________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 387 “મૃત્યુ છે એક મોટું મોઝેઈક. દૂરથી એ આખા માણસ જેવું લાગે છે ...એનું શરીર માણસનું છે. છતાં એને વૃક્ષ પણ કહી શકાય આદિ મનુષ્ય એને વાદળું પણ કહે એની ધોરી નસ કાપીએ તો, ધખધખ કરતાં જીવડાં એમાંથી નીકળે... મને મૃત્યુ સામે જ ઊભેલું દેખાય છે. આછરેલા પાણીના અરીસામાંસાવ સામે ઊભું ટગર ટગર તાકતું” 55 ૧૯૭૪માં “સૂરજ કદાચ ઊગે' નામનો સંગ્રહ લઈને આવતા કવિ હરિકૃષ્ણ પાઠકની કવિતામાં પોતાનાં દ્વાર રોજ ખોતરનાર “ભમરો” (“કરું') પણ મૃત્યુનું જ પ્રતીક. કેટલીય બળતી ચેહ આંખમાં આંસુ લાવી દે છે. તો વૃક્ષની વિદાયની વાત, પણ કોઈ વૃદ્ધ વ્યક્તિની મૃત્યુપ્રતીક્ષાનું સૂચન કરે છે. પાંદડાની પથારીનો સાથરો પાથરીને ઊભેલું વૃક્ષ અંતિમ ઘડીની રાહ જુએ છે. લો આવો ચેહ ઠરી ગઈ છે, હું યે ફરી વેરવિખેર મારા થકી જે અજાણરૂપ સૌએ મળીને કંઈ સ્પષ્ટ તો કર્યું પર કવિ ચિનુ મોદી શ્વાસને મરણ ઢાંકવાનું આવરણ કહે છે. તેઓ કહે છે, જીવવા માટે માણસને વર્ષો મળે છે. જ્યારે મરણ માટે માત્ર એકજ પળ, જીવવાનું વર્ષોમાં, મરવાનું પળમાં. પોતાના મરણનો ભાવ ઊંચો હોવાનું કહેતા કવિ મોંઘા કફનની યાચના કરે છે. “મોંધું કફન, ઓઢાડવું પડશે મને મારો મરણનો ભાવ વધતો જાય છે” પ” (“શાપિત વનમાં'). ચિનુ મોદીનું “સૂર્ય' કાવ્ય પ્રતીકાત્મક છે. એક અજાયબ છાયા હાથમાં હથિયાર લઈ દશે દિશાને કાર ઘૂમી રહ્યાની વાત સર્વત્ર ઘૂમતા મૃત્યુનું સૂચન કરે છે. મૃત્યુ દશ્યરૂપે પ્રતીત નથી થતું, અજાયબ છાયા રૂપે ઘૂમ્યા કરે છે એ સર્વત્ર. સાત દાદરા ચડી પરદાદાને વાસ નાખવા જતાં, પેલા કાગડાઓ કાવ્યનાયકને મૃત્યુ પ્રત્યે સભાન બનાવે છે. પણ કાવ્યનાયકની આંખ ઊઘડતી નથી, ને એનો રસ્તો રોકી કોક કાચીંડો (રંગ બદલતું મૃત્યુ) જાણે ઊભેલો દેખાય છે. “હું કાચીંડો, ઝાડ ઝાંખરે છુપાયેલા પયગમ્બરનું હું મોત 58 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust