SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 0 342. જ હશે. કવિ ઉશનસ્ (‘મનોમુદ્રા) સુક્રતુ, ગાંધી, તથાગત સૌને કાળના કબ્રસ્તાનમાં હોમાઈ ભળી ગયેલા હોવાનું કહે છે. “વ્યાકુળ વૈષ્ણવ'માં કવિ ઉશનસ્ (“વ્યાકુળ વૈષ્ણવ'), (શ્લોક-ર૭) અમીટ અથાહ કાળનું વર્ણન કરતાં કહે છે. મિતિ હોય તે મરે અહીં તો કાળ અમીટ અથાહ” 53 તો ૩૫-મા શ્લોકમાં સનાતન કાળની ભવોભવની પ્રીત લઈ બેઠેલી નાયિકાની વિમાસણ વ્યક્ત થઈ છે. કાળના અપરંપારને છેડે આટલે તનિક જોડે શી રીતે જવાશે? “કાળમાં તને આવડો શો વિશ્વાસ ? આપણી પાસે કેટલો સિલ્લક શ્વાસ” ? " 154 ૩૯માં શ્લોકમાં કાળસાગરે ઘડીક ઉપર ઘડીક નીચે અથડાતા માનવની વાત કરાઈ છે. “કાળ સાગરે ઘડીક ઉપર ઘડીક પાછા તળિયે સંતાકૂકડી ખૂબ રમાઈ, અળગાં પડીએ મળીએ” 15 શેરીમાંથી સમયરથ આવીને પસાર થઈ ગયાનો અનુભવ અંતે તો કાળના આધિપત્યને સૂચવે છે. (“સમયરથ” “તૃણનો ગ્રહ) સમયનેય જીવનભેર ગજવતા બે વત્સલ વૃદ્ધોનેય સમયરથ હરી ગયાનો નિર્દેશ કવિને વિષાદનો અનુભવ કરાવે છે. સમય પોતાના આગમનની કશીક નિશાની મૂકી ગયાનું “ગૃહપ્રવેશ'માં કવિ કહે છે. જતાં જતાં ત્યાંથી ઉઝરડી કશું જીવન ગયો” 150 જીવનતત્ત્વને ઉખાડી ગયેલા કાળને ઉખેડી શકાતો નથી. શિશિર ઋતુના પાંદડાનું ખરવું એ જાણે “ખરે પીળી ફીકી સમય તરુની ટપ, ટપ, ક્ષણ.” | કવિ ઉશનસ કાળને મૃદુ તૃણ સાથે સરખાવે છે. (“ઘાસ અને કાળ” “તૃણનો ગ્રહ') જનેતાય જાણે તૃણરૂપ બની ગઈ હોય એવો ભાવ કવિ અનુભવે છે. તેથી તો કવિ કાલ સ્વરૂપને નિષ્ફર કહી નીંદવા બદલ પશ્ચાત્તાપ અનુભવે છે. ને તેઓ કાળની નવી વ્યાખ્યા પામે છે. કાળ એટલે મૃદુ તૃણ'ને કાળ એ જ તો છે મૃત્યુનો પર્યાય, તેથી મૃત્યુ પણ મૂદુ તૃણસમું. તૃણ બનીને ઊગેલો પેલો કાળ “સ્પંદ અને છંદમાં સમય બને છે. (કાળનું સ્થાન સમય લે છે) કવિ ઉશનસને ખરેલા પાન પર સમયનું જંતુ ફરી વળતું દેખાય છે. (“કાળડૂબકી-એક તંદ્રા') વને વને નવો જન્મ ધારણ કરતું એ પર્ણ પાછું ફૂદડી ફરતું ખરી જાય છે. વળી નવો સૂર્ય હિમપડ ફાડી નાખે છે. ત્યારે એ જમીનની ભીતરમાંથી લીલા રંગનો અંકુર પાછો ફૂટી નીકળે છે. કાળના સાંઢને પલોટી એનાં બે શિંગડાં મચડી બે હાથે એને વળ આપી એને દૂર હાંકી કાઢવાની નહેરુની તાકાતનો પરિચય ઉશનસે આપ્યો છે. (“કાલ મર્દન” “સ્પંદ અને છંદ) કાળયાત્રાની વાત કરતાં કવિ ઉશનસે “હું આવી પહોંચ્યો છું, લગભગ મહારા મરણમાં” 157 સમયમાંથી કાવ્યનાયક હવે મરણ સુધી પહોંચી ગયાનો અનુભવ કરે છે. “મરણ નામની ઊંઘમાં કાળની “અતલ કૂખ જેવા કળણ'ના અનુભવની કવિ વાત કરે છે. જયંત પાઠક માટે સમયનો સંદર્ભ બદલાઈ જાય છે. સમય કેવળ સ્મૃતિરૂપ બની જાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy