________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં યુનું નિરૂપણ 381 શાતા આપનાર ભાઈને વિનંતિ કરાય છે. કંકણ નહિ, દુઃખને વીણવાનાં છે. કવયિત્રી કહે છે. “દેહના ઘૂમટે લાજ મૂકી લ્યો ઢાંકજો વીરા નાની વહુના કંકણ ફૂટ્યા રે વણજો વીરા સૂકે પાંદડ... લીલું બળે રે ઠારજો વીરા....” 39 ૧૯૯૦માં દક્ષા દેસાઈ નિર્જળા નદી' લઈને આવે છે. “તારા પછી'માં પ્રિયજનના સ્મરણની વાત કવયિત્રી કરે છે. ઘેઘુર સ્વજનની સ્મરણ પાંદડીથી જણે એ રમે છે. સડક પર જેમણે ચાલતાં શીખવેલું એ માને “ટ્રસ ટેસ્ટમાં યાદ કરાયાં છે. હવે મા નથી'ની વેદના આ રીતે વ્યક્ત થઈ છે. “મા તું સદા ધબકતો શ્વાસ - ખડી પડેલી ભીંતડીઓમાં પડઘાતો કોમળ શ્વાસ માણું માથે ફરતો હાથ હીંચકાનો કચૂડાટ સાંભળું ગીતવછોઈ વાણી કૂવે ખૂટ્યાં પાણી રે ! તું ક્યાં છો મારી માડી ! " 40 કવિ ઇન્દુકુમાર વ્યાસ ૧૯૮૫માં “સંનિવાસ' લઈને આવે છે. “સગત માતાની સ્મૃતિમાં માને અંજલિ અપાઈ છે. વાત્સલ્યથી ભર્યોભર્યો રેશમી અવાજ અવકાશમાં વ્યાપી ગયાનું દુઃખ વ્યક્ત થયું છે. કપૂરક્ષેત, આજારવૃદ્ધ દેહ પાવક અગ્નિમાં મળી ગયાની વાત તેઓ વ્યથિત હૈયે કરે છે. રહી શેષ માત્ર સંસ્કૃતિ. તો પત્નીના મૃત્યુ પ્રસંગે ને કવિ ઇન્દુકુમાર કારમી રીતિ કહે છે. અંતરના ઊંડાણમાંથી ઝરણાં સમાં સ્મરણો ફૂટે છે. - પ્રીતિ સેનગુપ્તાનો કાવ્યસંગ્રહ “ખંડિત આકાશ” ૧૯૮૫માં પ્રગટ થાય છે. ‘કાન્તાગૌરી’ કવયિત્રીની માતાના નિધન પછી રચાયેલી સ્મૃતિનું અનેરું સંવેદનકાવ્ય છે. માને ભેટ આપેલી પેનથી ડાયરીમાં પોતાનું નામ લખનાર માના ‘કાન્તાગૌરી' અક્ષરો આંખ સામે તરે છે. ને કવયિત્રીનાં આંસુમાં થીજી જઈ એ અક્ષરો અમૂલ્ય બની જાય છે. પછી વેદનાના ભારથી કચડાઈ કેલિડોસ્કોપની જેમ કણી કણી થઈ વેરાઈ જાય છે. અસ્વાભાવિક' કાવ્યમાં માના મૃત્યુ પછીની પોતાની ભીતરી સંવેદનાનું વર્ણન કવયિત્રીએ કર્યું છે. માને ગુમાવ્યાની વાત તેઓ કરે છે, ત્યારે તો તેઓ સ્વાભાવિક હોય છે. પણ મનના એકાંતમાં ઝાટકો વાગે છે, હૃદયનું રક્ત આંખ સુધી છલકાઈ આવે છે. ૧૯૮૭માં “સૂરજના શહેરમાં' સંગ્રહ પ્રકાશિત કરનાર કવિ નિરંજન ભટ્ટને સ્વજનનું મૃત્યુ સ્વમૃત્યુનો જાણે જીવતાં જીવત અનુભવ કરાવે છે. હાલીપુત્રી ઉષાના મૃત્યુસંદર્ભે હૃદયનો વલોપાત તેઓ અહીં ઠાલવે છે. સરસ મઝાનું ફૂલ કાંઈ જિંદગીભર સાથ નથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust