________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 343 છે. “વસ્ત્રવયનું ફેંકી દેવાની કવિની તીવ્ર ઝંખના છે. “કાળની બલિહારી અને મનુષ્યની લાચારી, પરિસ્થિતિનો સ્વીકાર, પછી સ્વસ્થતાનું વર્ણન “જૂના પત્રોનો નાશ કરતાં'માં કવિ જયંત પાઠકે કહ્યું છે.” 58 “નદીના પટમાં થીજી ગયેલા સમયનો કવિએ એક સ્નેપ શોટ લીધો છે. જાણે કે આઠેકનો આદિવાસી બાળક એના ગળામાં સૂર્યમાંજી જળની હાંસડી, સમયનું એક જળચિત્ર આલેખીને કવિ એને ગહનમાંથી પ્રગટતા અવતાર સાથે સાંકળીને કાળની વ્યાપક અને ગહન ભૂમિકા બાંધી આપે છે.” 59 “ગલ' કાવ્યમાં કવિ " જયંત પાઠકે કાળપાશના પ્રતીક તરીકે “ગલ'નો નિર્દેશ કર્યો છે. પલમાં પેલા “ગલ'માં ચંચલ મુખ માછલી પકડાઈ જવાની “એક વારનું ઘર'માં વતનની સાથે જોડાયેલ બાનાં સ્મરણ તથા દીવાલોને પોપડે દાદાની વાત દ્વારા સરકી ગયેલા સમયનો નિર્દેશ થયો છે. કવિ નિરંજન ભગત બલુકાકાને અંજલિ આપતાં કાળની થપાટ સામે બલુકાકા પણ મનુજજંતુડા બન્યાની હકીકતનું વર્ણન કરે છે. સદા નિતરિ નીંગળે હૃદય છાનિ બાની સરે હવે ચકિત કર્ણ કાળ પણ મુગ્ધ સુણ્યા કરે” 0 ને તેમ છતાં બલુકાકાનો અવાજ શાશ્વત સ્મૃતિ મૂકી ગયાનું કહેતા કવિ નિરંજન કહે છે. એ રણકતી બાની કાળનેય સાંભળવાનું મન થશે “ગાયત્રી'ના બીજા ખંડમાં કવિ મધ્યાહનનું નર્યું ખંડિતરૂપ આલેખે છે. ક્ષણો બે સાંધતી જાણે તૂટી ગૈ કાળની કડી” 11 કવિને કાળનું નિષ્ક્રિય વિઘટિત મિથ્યા ને છલનાભર્યું રૂપ સર્વત્ર દષ્ટિગોચર થાય છે. - કવિ ઈશ્વરચંદ્ર ભટ્ટ “સમયપંખી-૧'માં વિરાટ સમય પંખીની પાંખમાંથી સૂસવતી ખરતી ક્ષણો અંતે વસુધાપટ પર મોતના રેતીકણોરૂપે છવાયાનું કહે છે. કાળની પ્રખર ગતિ ધ્વંસને રચે છે. “સમયપંખી-ર'માં આ સમયનું કાળનું વિહગ પાંખને વીંઝતું આગળ ધપતું ઉલ્લેખાયું છે. કાળની ગતિ અવાન્તરે કોળતી હોવાનું આ કવિ કહે છે. - પ્રિયકાંત મણિયારે કાળને પશુ સાથે સરખાવ્યો છે. કાળને માટે સૌ સરખા છે (“કાળ' “પ્રતીક') “આ કશું કાળનું રે પશુ? જે મળ્યું તે ઉદરની મહીં ઓરતું સર્વ એ ક્યાં જતું ? ગાય કાડી રહ્યો સિંહ કે યોનિમાંથી હજી પ્રસવ રે પામતું માનવી ડિલ્મ હો ભક્ષ્યમાં ભેદ ના કોઈ એને ખરે. સતત બસ ચર્વણા, દ્રષ્ટ્રથી રક્ત કેવું ઝરે ? શિશુ અને વૃદ્ધનો સ્વાદ જુદો નહીં નર અને નારમાં અલગ નવ કોઈ વૃત્તિ રહી” 142 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust