________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 369 મકરંદ દવે આધુનિક કવિ સમયની દષ્ટિએ ખરા, પણ એમની કવિતા તો આનંદ અને માંગલ્યના પાયા પર રચાઈ છે. તેથી મૃત્યુને એમણે “કરુણરૂપ” કે “ભયરૂપે” ક્યારેય જોયું, વિચાર્યું કે અનુભવ્યું નથી. તેથી તો મોતની મીઠી મુસ્કાન કહેતા આ કવિ મસ્ત મરણને મળવાની ગજબની ખુમારી ધરાવે છે. એમની કવિતામાં મૃત્યુ કરુણરૂપે ક્યાંથી હોય ? જગદીશ જોષીને મન આયુષ્ય એ ક્ષણોનું બાંધી આપેલું સાલિયાણું છે. અંગત અનુભૂતિ, ને કાવ્યાનુભવ એ બંનેમાંથી પસાર થયેલા જગદીશે હૉસ્પિટલમાં મૃત્યુને કઈ રીતે સાકાર કર્યું છે ? મકરંદ દવે કહે છે “અહીં કયા કાવ્યની આંખોમાં આંસુ નથી, કોઈકવાર (વમળનાં વન-૧૯૭૬) તો લાગે છે કે એક સતત જલતી પ્રવાહી આગમાં ઝબોળાઈને કવિની કલમ ચાલી છે.” * “ભૂત રૂવે ભેંકારમાં ઘેરી કરુણતા કવિએ ઘૂંટી છે. જનાર જીવ રહેનારની કોરી નજરે લઈને ચાલી જાય છે. (જળને કહી દો)ને જૂની સાંજ સમું આંસુ આંખમાં આવી અટકી જાય છે. જનાર અને રહેનાર બંને જણ પરસ્પરને ઘેરાતી સાંજના સોગંદ આપે છે. પીળચટ્ટી સાંજનું બેડું તૂટી જાય છે. જીવન વિરમી જતાં સૂરજનો રંગ નંદવાય છે. (‘સૌભાગ્ય સૂરજ') જનાર જાય, પછી સ્વજનના જીવનમાં શૂન્યાવકાશ સર્જાય છે. મૃત્યુના ઝાંઝરનો ઝમકારે કોઈકનાં ચરણ થંભી જાય છે. જનાર જીવના ઝુરાપે ઝાડવાં સ્થિર થઈ ગયાની વાત કવિ કરે છે. “જાન ઉઘલતી ઝાલર ટાણે કોના થંભે ચરણ સાંભળી ઝાંઝરનો અણસાર” 7 માનવના મૃત્યુનો મલાજો જળવાતો ન હોવાની વાત “શોકસભા પહેલાં અને પછી'માં રજૂ થઈ છે. આધુનિક ક્રિયાકાંડ સમા શોકસભાના કાર્યક્રમ અંગે કવિ અહીં કરુણ કટાક્ષ કરે છે. જગદીશ જોષી “નિરાશાની સદાબહાર'ના “અશરીર દર્દીના કવિ છે. મનુષ્ય જન્મમરણની ઘટમાળમાંથી છૂટી જાય એની ઝંખના એમને છે. તેથી કરુણ આક્રોશ કરતાં * તેઓ કહે છે. “બંધ કરી દો આ પ્રવેશદ્વારો જનેતાના જનનદ્ધારો બંધ કરી દો એ ક્ષણોના કિલ્લાઓ કારણ કે પ્રવેશદ્વારો બંધ થશે તો જ બંધ થશે જીવનકિલ્લાની છટકબારીઓ અને તો જ અટકશે ઝરતી આ નેનઝારીઓ” " જન્મ જ ન હોય, તો મૃત્યુ ન હોય, ને મૃત્યુ ન હોય તો તેનઝારીઓ ઝરતી અટકે. “દશ્ય અદેશ્ય સાદશ્યમાં સ્વજનના મૃત્યુથી નંખાઈ ગયેલી વ્યક્તિની મૃત્યુપ્રતીક્ષા વ્યક્ત થઈ છે. કોઈ તોફાની બાળક ઉતાવળે આવીને આંગણાનો સાથિયો ભૂંસી નાખે એમ સ્વજનના મૃત્યુએ આ નાયિકાનું સ્મિત ભૂંસી નાખ્યું છે. નભે જતા જીવનનો અર્થ લુપ્ત થઈ જાય છે. ચૈતન્યથી ધબકતું જીવન જોતજોતામાં “મૃત્યુ' બની જાય છે. કવિ જગદીશ જોષી કહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust