________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 385 ઓચિંતી, ઊંઘમાં જ ઠરી જાય જિંદગી” 49 જગદીશ જોશી કહે છે “હું જોઉં છું મારી ઉત્તરક્રિયા' પોતાના જ મૃત્યુ વિશે સાક્ષીભાવે વિચારવું, કે કલ્પવું એ હિંમત માગી લે તેવો છતાં રમ્ય અનુભવ છે. મરનાર જીવ જાણે તળિયે નાવ ડૂબે એમ પોતાની શયામાં પોતાને શમતો અનુભવે છે. સ્મશાનમાં પ્રવેશતાં જ મંદિર આવશે, પણ મરનારને એ મંદિર દેખાશે નહિ, એનાથી હાથ પણ જોડાશે નહિ. સ્મશાનની બહાર વહી જતાં વાહનોની ભીડને કાયમ માટે ક્રોસ કરીને મરનાર તો નીકળી જાય છે ક્યાંક દૂર દૂર. ૧૯૭૯માં જગદીશ જોશીનો મરણોત્તર સંગ્રહ “મોન્ટા કૉલાજ' પ્રગટ થાય છે. ‘ક્ષણોના લાક્ષાગૃહમાં મૃત્યુના વર્ચસ્વનું એક વિરલ કાવ્ય છે. સૌનો કાન આમળતા મૃત્યુના શાસનનું કવિ જોરદાર વર્ણન અહીં કરે છે. “પંદરસો વર્ષ પહેલાંના પેલા પેલા લેટિન કવિની જેમ આજે પણ મૃત્યુ કાન આમળે છે ને કહે છે “જીવ્યે રાખ બેટા તો તે હું આવું ત્યાં સુધી....” 50 મૃત્યુ આવશે ત્યારે જીવન નહિ હોય, સ્વજનના મૃત્યુ બાદ થતા શિષ્ટાચારો માટે કવિ કરણ આક્રોશ વ્યક્ત કરે છે. ચિંતાનો ચહેરો ઓઢીને કે ક્યારેક ઉડાઉ વાચામાં એને છેહ-વટો દેતા સ્વજનોને જગદીશ જોશી ઉઘાડા પાડે છે. આ લાભશંકર ઠાકર ૧૯૬૫માં ‘વહી જતી પાછળ રમ્યઘોષા' લઈને આવે છે. “તડકો’ કાવ્યને સિતાંશુ મહેતા નવજાતની ભાષામાં આસન્ન મૃત્યુની અર્થલુપ્ત તેથી અન્યાર્થ સભર કથા તરીકે ઓળખાવે છે. સંયોગના નવા જ વિકાસ પછી અંતે “તડકો જાય મરીમાં મરણના સત્યને કવિ પ્રગટ કરે છે. લાભશંકરને મન મરી ગયેલું શરીર ઉચ્છલ સુગંધથી સભર છે. તેથીજ તેઓ “મારે નામને દરવાજે'ને મરી ગયેલાં શરીરોની ઉચ્છલ સુગંધના સંગ્રહ તરીકે ઓળખાવે છે. આત્માની અમરતામાં ન માનવા છતાં જાયે અજાણ્યે આત્માના અમરત્વની વાત તેઓ કરી નાખે છે. માણસની વાતમાં કેટલાંક ઇમેજ, ભાવ પ્રતીકો - શૈશવ તથા મૃત્યુનાં આકર્ષક છે. - જેમ કે, “તેમ છતાં છેદો, તપાવો, ઘસો કે ટીપો પણ નદીઓ પોતાનાં જળ પીવા જતી નથી છે અને વડવાનલ હમેશાં સમુદ્રને બાળે છે” 51 માણસની મુક્તિઝંખનાને કવિ આ રીતે વ્યક્ત કરે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust