SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 351 પ્રકૃતિએ અનુભવેલ વ્યથા પ્રગટ થઈ છે. (‘અલ્પવિરામ') અહીં ગાંધીજીની ચિતાનું કાવ્યમય વર્ણન કવિએ કર્યું છે. ગાંધીજીના શબને તપનું શબ' કહેવામાં કેટલું બધું ઔચિત્ય છે ? ગાંધીજી વ્યક્તિ મટીને જાણે કે તારૂપ બની ગયા હતા. | ‘બલ્લુકાકાને અંજલિ આપતા કવિ મિત્ર નિરંજન ભગત સૌ પ્રથમ એમના રણકતા અવાજને યાદ કરે છે. કદીક ત્રાડસમો ને કદીક સુકોમલ મંદ મૃદુ લાડભર્યો અવાજ નષ્ટ થયાનું માન્યામાં આવતું નથી. સૌને મનુજ-જંતંડા” કહેનાર કવિ પણ કાળની થપાટ સામે મનુજ-જંતુડા બની ગયા. ‘રિલ્કનું મૃત્યુ' કાવ્યમાં નિરંજન ભગતે રિબેના મૃત્યુનો શોક વ્યક્ત નથી કર્યો. પરંતુ એ મૃત્યુનું કવિએ ગૌરવ કર્યું છે. - “હેકી રહ્યો જીવનનો જ અર્થ ના મૃત્યુ કોઈ કદી ક્યાંય વ્યર્થ” 181 જેમાં મૃત્યુમાં મહેકતા જીવનાર્થને સૂચિત કર્યો છે. કવિ મૃત્યુને નિરર્થક માનતા નથી. પ્રેમ જ તો રિલ્કને મૃત્યુનો અનુભવ કરાવ્યો, ને જીવનમૃત્યુ બંને ધન્ય બની ગયાં. પ્રિયકાંત મણિયારે “છેવટની ક્ષણો લગી' નામનું (સમીપ') સ્વ. દેશળજીભાઈના મૃત્યુ નિમિત્તે કાવ્ય લખ્યું. કોમળ સંવેદનામાં સદ્ગતનો મૃત્યુ પ્રસંગ કવિએ ઢાળ્યો છે. પાનની રતિમ ઝાંયનેય કવિ યાદ કરે છે. “અનંતના હે આયુષ્યમન' (‘સમીપ') ગાંધીશતાબ્દી નિમિત્તે અપાયેલી શ્રદ્ધાંજલિ છે. આવા વિરલ આત્માને વર્ષોના આંકડાથી ન મૂલવાય. તેથી તો કવિ એમને અનંતના આયુષ્યમાન તરીકે સંબોધે છે. ગાંધીના મૃત્યુને સંપૂર્ણ “સમર્પણનો મહોત્સવ કવિ કહે છે. “વિદાયની એ ક્ષણ જ નહીં અશ્રુ સંતો ક્ષણ ક્ષણ જન્મ ધરે ને મૃત્યુને એમ આછું કરે” 82 નહેરુને અંજલિ આપતા “ઇતિહાસકાર ઇતિહાસમાં' કાવ્યમાં નહેરને જગતપુરુષ તરીકે બિરદાવ્યા છે. કવિ કહે છે. “દીવો બુઝાઈ ગયો પણ પ્રકાશ આપણને મળ્યો છે. જવાહરના મૃત્યુ સાથે અશરીરી ગાંધીની આંખ પણ ભીની થયાનું કવિ કહે છે. - કવયિત્રી ગીતાબ્લેન પરીખ મૃત્યુ થવા છતાં જવાહરલાલ નહેરુની શાશ્વત તેજ જ્યોતનો ઉલ્લેખ કરી (‘અવનિ-અમૃત) નહેરુને અવનિના અમૃત તરીકે બિરદાવે છે. મૃત્યુ પામી જાણે તેઓએ મરણને નવજન્મ આપ્યો. કવયિત્રી કહે છે મૃત્યુ એમના નવજન્મ વડે બડભાગી થયું. ગીતાબ્દને સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી યશવંતરાવ પુરોહિતની આત્મહત્યા સંદર્ભે “અપ્રસિદ્ધ રાગ' કાવ્ય લખ્યું. શાંત ને સ્વસ્થ સુરીલતામાં જેમનું જીવન જ સ્વયં સંગીત' બની ગયેલું. કવયિત્રી પ્રશ્ન કરે છે, “એમણે મૃત્યુને સામેથી કેમ નિમંત્ર્ય'? મૃત્યુ પછીના એ અજાણ દેશે શું કોઈ અપ્રસિદ્ધ રાગ છુપાયો હશે? એની શોધમાં તો એ નથી ચાલ્યા ગયા ને ? ગીતાબહેન “પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને' ભવ્ય દષ્ટા તરીકે સન્માને છે. બાહ્ય દષ્ટિએ વિલીન થયેલા એ મહાનુભાવના અદીઠ રૂપને હજુય કવયિત્રી પ્રાર્થે છે. - સુરેશ દલાલ “રવીન્દ્રનાથને કવન સૃષ્ટિના “વાસવ' તરીકે ઓળખાવે છે. (“એકાંત') “કવિ કાન્તને અંજલિ આપતાં સુરેશ દલાલે (‘તારીખનું ઘર') કવિના એકાંતને કાન્તનાં ' 182 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy