________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 374 કે પછી ખરેખર એની પાસે જ એના મૃત્યુનું અફર આજ્ઞાપત્ર હતું” ? 1 કવિ કહે છે, ના, બધું જ પૂર્વયોજિત હોય છે. લોકો ભલે એને અકસ્માત કહે, એ જ હોય છે સફાઈબદ્ધ નિયતિ. “શ્રદ્ધા' કાવ્યમાં સદૂગતનાં સ્મરણોની વાત વિશિષ્ટ આભાસ સ્વરૂપે વ્યક્ત થઈ છે. કાવ્યનાયિકા પરિચિત મુલાયમ દેહસુગંધનો જાણે કે અનુભવ કરે છે. પ્રિયસ્વજનના મૃત્યુથી સર્જાતી કરુણતાને અહીં આ રીતે વાચા અપાઈ છે. એ તું છે ? તું જે હજી ગઈકાલે જ મારા કપાળેથી ચાંલ્લો ભૂંસીને ચાલી * ગયો હતો ને?” રર ને હવે પોતે છે, અફાટ સમય છે; પણ પતિ નથી, ને છતાં પ્રિયજન માથે હાથ ફેરવતો હોય, તેમ એની સૂક્ષ્મ હાજરી શાતાય પમાડે છે. કેન્સરમાં પોતાના પતિને ગુમાવી બેઠેલી પત્ની, એ રોગની દવા શોધાતાં, વ્યથિત ચિત્તે, જાણે પતિ હયાત હોય એમ, ઔષધ શોધાય ત્યાં સુધી તેઓ જીવ્યા હોય તો, તો તે વધુય જીવી જાત ને? (“કેન્સરમાં અવસાન પામેલ પ્રિયજનને) જનારે ઉતાવળ કર્યાનો હૃદયભેદી વલોપાત અહીં વ્યક્ત થયો છે. મૃત્યુની કાળાશ, ભયાનકતા તેમજ કરુણાનો અનુભવ કરાવી સ્વજનને બેબાકળા બનાવી દે છે. ફૂલોની વાતમાં માના અવસાનને વેધક રીતે હલબલાવી નાખે એવી સંવેદનામાં કવિએ મઢી આપ્યું છે. મોંઘા ઇંગ્લીશ ફૂલ એકવાર લઈ આવેલી બાને, કાવ્યનાયકે ઠપકો આપતાં, એ ભોંઠી પડી ગયેલી. બાના મૃત્યુ સમયે અસંખ્ય ફૂલોથી બાને શણગારી હતી. કવિ વિચારે છે, આટલાં બધાં ફૂલો જોઈ એ ગાંડી થઈ ગઈ હોત. “સદૂગત બા' પણ માને અપાયેલી સ્મરણાંજલિ છે. કાવ્યનાયકને રાત પડતાં કોઈના હાલરડાનો અવાજ સંભળાય છે. હાલરડું તો ઊંધાડે, પણ હાલરડાનો આભાસ ઊંઘને ભગાડી દે છે. સદ્દગત માનું સ્મરણ ઊંઘવા નથી દેતું. માધવ રામાનુજનો “તમે' કાવ્યસંગ્રહ ૧૯૭રમાં પ્રકટ થાય છે. “હળવા તે હાથે જીવનની અંતિમ વેળાની અપેક્ષાનું એક કરુણ મધુર ગાન છે. જીવતાં જે ન મળ્યું, એ મૃત્યુ પછી મળે એવી વાંછના કાવ્યનાયિકાની છે. કેડિયે કોયલ ગૂંથાવાની, ને ફૂમતે મોર ગેંકાવાની ઝંખના એ સેવે છે. મૃત્યુ પછી કોમળ કાયાને કોઈ જો હળવે હાથે ન ઉપાડે તો જીવનના ઘા દૂઝવા લાગે એવી ભીતિ છે. તેથી જ મૃત્યુબાદ “સાથરા પર ફૂલ ઢાળવા, ને ઊને પાણીએ ઝારવા વિનવે છે, જેથી જીવતરભરના થાક ઊતરી જાય. “ટીમણ ટાણે કાવ્ય રાવજીનું સ્મરણ કરાવે છે. “મોતના દમિયલ પગલાં ભીંત ઉપર પડઘાય નેજ હોલું મૂગું થાય” એ કહેતા માધવ રામાનુજે “દમ” કાવ્યમાં દમિયલની સાથે મોતની સરખામણી કરી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust