SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 355 નામને તેઓ ઓગાળી નાખવા માગે છે. તો બીજી બાજુ “અવ કશું નહિ ફરી’ પણ કહે છે. “થાય છે ત્યારે માં (‘આર્કા') દેહ મૃત્યુ પામ્યા પછી પણ નામ અમર થઈ જાય એવું કામ કરી જવાની ઉશનસ્ ની ઝંખના વ્યક્ત થઈ છે. અનહદના દેશે જવાની ઝંખના સેવતા કવિ “૬૬'માં કાવ્યમાં “અવ એવે દેશ પ્રવાસ પદ પદ યહીં મંઝિલ” 18 કાવ્યનાયિકાની ઝંખના એ કદાચ કવિની પણ ઝંખના “બહાર નહિ, સ્થળમાં નહિ, પળમાં નહિ, અંતરતરમાં, મિલનની અનુભૂતિ પૂર્ણપણે કરતી નાયિકા (કાવ્ય-૬૭)ને અંતિમ મિલનની આરજૂ છે. મોક્ષ અને મુક્તિની ઝંખના અહીં વ્યક્ત થઈ છે. “અવ કશું નહીં, જરી અવ કશું નહીં' ફરી” 180 મન પ્રશાંત બને છે જાણે જન્મજન્મના ફેરામાંથી મુક્ત થવાય છે. સ્વર્ગમાંથી પણ પાછા ફરવા માગતા રખડું હૈયું ધરાવતા કવિ ઉશનસ્ ની પૃથ્વી પ્રત્યેની પ્રીત “આ રસ્તાઓ'માં (“સ્પંદ અને છંદ') વ્યક્ત થઈ છે. પગની મુદ્રા વિનાના રહી ગયેલા કંઈક રસ્તા હજુ ખૂંદવાની ઝંખના તેમની છે. આમ તો ક્યારેક મુક્તિનીયે ઝંખના કરી બેસતા આ કવિને ફરી જન્મવા સામે કોઈ વિરોધ નથી જ. પણ જન્મવાનું જ હોય તો એ જ માના વત્સલ ઉદરમાં ફરીફરીને જન્મોજન્મની શ્રેણી પૂરી કરવાની અભિલાષા તેમની છે.. ફરી પાછા નીડે, નીડથી ધરતીમાં મળી જવું, ફરી પાછા ઇંડે જનની તવ જન્મી ફરકવું” 80 એ જ માને પેટે વારંવાર જન્મવાની કવિ ઉશનસ ની અભિલાષા વ્યક્ત થઈ છે. કવિ જયંત પાઠક સમૃદ્ધ જીવન વિકાસક્રમની અભિલાષા સેવે છે. (“વાંછા” “મર્મર') મૃત્યુની નિશા વેળાએ સુંદર સ્મરણઉડુઓ પૂંઠે મૂકી જવા પણ તેઓ ઉત્સુક છે. અનેક જન્મોની આ અવિરત લાંબી યાત્રામાં કવિ જરા બધાને મળવાની ઝંખના સેવે છે. (આવ્યો છું તો') “દૂર નથી'માં જિંદગીની મજલનો થાક દૂર થાય, ને હાશકારો અનુભવી શકાય એવી ઝંખના સેવતા કવિ અંતે તો મૃત્યુદિનની જ ઝંખના સેવે છે. રુદન બધાં શમી જાય, ને વિશ્વવીણા સંગીત લયે નર્યો સંવાદ અનુભવાય એવી એમની તમન્ના વ્યક્ત થઈ છે. દિવસને અંતે (‘મર્મર' “દિનાન્ત') જિંદગીને અંતે ઘરભણી જતાં (મેલાં વસ્ત્રો સાથે) 'પાછા વળે ત્યારે પોતાને ખોળે આ કાવ્યનાયકને લઈ જાણે પ્રભુનેય ધન્ય બનાવવા કવિ પ્રેરે છે. અર્થાત પ્રભુ એમના ખોળે એમને લઈ લે એવી ઝંખના અહીં વ્યક્ત થઈ છે. તો જિંદગીનો અંત સૉનેટની જેમ ચોટદાર હોય એવી અભિલાષા જયંત પાઠકની છે. (“સોનેટ જેવી” “વિસ્મય') “પંથને અંતે')નો કાવ્યનાયક (‘અંતરીક્ષ') જીવનપથને અંતે એકલો, અટૂલો, થઈ જતાં કોઈકના મિલનની ઇચ્છા રાખે છે. (‘પંથને અંતે “જીવી ગયો હોત'(“અંતરીક્ષ') કાવ્યનાયકની પોતાના અંત સમયની પ્રેમઝંખના વ્યક્ત થઈ છે. જ્યારે “મારે જવું નથી”માં “અનંતપથે જવાની અભિલાષા વ્યક્ત થઈ છે. 26 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy