SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 371 ભીંતે વળગ્યા કંકુના થાપાના ઝેરી દાંત, જતાં આવતાં વાગવાના વાગ્યા કરશે' ત્રણ વખત ઉલ્લેખાયું. દંપતીમાંથી એકનું મૃત્યુ થતા બાકી રહેલાને પેલા થાપા વાગે જ ને ? નયન રોજ રોઈ રોઈ રાતાં બને છે, ને ખાંભી પથ્થરની ભલે ન રચાય નયનોમાં તો એ રોજ રચાય છે. (“સ્મરણોની” “આંસુની) “રાણી સોનલદેનું મરસિયું' સ્વજન પતિ જતાં પત્નીએ ગાયેલું મૃત્યુગીત છે. કરુણતાની અહીં પરાકાષ્ઠા છે. “તમને, મારા લોહીમાં લીલું રમતાં ઝામણ નાગ વળાવું તમને” 15 એને માટે તો ચૂડીનો ખમકાર પણ પતિ જ હતો. “છૂંદણાં બહાદુરો' કાવ્યમાં સરકારી બુલેટ વડે છોકરાઓએ છૂંદણાં છૂંદાવ્યાનું કવિ કહે છે. બદલામાં પોતાનો જીવ તેઓએ આપી દીધો. “તોય તેના છૂંદણાં બહાદુર એ લાડકાઓ તો સફેદ કપડા નીચે ચૂપચાપ સૂતા જ રહ્યા” 2 વેદનાની પરિસીમાની વાત કરતાં કવિ કહે છે, હવે કદાચ કદીપણ માતાની છાતીમાંથી દૂધ પીવાની એમને જરૂર રહી નહોતી. “નવી છાતી' કાવ્યમાં પણ નવનિર્માણ વખતે જુવાન છાતીઓની આરપાર નીકળી ગયેલી બુલેટોનો સંદર્ભ ટાંકતા, રમેશ પારેખ મૃત્યુને બીકણ, લુચ્યું ને ટાલિયું કહે છે. કરુણ આક્રોશની આ પરાકાષ્ઠા છે. કાવ્યનાયકની પત્નીને પ્રસૂતિ થાય છે. એ વિચારે છે આ બાળકના જન્મવાનો શો અર્થ? બાળકની છાતી અવતરી મૃત્યુના શાસનને ઉથલાવી પાડવા ' ? 13 ભવિષ્યમાં સરકારી બુલેટનું નિશાન બનવા ? 13 સદ્ગત માને યાદ કરતો કાવ્યનાયક કહે છે (‘મંદિરમાંથી કાઢી મૂક્યા પછી) હું માના ગર્ભમાંથી જન્મ્યો એકવાર ન હવે મા મારા લોહીમાંથી જન્મે છે વારંવાર મૃત....” જ અનિલ જોશી ચાસનાલાની હોનારતમાં આકસ્મિક રીતે ખાણમાં જ મૃત્યુ પામેલાઓ પ્રત્યે પોતાની તીવ્ર સંવેદના વ્યક્ત કરતાં કહે છે. (‘ચાસનાલાના ખાણિયાઓને સંબોધન') શું તમે હજી ઑવરટાઈમ કરો છો ? શું મૃત્યુનું ઉત્પાદન લક્ષ્યાંક વટાવી ગયું?” 15 P.P.AC. Gunratnasuri M.S." Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy