SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 347 બાળકોને રહેંસી નાખ્યા પછી એના રક્તાંકિત ચરણ ત્રણે કાલખંડોની બહાર લથડિયાં લેતાં ચાલતાં હતાં. - કવિ પિનાકિન ઠાકોરે “સત્ સત્ તાવન' કાવ્યમાં (‘ઝાંખી અને પડછાયા') ઐતિહાસિક સંદર્ભે નુરુદ્દીનની શહાદતની વાત કરી છે. નુરુદ્દીનની બીબીએ પણ મોત માગી લઈ આત્મહત્યા કરી હતી. નુરુદ્દીનને જેલમાં પણ અંગ્રેજો તરફથી ઘણો ત્રાસ થતો. નુરુદ્દીન બધા કરતાં સત્યને વિશેષ મહત્ત્વ આપતો. સત્ય એને મન મૃત્યુ કરતાંય વધુ મહત્ત્વનું હતું. કવિ હેમંત દેસાઈએ દુર્યોધનની અંતિમ અવસ્થાનું ચિત્ર “અંતક્ષણ” (“સોનલ મૃગ)માં આપ્યું છે. કવિ કહે છે દુર્યોધનના ધબકતા હૈયામાં વેદના અને વિષનો સાગર ઘૂઘવતો. અંતિમ પળે એને અશ્વત્થામા યાદ આવે છે. જીવન ને મૃત્યુના ઘોર સંધ્યાકાળે મબલખ અસારતા મલપતી જાણે” 169 અંતિમણે દુર્યોધનના અણુ અણુને અસારતા કોરી રહી છે. ઉછળતા રથચક્રની જેમ ઊભા થઈ ભીમને ઝપાટામાં લઈ ભુજાઓના ભરડામાં ભીડવાની ઇચ્છા હતી. પણ હૈયે કંઈક છૂપું સોરાતું. છેલ્લા શ્વાસ કારમી વેદનાથી સભર હતા. જીવવું મરવા જેવું લાગતું. દુર્યોધન મૃત્યુ દ્વારા યાતનામુક્તિ ઈચ્છતો. “મરું છું, મરું છું, મરું છું, ને જીવું છું'માં દુર્યોધનની મરવાની પ્રક્રિયાનું, સ્થિતિનું વેધક વર્ણન કવિએ કર્યું છે. જે સ્થિતિ અંતે દુર્યોધનને શાતા આપે છે. મૃત્યુની એ અનુભૂતિ “જીવું છુંની પણ છેલ્લી આરામદાયક પ્રતીતિ કરાવે છે. અનુગાંધીયુગ અને અંજલિકાવ્યો બારી બહાર'ના કવિ પ્રહલાદ પારેખે સ્વ. મોતીલાલ નહેરને જન્મશતાબ્દીએ અંજલિ અર્પતાં એમના સમર્પણને બિરદાવ્યું છે. તો “દિવંગત ગુરુદેવને' કાવ્યમાં કવિવર રવીન્દ્રનાથના જીવનકાર્યની ભવ્ય આકર્ષકતા પાસે મૃત્યુ પણ ભોઠું પડી ગયાની વાત કવિએ કરી છે. કવિની ભવ્ય જિંદગી પાસે મૃત્યુય વામણું બની ગયું હતું. ‘આવ્યું તું જિંદગી લેવા આપી ગયું અમરત્વ એ મૃત્યુ પરના કવિ રવીન્દ્રનાથના જીવનના વિજયને અહી બિરદાવ્યું છે. - અંગ્રેજ કવિ “શેલિને અંજલિ આપતાં હરિશ્ચંદ્ર ભટ્ટ શેલિની દેહબંધથી મુક્ત અબંધ પ્રેમની કલ્પનાને યાદ કરે છે. શેલિના To a skylark' ની ૧૬મી પંક્તિ "Our Sweetest songs are those that tell of saddest thought" . ને તથા એમાંની ભાવનાને જાણે કે તેઓ સ્વીકારે છે. “રાઈનેર મારિયા રિલેને' હરિશ્ચંદ્ર આપેલી કરુણાંજલિ પ્રેમ અને મૃત્યુનો મહિમા ગાય છે. “વર્ષે વર્ષે જ્યાં ગુલો ખીલતાં થાયે છો ને મૃત્યુલેખો-કવિના તારા એ શબ્દ થાઓ જીવનમરણ આલેખ મારા સદાના” 10 તો “મરણોન્મુખ બોદુલેર’ને તેઓ પૃથ્વી પર હોવા છતાં, પૃથ્વીથી પર હોવાને લીધે નભના પ્રવાસી તરીકે કવિએ અંજલિ આપી છે. મૃત્યુપથારીએ રહેલા બોલેરના વ્યક્તિત્વને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy