________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 349 “ઉધામો લે, અતિશ્રમ થકી શીર્ષ ઊંચું કરીને બાએ છેલ્લાં શયન રચિયાં બાપુ કેરા ઉછંગે” 75 બે નજરો મળી, જાણે મૂક વાતો છેલ્લે કરે છે. દેતાં બાને આજ છેલ્લી વિદાય બાપુનીય અશ્રુથી આંખ ભીંજે.” 1 બાએ તો શૂળી પર સેજ બિછાવી હતી. આકરો કંટકપંથ ગ્રહ્યો હતો. સ્વાધીનતાયજ્ઞમાં તેઓ બલિ બન્યાં. “જીવી ગયાં બા અસિધાર જિંદગી સંસારમાં જોડ જતિ - સતીની ફરી ન આવી જડવી સુધન્ય” પ૭૭ નિર્વાણ સંધ્યા ગાંધીજીને અપાયેલી અંજલિ છે. ગાંધીજીએ વૃત્તિઓ બધી સંકેલી લીધી હતી. ને ચિત્ત રામમાં પરોવ્યું હતું. સૌની વંદના હસીને તેઓ ઝીલતા. ગાંધીજીની, હત્યા કરવા ઊભેલા યુવકને કવિ મૂર્તિમંત “મૃત્યુ' કહે છે. “પાષાણ ઊભે જયમ પ્રેમ સામે રાહુ થયા પૂનમ ચન્દ્ર સામે અંધાર ઊભે જ્યમ તેજ સામે મૃત્યુ ઊભે જેમ અમર્ત્ય સામે સાધુ સામે કૂડ કપટ ભર્યો તેમ ઊભો વિઘાતી” 18 ને સનસન સન ગોળી છૂટતાં એ વિભૂતિ વિશ્વને છેલ્લી વંદના કરી, ઢળી પડે છે. કાયાના પીંજરાં તોડી, માયા સર્વ કરી પરી હરિના, ધામમાં ઊડ્યો હંસલો હરિનો ફરી” 9 હરિનો હંસલો’ પણ ગાંધીજીને જ અપાયેલી અંજલિ છે. ગાંધીજીની હત્યા કરનારને ‘કલંકી' કહે છે. ગાંધીની હત્યા કરનાર, સમગ્ર માનવજાતનો અપરાધી હોવાનું કહે છે. જગને ખાબડે આવી ચડેલા એ હંસને માનવજાત સાચવી ન શકી, એનો રંજ કવિ વ્યક્ત કરે છે. ગાંધીજીને કવિ હવે “અમરોના અતિથિ' તરીકે બિરદાવે છે. કવિ ઉશનસે “દયારામ સ્મરણ'માં દયારામના મુક્તરમ્ય જીવનને પ્રશસ્યું છે. (‘પ્રસૂન') દયારામના નિબંધ ઝરણાસમા જીવનનું કવિને હંમેશા આકર્ષણ રહ્યું છે. જ્યારે એકસંત’માં તિલક ભભૂતિ વિનાના લંગોટીભર, યુગપ્રવર્તક સંત ગાંધીજીને કવિએ શ્રદ્ધાંજલિ અર્પી છે. અવિરત કરુણાનો મહેરામણ છલકાવતા ગાંધીને “વરાહના અવતાર' તરીકે કવિ ઓળખાવે છે. “ગાંધીજી'માં (‘આદ્ર') કવિ ઉશનસે ગાંધીજીની તેજમૂર્તિની પ્રતિમાને આરસપહાણમાં ઢાળતી પ્રજાના છીછરા આદર્શ પ્રત્યે કટાક્ષ કર્યો છે. ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા ગાંધીવારસો' કાવ્યમાં વણખેડ્યા ખેતરમાં છુપાયેલા પાક જેવી એમના વારસાની તિજોરીનો નિર્દેશ થયો છે. ઉશનસ્ કહે છે. “આપણા સૌના પિતા મૂકી ગયા યુદ્ધસ્વની કરુણા-ગીતા” 80 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust