SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 386 “મારે મુક્તિ જોઈએ છે. એ જ મારી મોટામાં મોટી - આકાંક્ષા છે” પર ૧૯૬૮માં “બૂમ કાગળમાં કોરા'ની બીજી આવૃત્તિ પ્રગટ થાય છે. આત્માની અમરતામાં ન માનતા કવિ લાભશંકર મોતને જૂઠું ગણે છે, ને મોતનો ઇન્કાર પણ કરે છે. જો કે મૃત્યુનો ભય તો તેઓ અનુભવે છે. આ તો મનમાં આવ્યો એક અપંગ વિચાર કરી મૃત્યુનો ને ધ્રૂજી ઊઠયો રે થરથર સૂકા ઘાસ સમા....” 53 એકાદ કચડાયેલી કીડી, કે એકાદ મૂછાળા માનવનું મૃત્યુ કાવ્યનાયકને પોતાના મૃત્યુનો વિચાર આપી જાય છે, ને એ સાથે જ સમગ્ર અસ્તિત્વ ધ્રૂજી ઊઠે છે. ૧૯૮૭માં આધુનિક માનવની અર્થહીનતાની અનુભૂતિમાંથી લાભશંકર ‘લઘરો' સર્જે છે. મૃત્યુ સાથે આંખ મિલાવતાં પહેલાં લઘરાએ વાસ્તવ કવિતામાં પડેલા બ્લેક હોલમાંથી જોયું છે. “લઘરો' સમગ્ર માનવ અસ્તિત્વનું પ્રતીક છે. “લઘરો' કાંઈ અંતિમ નથી. “લઘરો' જભ્યો પરંપરિત આત્મસાત નો નકાર કરતો અને “લઘરો'જ આત્મસાત થઈ ગયો. બધી જ વાતનો આખરે અંત આવે છે. એમ જળસૂત્રધારા તૂટક તૂટક થતી જાય, જેમ માણસનું આયખું ખૂટી જાય, એમ બિંદુ બિંદુ થતાં આવે અંત, જળાશયની સભરતાનો, જળસૂત્ર ધારાનો, અને એના, સમજો, ને ટોટલ ઓડિયોવિઝયુઅલનો.” તો બીજી બાજુ કવિ માનવજીવનને અર્થસભર પણ ગણાવે છે. “પણ એમ કંઈ અંત નથી આવતો માનવજંતના જીવન-તંતનો” “હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી ચેતના સેરિબલ, એની પ્રશુષ્ક શાખા પ્રશાખામાં જકડાયેલું મૃત્યુફળ ઉછળ્યું, અધ્ધર અને પડ્યું નીચ કવિ કહે છે “પૂરતું મરતાં નથી આવડતું માનવીને.” 54 ૧૯૮૯માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ “કાલગ્રંથિમાં લાભશંકર, જીવનની નિરર્થકતાનો અનુભવ કરતા માનવની વાત કરે છે. આવો માનવ પણ, મોત સમયેય મરવા તો નથી જ માગતો. ક્રમશઃ આવી રહેલા મૃત્યુની વાત તેઓ આ રીતે સમજાવે છે. “માણસ ઝાડની જેમ સૂકાતો જાય, ખરતો જાય, ખખડતો જાય, સૂનમૂન અને એક દિવસ “રામનામ સત્ય છે' બસ યંત્રવત જીવવાનું, ને પછી એક દિવસ પૂર્ણવિરામ. અસંખ્ય કાચોને વીંધી કોક (મૃત્યુ ?) નિપ્પલક તાકી રહ્યું છે. રધુવીર ચૌધરી “મૃત્યુ' નામની ગઝલમાં પળેપળે માણસનો પીછો પકડતા મૃત્યુના સ્વરૂપને સ્પષ્ટ કરવાનો યત્ન કરે છે. છાનુંમાનું આવતું મૃત્યુ દેખાતું ભલે ન હોય, પણ પગલીએ પગલીએ એનો અનુભવ માણસને અચૂક થાય છે. સતત કાર્યરત રહેવા છતાં આ મૃત્યુ કદી અકળાતું નથી. (‘તમસા') ગુલામ મોહમ્મદ શેખ ૧૯૭૪માં “અથવા” કાવ્યસંગ્રહ પ્રકાશિત કરે છે. ગુલામ મોહમ્મદે “મૃત્યુનું માનવીય સ્વરૂપ આકાર્યું છે. Death as a person. દૂરથી પણ મૃત્યુનાં પાંસળાં એમને દેખાય છે. કવિ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy