________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 375 માધવ રામાનુજે તો શબનેય આંસુ હોવાની કલ્પના કરે છે. “ઠીબ ખાલી હલે છે'માં મૃત વ્યક્તિનાં આંસુને ન જોનાર, સ્વજનો એની પાસે ન હોવાની વ્યથા વ્યક્ત થઈ છે. એ જ રીતે મૃત વ્યક્તિ જોઈ શકતી નથી. ૧૯૬રમાં “મહેરામણ’ સંગ્રહને પ્રગટ કરનાર ચંદ્રકાંત ટોપીવાળા ‘વિધુર' કાવ્યમાં પત્ની અવસાન પામતાં પતિની વિષમ મનોદશાનું વર્ણન કરે છે. દ્વારની નાની સરખી ફાટમાંથી અંદર ક્યારનો આવવા મથતો આકાર, પત્નીના આગમનની ભ્રમણા જ છે. જે કરુણને વધુ ઘેરો બનાવે છે. ૧૯૭૭માં ‘રૂપરોમાંચ' લઈને આવતા કવિ શશિશિવમ્ “પિતાને પત્ર” અને “પિતાને ઉત્તર' રચનાઓમાં મૃત વ્યક્તિના ગુણ અને પોતાની અલ્પતાનું વર્ણન કરીને કૃતિને કરુણનો પુટ આપે છે. “એકાન્ત પમરે’માં પ્રિયજનની અનુપસ્થિતિમાં તેને જોયાના વિભ્રમનો ચમત્કાર વર્ણવતાં શશિશિવમ્ લખે છે. પથારીના દીસે સળ સુતનું કાયા હજી સૂતી” * જે કરુણનો વિવર્ત છે. “ઘટ' કાવ્ય દ્વિઅર્થી છે. પિતાએ વારસામાં આપેલો ઘટ હજુ એવો જ કોરો કટ હોવાનું તેઓ કહે છે. અસ્તિત્વના આ ઘટને સ્વેચ્છાએ બદલી શકાતો નથી. છાપરાના ચૂવામાંથી નીતર્યા કરતા અને નળિયામાંથી ટપક્યા કરતાં જલબિંદુઓ ટપકતી આંખે જોતાં કાવ્યનાયક સદ્ગતના સ્મરણે હલી ઊઠે છે. ૧૯૮૫માં કવિયત્રી કમલ વૈદ્ય (સુશીલાબહેન વૈદ્ય) " ઉજ્વલ શર્વરી' નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત કરે છે. “બા જતાં'-૧-માં બાના અવસાનના આઘાતની વ્યથા શબ્દબદ્ધ બની છે. “બા એવું તે કેવું સૂઈ ગઈ કે બધા એને લઈ ગયાં બહાર' નાનીદ્ધનના આ પ્રશ્નની માર્મિકતા અસરકારક છે. તો “બા જતાં-ર'માં બા જતાં જીવનમાં વ્યાપેલા કરુણઘેરા અધકારની વાત કરાઈ છે. બા વિદેહ થતાં અન્યથા ગમતાં કલિ, ફૂલ, ફલ, પરિમલ, રસાસ્વાદ બધું જ નિરર્થક લાગે છે. ઘરનો મોભી આંખ મીંચી લે, પછી બધુંજ હંમેશ માટે વિરમી જાય છે. જનારને રોકી શકતું નથી. (‘ઑપરેશન થિયેટર') આંખમાં આંસુ સમસમી રહે છે. જેને વીતી હોય એને જ ખબર પડે કે “અંતિમ વિદાય' શું છે? સ્વસ્થતાનો દેખાવ કરનાર સ્વજનના હૃદયમાં તો અવિરત વહેતો હોય છે કરુણરસનો ઝરો. યોસેફ મેકવાન ૧૯૬૯માં “સ્વગત' કાવ્યસંગ્રહ પ્રકાશિત કરે છે. “જિંદગી' કાવ્ય કવિએ Tchnikovsky ની કૃતિ “પેથેટિક સિમ્ફની' પરથી રચ્યું છે. કાવ્યનાયકને દ્વારે જાણે આભ ઊભું છે. ને તેઓ એ દ્વારની પેલી પાર પહોંચે છે. ઉપર ઝાંખો સૂર્ય હસી લઈ વાદળમાં સંતાય છે ને કિરણોના હાથને પ્રસારે છે. . “હાથમાં મૃત્યુ તો શું મહોર્યું અવકાશ હજી યે મૌન ટઅઅઅપ ટઅપ ટપ....૫” રપ મનોજ ખંડેરિયાનો “અચાનક' કાવ્યસંગ્રહ ૧૯૭૦માં પ્રકટ થાય છે. “ભીંત મૂગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust