________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 378 ૧૯૮૧માં રક્ષા દવે નિશિગંધા’ લઈને આવે છે. અહીં મુખ્યત્વે મીરાં વિષયક કાવ્યો છે. જો કે નાનાજીને અંજલિ આપતું કાવ્ય અહીં પણ છે. “ભીડ' કાવ્યમાં નાનાજીનાં ભીનાં સ્મરણો આલેખાયાં છે. કવયિત્રી કહે છે. “જગ છે, રવ છે, પણ અહીં નિતનો ચૂપ એક હોંકારો” 1 કવયિત્રી કહે છે “જીવન કોટેજ (ધરનું નામ)માં હવે જીવન નથી રહ્યું. નાનાજી જતાં સૌ પોતાને “મોભ વિનાની ભીંતો' જેવા અનુભવે છે. “બસ' કાવ્ય પણ નાનાજીને અંજલિ આપતું કાવ્ય છે. જેમાં અંગત ઊર્મિઓ વિશેષ છે. કાવ્યત્વ નહિવત . ૧૯૮૬માં પ્રકટ થયેલા રક્ષા દવેના “અજવાસ' સંગ્રહમાં સ્વજનો, પરિચિતોના અવસાન નિમિત્તે રચાયેલાં કાવ્યો અતિસામાન્ય કક્ષાનાં છે. - કવિ સતીશ ડણાક ૧૯૮૧માં “એકાત્તવાસ' સંગ્રહ પ્રકાશિત કરે છે. ૧૯૭પમાં એમનાં પત્ની સરોજનું અવસાન થતાં Bienek નું વિધાન There is only one alphabet left pain.' એમને સારું લાગે છે. મૃગજળની જેમ રણ બનેલા જીવનની રેતમાં જાણે તેઓ દોડ્યા કરે છે. પ્રિય સ્વજનનું અવસાન થતાં “થીયાં હતાં જે રાતભર ઝાકળનહીં.. અશ્રુબિંદુ આંખથી ખરતાં રહ્યાં... 32 સ્વજનના અવસાને આયખું શૂન્યવત બને છે. ચારે બાજુ જીવનના પીળા પાક પર નજર ઠેરવતાં વિનાશનાં તીડ ઊડતાં દેખાય છે. “ચાદર લપેટી આભ સૂતું મૌનની બે કાફલા મોઘમ મહીં હસતા રહ્યા” 33 સ્વજનમૃત્યુને કારણે વિષાદમગ્ન બનેલા જીવનને કવિ લોહીથી ભીની થયેલી નદી સાથે સરખાવે છે. પત્નીના અવસાન સમયે પહાડ થીજી ગયેલો અનુભવાય છે. નિર્જનતાના ટાપુઓ પર આંસુનાં વૃક્ષો ઊગી જાય એ પહેલાં એમને સદા માટે ચાલી નીકળવું છે. પત્નીના અવસાન સાથે દાંપત્યજીવનનો અંત આવે છે. કવિ કહે છે. ચોત્રીસ ચોત્રીસ વર્ષથી સળગી રહેલો સૂરજ ખુલ્લી આંખો રાખી ઠરી ગયો છે....” 34 ને છતાં સ્મરણો તો હજુ એવા ને એવાં જ છે. સફરજનના ફૂલ જેવો સદ્ગત પત્નીનો શ્વાસ હજીયે કાવ્યનાયકના એકાંતવાસમાં ખીલ્યા કરે છે. અજિત ઠાકોર “અલુક' નામનો કાવ્યસંગ્રહ ૧૯૮૧માં પ્રકાશિત કરે છે. “મૃત્યુ૧'માં સ્વજનમૃત્યુને કારણે સીમ પણ જાણે બારણા આડે ઊભી રહી ભાંભરતી, ને વિલપતી હોવાનું કવિ વર્ણવે છે. જનમ કુંડારિયા ૧૯૮૧માં “કલરવનાં પગલાં' લઈને આવે છે. “વિધવાના પ્રશ્નાર્થનું ગીત'માં સીધો મૃત્યુ સંદર્ભ નથી, પતિ મૃત્યુ પામતાં પત્નીની સ્થિતિમાંથી ઊભા થતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust