપે છે. “જરા આ બંદા પર રહેમ કરી કાઢી તો આપો મારી કાળોત્રી - બંદેનવાજ ! કેમનું છે મારું મોત ?" પલ આધુનિક માનવની જીવનગુંગળામણને તેઓએ “મારેય હતું જન્મદિવસ જેવું કંઈક' કાવ્યમાં વાચા આપી છે. (પડઘાની પેલે પાર' 1987). “અમને સખત લાગે છે અમારા હોવાની ગૂંગળામણ” જ પ્રતીકાત્મક રીતે માનવની મૃત્યુઝંખનાય અહીં વ્યક્ત થઈ છે. “આપ અમને મદદ ન કરો ? [, આ જીર્ણ કોટની થોડી - ઇંટો ન ખેંચી આપો”? “થોડુંક મીઠું મીઠું મોત હૂંફાળું મોત” 1 તેઓ ઇચ્છે છે. “તાજી હવામાં ભેળવીને આપી શકાય એવું, થોડુંક સરસ મધમધતું મોત... 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust